________________
(૮૦) કર્મના નિયમો
૩ ૦ ૧
અર્થ - મુખથી કોળિયારૂપે લીઘેલ ભિન્ન ભિન્ન પ્રકારનું ભોજન, તે તેના નિયમ પ્રમાણે હાડકાં, લોહી, વીર્ય, માંસ, મજારૂપે બને છે. કા.
કોઈ ચીજ તનમાં ટકે ઘણો કાળ સુખકાર;
કોઈ અલ્પ બળ આપતી, ટકે નહીં બહુવાર. ૪૭ અર્થ - કોઈ મિષ્ટાન્ન વગેરે આહારના પુદગલ પરમાણુ શરીરમાં ઘણો કાળ સુધી ટકી રહે અને બળરૂપ સુખના કર્તા થાય. જ્યારે કોઈ ભાત જેવા અલ્પ બળવાળા પદાર્થો ઘણીવાર શરીરમાં ટકી શકે નહીં. ૪શા
ભાન નથી ભોજન વિષે રસ, બળ દેવા કાંઈ,
જે જે ગુણ જડ વસ્તુમાં તે દેખાતા આંહિ. ૪૮ અર્થ - ભોજનને કંઈ ભાન નથી કે મારે આટલો રસ કે આટલું બળ આપવું. પણ જે જે ગુણધર્મ તે તે ખાદ્યવસ્તુમાં રહ્યા છે તે પ્રમાણે તે બળ આપે છે. ૪૮.
તેમ જ કષાય-યોગથી પરમાણુ પકડાય;
આઠ કર્મફૅપ પરિણમે, ફળ દેનારાં થાય. ૪૯ અર્થ - તેવી રીતે મન વચનકાયાના યોગથી કર્મ પરમાણુ આવે છે અને કષાયભાવોવડે તે પકડાઈને આત્મા સાથે બંધાય છે. પછી આઠ કર્મની પ્રકૃતિરૂપે કર્મના નિયમો પ્રમાણે તે પરિણમી જાય છે અને અબાધાકાળ પૂરો થયે ઉદયમાં આવી સુખદુઃખરૂપે ફળના આપનાર થાય છે. એમ થવાનું શું કારણ હશે? ૪૯ાા.
નિમિત્ત-નૈમિત્તિકતા પરસ્પરે સમજાય;
જડમાં ભાન મળે નહીં; કોઈ ન ફળ દઈ જાય. ૫૦ અર્થ – તો આત્માના રાગદ્વેષરૂપ ભાવ નિમિત્તને પામી, નવીન પુદ્ગલ પરમાણુઓમાં આત્માના જ્ઞાનદર્શન આદિ ગુણો ઉપર આવરણ કરનારી શક્તિ પ્રગટે છે. એમ આત્મા અને કાર્મણ વર્ગણાઓ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જણાય છે. જડ એવા પુદ્ગલ પરમાણુને તો કંઈ ભાન નથી તેમજ કોઈ ફળ આપનાર ઈશ્વર પણ નથી. આપણા
બાંધેલાં કમોં રહે સત્તામાં જે વાર.
શુભાશુંભ જીંવ-ભાવથી ગ્રહે છે ફેરફાર. ૫૧ અર્થ :- પૂર્વે બાંધેલા કર્મો જ્યાં સુધી સત્તામાં રહે ત્યાં સુધી જીવના શુભાશુભ ભાવવડે તેમાં ઉત્કર્ષણ એટલે કર્મનું વળી જવું, અપકર્ષણ એટલે ઘટી જવું અને સંક્રમણ એટલે પાપના દલિયા પુણ્યરૂપ થઈ જવા એમ ફેરફાર કરી શકાય છે. પરા
સજાતિ પ્રકૃતિરૂપે કોઈ કોઈ પલટાય,
સ્થિતિ-અનુભાગ વધે, ઘટે; જીવ કરે તે થાય. પર અર્થ - કોઈ કોઈ કર્મ સજાતિ પ્રકૃતિઓમાં પલટો પામે છે. જેમકે જ્ઞાનાવરણીયાદિ કર્મ પ્રકૃતિનો સ્થિતિને અનુભાગ ઘટવાથી કે વઘવાથી તેમાં ફેરફાર થાય છે. જીવ તેમાં પોતાના શુભાશુભ ભાવ જેવાં