________________
૩ 0 0
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કહેવાય છે. તે કષાયના યોગથી થાય છે. કર્મ ઉદય આવ્યા પછી તેની ફળદાન શક્તિ અલ્પ હતી કે બહુ હતી તે જણાય છે. ૩૯ાા
અઘાતકર્મની પાપડ઼ેપ-ઘાતકર્મ સો પાપ
પ્રકૃતિમાં અનુભાગ અલ્પ, અલ્પ કષાયે માપ. ૪૦ અર્થ :- અઘાતી કર્મની પાપરૂપ સ્થિતિ છે. જ્યારે ઘાતકર્મ તો સર્વ પાપરૂપ જ છે. પાપ પ્રકૃતિમાં અલ્પ કષાય હોય તો અલ્પ ફળદાન શક્તિ પ્રગટે છે. I૪૦ાા.
બહુ કષાયે રસ બહું; પુણ્ય વિષે પણ ભિન્ન,
બહુ કષાયે અલ્પ રસ, બહુ રસ જો તે ક્ષીણ. ૪૧ અર્થ :- જીવના કષાયભાવ જો બળવાન હોય તો તેમાં ફળદાન શક્તિ પણ ઘણી હોય છે. જ્યારે પુણ્ય પ્રકૃતિ વિષે આનો પ્રકાર ભિન્ન જણાય છે. ઘણો કષાય હોય તો પુણ્ય ઘટતું જાય છે અને તીવ્ર કષાય હોય તો પુણ્યનો સર્વથા નાશ થાય છે. I૪૧ાા
ઉત્તમ મદિરા અલ્પ દે ઘણી કેફ બહુ કાળ;
અલ્પ કેફ, ચિર કાળ નહિ, બહુ મદિરા હીન ભાળ. ૪૨ અર્થ - ઉત્તમ કોટિની ગણાતી મદિરા એટલે દારૂ તે અલ્પ હોય તો પણ લાંબા કાળ સુધી ઘણો નશો ઉપજાવે છે. જ્યારે અલ્પ નશાવાળી ઘણી મદિરા પણ ચિરકાળ સુઘી નશો આપી શકે નહીં. કેમકે તેની શક્તિ (પાવર) હીન છે. ૪રા
તેમ કર્મ-પરમાણુ બહુ દે ફળ અલ્પ જ કાળ,
અલ્પ પરમાણુ દે બહું કાળ, ફળ બહુ ભાળ. ૪૩ અર્થ - તેમ મનવચનકાયાના યોગવડે કર્મના ઘણા પરમાણુઓ બંઘાયેલા હોય છતાં તેની ફળદાન શક્તિ અલ્પ હોય છે અને કષાયવડે બંધાયેલા અલ્પ પરમાણુ પણ ઘણી ફળદાન શક્તિ આપવા સમર્થ છે. II૪૩ાા
તેથી પ્રકૃતિ-પ્રદેશરૂપ યોગે જે જે બંઘ,
તે બળવાન ગણાય ના; બલિષ્ઠ કષાય-બંઘ. ૪૪ અર્થ :- તેથી મનવચનકાયાના યોગથી થતો પ્રદેશબંઘ કે પ્રતિબંધ બળવાન ગણાય નહીં; પણ કષાયથી થયેલો કર્મબંઘ જ બલિષ્ઠ એટલે બળવાન ગણાય છે. (૪૪
તેથી ભવ કરવા તણું કષાય કારણ મુખ્ય;
જેને ભવ હરવા હશે, થશે કષાય-વિમુખ. ૪૫ અર્થ :- તેથી સંસારમાં જીવને નવા નવા ભવ ઘારણ કરવાનું મુખ્ય કારણ તો કષાયભાવ છે. માટે જેને ભવનો નાશ કરવો હશે તે પુણ્યાત્મા કષાયથી વિમુખ થશે. પરમકૃપાળુદેવે પણ ઉપદેશછાયામાં જણાવ્યું છે કે : “કષાય ઘટે તેટલું કલ્યાણ.” II૪પાા
મુખથી ગ્રાસ વિષે લીધું ભોજન ભિન્ન પ્રકાર, હાડ, ઑદિર, વીર્યાદિરૃપ બને નિયમ અનુસાર. ૪૬