SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૩) આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? ૩ ૨ ૧ પ્રયોજનબૅત તત્ત્વો સાચાં, બુદ્ધિ-ગ્રાહ્ય થયાં જ્યાં, બુદ્ધિથી પર તત્ત્વોમાં ના કારણે અસત્યનું ત્યાં. સદ્ગુરુ અર્થ - ભગવંતે કેવળજ્ઞાનથી જોઈ કહેલા પ્રયોજનભૂત તત્ત્વો જ્યારે બુદ્ધિથી ગ્રાહ્ય થયા અને સાચા જણાયા તો જે બુદ્ધિથી પર છે એવા અપ્રયોજનભૂત તત્ત્વોનું અસત્ય નિરૂપણ કરવાનું ભગવાનને કોઈ કારણ નથી. ૨પાા મૂળ વસ્તુના નિર્ણય પછીથી વિશેષ કેમ હશે તે? એમ જાણવાની આકાંક્ષા અસ્થિર-મોહ-વશે છે. સગુરુ અર્થ – મૂળ વસ્તુ આત્માદિ તત્ત્વો છે તેનો નિર્ણય થયા પછી બીજા અપ્રયોજનભૂત પદાર્થોનું શું સ્વરૂપ હશે? તેને જાણવાની ઇચ્છા થાય તે અસ્થિર-મોહ એટલે ચારિત્રમોહને લઈને છે. ૨૬ જાય ને તેથી સમ્યક્રશ્રદ્ધા, ભલે આશંકા હોય, પોતાથી સમજાય, છતાં ના તાળો મળતો કોય. સગુરુ અર્થ - ચારિત્રમોહના કારણે તેનું થયેલું સમ્ય-શ્રદ્ધાન જાય નહીં. ભલે તત્ત્વનું વિશેષ સ્વરૂપ જાણવા તેને આશંકા થાય. “સમજવા માટે વિચાર કરી પૂછવું તે આશંકા કહેવાય.” મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આવું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યકત્વ જાય નહીં, અર્થાત્ તે પતિત હોય નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૫) પોતાથી વાત સમજાય પણ તે સૂક્ષ્મ વસ્તુઓને પૂરવાર કરવા માટે કોઈ તાળ બેસતો ન હોય એમ પણ બને છે. રશા સાચું જાણ્યું હોય છતાં જો, ભાવ યથાર્થ ન આવે, ત્યાં આશંકા-મોહ કહ્યો છે; કરી વિચાર શમાવે. સદ્દગુરુ અર્થ - ભગવંતે કહ્યું તેને સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ ભાસે નહીં તેને “આશંકા-મોહ' કહ્યો છે. તેને પણ વિચાર કરીને શમાવે કે આગળ ઉપર બધું સમજાશે. “સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ આવે નહીં તે પણ “આશંકા મોહનીય.” પોતાથી ન સમજાય તે પૂછવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૫) ૨૮ બહુશ્રુત સાધુ આદિ મળતાં પૂછી વિશેષ વિચારે; ખોટી પ્રતીતિથી અણસમજે દોષ દીચે ભવ હારે. સદ્ગુરુ અર્થ :- બહશ્રત એટલે ઘણા શાસ્ત્રોના જાણનાર એવા જ્ઞાનીપુરુષો આદિ મળતા તેમને પૂછી વિશેષ વિચાર કરીને સમાઘાન મેળવીશું એમ મનમાં રાખે. પણ ખોટી પ્રતીતિ કરી અણસમજણે સત્ય તત્ત્વોમાં દોષ જુએ તો તે આ મળેલ દુર્લભ મનુષ્યભવને હારી જાય છે અને અનંતાનુબંધી કષાયના ભાંગામાં પેસે છે. “આ તો આમ નહીં, આમ હશે” એવો જે ભાવ તે શંકા.” (વ.પૃ.૭૦૫) “ખોટી ભ્રાંતિ થાય તે શંકા. ખોટી પ્રતીતિ તે અનંતાનુબંઘીમાં સમાય.” (વ.પૃ.૭૦૬) રિલા હાલ મને સમજાય નહીં તે મંદ મતિ છે મારી, પણ સર્વજ્ઞ સત્ય કહ્યું છે; તે જ માન્યતા સારી. સગુરુ અર્થ :- હાલ મને સમજાતું નથી તે મારી મંદ બુદ્ધિના કારણે છે. પણ સર્વજ્ઞ પુરુષોએ તો સત્ય જ કહ્યું છે. તે જ માન્યતા રાખવી સારી છે અર્થાત તે જ જીવને કલ્યાણકારી છે. ૩૦ના
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy