________________
૩ ૨૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
મોક્ષ-પથે પુરુષાર્થી થા, હે! મન, ભાવના ભાવ રે,
આતમ-ભાવના મોક્ષ દે, સુરસુખ છે તુચ્છ સાવ રે. શ્રી રાજ અર્થ - હે મન! હવે તું મોક્ષમાર્ગમાં પુરુષાર્થી થા અને આત્મભાવનાને ભાવ. કેમકે આત્મભાવના મોક્ષ આપે છે. દેવલોકના સુખ છે તે તો સાવ તુચ્છ છે. જીવે અનંતીવાર ભોગવેલા છે.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (વ.પૃ.૫૦૪) રાગદ્વેષનો ક્ષય થયે જીવ મોક્ષને પામે છે. ૧૨ાા
સમતાસરે હંસસમ મુનિ, મુક્તિ-હંસી પર રાગ રે,
તે વિષય-જલ, વૈભવ-પંકજે અલુબ્ધ ઘરે વૈરાગ્ય રે. શ્રી રાજ અર્થ - સમતાસરે એટલે સમતારૂપી સરોવરમાં વિચરનારા હંસ સમાન મુનિ તે મુક્તિરૂપી હંસી પર રાગ કરે છે. તેવા મહાત્માઓ વિષયરૂપી જળ અને વૈભવરૂપી પંકજ એટલે કાદવમાં લુબ્ધતા પામતા નથી. પણ વૈરાગ્યભાવ ઘારણ કરીને રહે છે. [૧૩
એક વિવેક મિત્ર-મેનિનો, કરે જડ-ચેતન ભિન્ન રે,
તે ગ્રાહ્ય ગ્રહે, તજી ત્યાજ્યને, રહે સ્વ-સ્વરૂપે લીન રે. શ્રી રાજ અર્થ :- મુનિનો વિવેક નામનો એક મિત્ર છે. તે જડ અને ચેતનને ભિન્ન કરે છે. તે ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરે છે અને ત્યાગવાયોગ્યને ત્યાગે છે, તથા મુનિ પોતાના આત્મસ્વરૂપમાં લીન રહે છે. /૧૪
ક્યારે હું અચળ મૂર્તિ સમો ધ્યાન વિષે રહું સ્થિર રે,
ઘસે મૃગ તન ચેળ ટાળવા; રહું ઉપસર્ગે થીર રે. શ્રી રાજ, અર્થ - હે પ્રભુ! હું ક્યારે પત્થરની મૂર્તિ સમાન અડોલપણે ધ્યાનમાં સ્થિર રહી શકીશ? કોઈ મૃગ આવી પોતાની ચેળ એટલે ખાજ મટાડવા મારા શરીરને પત્થર સમાન જાણી ઘસે તેવો સ્થિર હું ક્યારે થઈશ અથવા ગમે તેવા ઉપસર્ગ આવે તો પણ સ્થિર રહું એવો શૈર્યવાન ક્યારે બનીશ? I૧૫ના
જન જે સ્પર્શ-રસરૂપ કામ ને સ્વરગંઘ-ૉપ રૂપ ભોગ રે,
અતિ તુચ્છ, અનિત્ય, દુઃખદ ગણે, બંઘ કારણ પયોગ રે. શ્રી રાજ અર્થ - જે જન સ્પર્શ, રસ, સ્વર, સંઘ અને રૂપ આદિ ભોગોને અતિ તુચ્છ ગણે, અનિત્ય માને કે દુઃખ દેવાવાળા જાણે કે કર્મ બંધના કારણો માની, આત્માથી પર જાણી તેનો યોગ કરતા નથી; તે પુરુષો મુનિઘર્મની યોગ્યતાને પામે છે. ૧૬ાા
જ્ઞાન વૈરાગ્યાદિ કારણે, લહે જિન-મુદ્રા સાર રે,
સહવા ઉપસર્ગ, પરીષહો, અંતપર્યત તૈયાર રે. શ્રી રાજ અર્થ :- જે જ્ઞાન વૈરાગ્ય આદિ પ્રાપ્ત થવાથી એક જિન વીતરાગ મુદ્રાને જ જગતમાં સારરૂપ માને છે તથા ગમે તેવા ઉપસર્ગ પરિષહો જીવનના અંત પર્યત સહન કરવાને તૈયાર છે તે આત્માઓ મુનિઘર્મ અંગીકાર કરવાને યોગ્ય છે. ૧ળા