SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પૂર્વ અવસ્થામાં બહુ કાંક્ષા-મોહ સહિત વિચરતો મુનિ દોષ ટાળી તે ભવમાં મોક્ષે પણ સંચરતો. સગુરુ અર્થ :- પૂર્વ અવસ્થામાં જે મુનિ બહુ કાંક્ષા-મોહ એટલે દર્શનમોહ-મિથ્યાત્વ સહિત વિચરતા હોય, તે પણ તે જ ભવમાં મિથ્યાત્વના દોષને ટાળી મોક્ષે પણ ચાલ્યા જાય છે. [૩૧ાા મૂળ તત્ત્વોની શ્રદ્ધા સાચી કરી નિઃશંક રહે છે, ત્યાં જ રમણ, સંતોષ, નૃમિથી ઉત્તમ સુખ લહે તે. સગુરુવ અર્થ - જે ભવ્યાત્મા મૂળ આત્માદિ તત્ત્વોની સાચી શ્રદ્ધા કરી નિઃશંક રહે છે તે સ્વસ્વરૂપમાં રમણતા કરી, તેમાંજ સંતોષથી વૃદ્ધિ પામી ઉત્તમ આત્મસુખને પામે છે. ૩રા માષ-તેષ” દ્રષ્ટાંતે સાચી શ્રદ્ધા ભવ-જળ તારે, અતિ અલ્પ મતિ પણ જો સવળી, મુમુક્ષતા જ વઘારે. સગુરુ અર્થ :- ઉપરની વાતને અહીં દ્રષ્ટાંતથી સમજાવે છે કે શિવભૂતિ મુનિ ગુરુ આજ્ઞાએ સાચી શ્રદ્ધાથી માત્ર “માષ તુષ' નું રટણ કરતા કેવળજ્ઞાન પામી સંસાર સમુદ્રને તરી ગયા. એમ ભલે મતિ અલ્પ હોય પણ તે સવળી હોય તો તે જીવમાં મુમુક્ષતાના ગુણને જ વધારનારી છે. શિવભૂતિ મુનિની મતિ અલ્પ હોવાથી શ્રી ગુરુએ માત્ર “મારુષ માતુષ' આટલો જ સંક્ષેપમાં મંત્ર આપેલો છતાં તે પણ ભૂલી જઈ તેનું માષ તુષ” થઈ ગયું. પણ શ્રી ગુરુમાં શ્રદ્ધા દ્રઢ હોવાથી આટલું જ રટણ કરતા તે કેવળજ્ઞાન પામી ગયા. માટે શ્રદ્ધા ગુણને સર્વોપરી માનવો હિતકારી છે. /૩૩ના વિશાળબુદ્ધિ મધ્યસ્થ રહે તો દશા વિશેષ વઘારે, સરળતા સહ જિતેન્દ્રિયતા સંશય સર્વ નિવારે. સગુરુ અર્થ - વસ્તુ તત્ત્વને સ્યાદ્વાદથી સંપૂર્ણ સમજી શકે એવી વિશાળ બુદ્ધિ હોય, મારું તે સાચું નહીં પણ સાચું તે મારું એમ પોતાનો આગ્રહ મૂકી સત્ય સ્વીકારવાની મધ્યસ્થતા હોય, તો તે જીવ પોતાની દશાને વિશેષ વધારી શકે છે. વળી પ્રજ્ઞાસહિતની સરળતા હોય, સાથે જિતેન્દ્રિયપણું હોય તો બુદ્ધિ નિર્મળ થવાથી તે તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરી સર્વ પ્રકારની શંકાઓનું નિવારણ કરી શકે છે. [૩૪ જે જે સામગ્રી મળી આવી નરભવમાં હિતકારી, તે સૌ મુક્ત થવા કાજે છે, એમ ગણે અઘિકારી. સગુરુ અર્થ :- જે જે આત્માને કલ્યાણકારી એવી સામગ્રી તે સગુરુ, સત્સંગ, ભક્તિ, સ્મરણ, આજ્ઞા આદિ આ મનુષ્યભવમાં મળી આવ્યા છે, તે સૌ સાઘન આત્માને જન્મમરણથી મુક્ત કરવા માટે છે. એમ વૈરાગ્ય ઉપશમની યોગ્યતાવાળો આત્માર્થી જીવ માને છે. રૂપા બને તેટલી કરી પરીક્ષા સત્ય ભાવ પ્રગટાવો, બુદ્ધિના ચાલે ત્યાં આજ્ઞા શિર ઘરી નહિ ગભરાઓ. સદ્ગુરુ સેવીએ રે, સજ્જન, નિઃશંકિત થાવા. અર્થ - બને તેટલી સદેવગુરુઘર્મની પરીક્ષા કરીને હવે સત્ય આત્મભાવ હૃદયમાં પ્રગટ કરો. તથા જે પદાર્થ સમજવામાં બુદ્ધિ ન ચાલે ત્યાં ભગવાને જે કહ્યું તે સત્ય માની તેમની કહેલી આજ્ઞાને શિર
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy