________________
(૮૦) કર્મના નિયમો
૨૯૯
અર્થ - ઘાન્ય ઊગવારૂપ સ્થિતિ તે ઉદયકાળ કહેવાય છે. અબાઘાકાળ પૂરો થયે ઉદયકાળ આવ્યા પછી જ્યાં સુધી તે કર્મની સ્થિતિ પૂરી ન થાય ત્યાં સુધી સમયે સમયે તે પ્રકૃતિનો ઉદય આવ્યા કરે છે અથવા તે સંબંધી કર્મ પરમાણુઓનો પ્રવાહ આવ્યા કરે છે.
આઠેય કર્મનો અબાધાકાળ નીચે પ્રમાણે છે – કર્મ પ્રકૃતિ
ઉત્કૃષ્ટ સ્થિતિબંઘ ઉત્કૃષ્ટ અબાઘાકાળ જ્ઞાનાવરણીયકર્મ ૩૦ કોડાકોડી સાગરોપમ ૩ હજાર વર્ષ દર્શનાવરણીયકર્મ વેદનીયકર્મ અંતરાયકર્મ ગોત્રકર્મ કર્મ ૨૦ કોડાકોડી સાગરોપમ ૨ હજાર વર્ષ નામકર્મ કર્મ મોહનીય કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમાં ૭ હજાર વર્ષ આયુષ્ય કર્મ ૩૩ સાગરોપમ
પૂર્વકોટવર્ષ-ત્રિભાગ અબાઘાકાળ દરમ્યાન કર્મોમાં ભાવાનુસાર ફેરફાર થઈ શકે છે. Il૩પા
સુર-મનુષ્ય-તિર્યંચના આયુ વણ સ્થિતિ જાણ
ઘાત-અઘાતી કર્મની કષાય-વેગ પ્રમાણ. ૩૬ અર્થ - દેવ, મનુષ્ય અને તિર્યંચની આયુષ્ય સ્થિતિ વિના બાકીના સર્વ ઘાતી-અઘાતી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ કષાયના વેગ ઉપર આધાર રાખે છે. ૩૬ના
અલ્ય કષાયે ટૂંક ને દીર્ઘ યદિ અતિ કષાય,
સ્થિતિ-મર્યાદા કર્મની એ રીતે બંઘાય. ૩૭ અર્થ - જ્યાં અલ્પ કષાય હોય ત્યાં કર્મનો સ્થિતિબંઘ ટૂંકો હોય છે અને તીવ્ર કષાયભાવ હોય તો કર્મનો સ્થિતિબંઘ લાંબો પડે છે. કર્મની સ્થિતિ અથવા મર્યાદા આ રીતે બંધાય છે. [૩ળા
સુર-નર-પશુ-આયુસ્થિતિ બહુ કષાયે અલ્પ,
અલ્પ કષાયે લાંબી તે; નિયમે શા વિકલ્પ? ૩૮ અર્થ - દેવ, મનુષ્ય અને પશુગતિની આયુષ્ય સ્થિતિ, બહુ કષાય હોય તો અલ્પ પડે છે અને અલ્પ કષાય હોય તો લાંબી પડે છે એવા કર્મના નિયમો છે, તેમાં શા વિકલ્પ કરવા?
જંગલમાં હરણને અલ્પ કષાય હોવાથી, બળદેવમુનિને રથકારક આહારદાન કરતાં જોઈ અનુમોદના કરતો હતો. તેવામાં ઉપરથી ડાળ પડી. ત્રણેયના દેહ છૂટી ગયા, અને અલ્પ કષાયના કારણે ત્રણેય પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. [૩૮ાા.
કર્મરસ અનુભાગ-બંઘ, કષાયયોગે થાય;
ઉદય આવ્યે અલ્પ-બહુ, બાંધ્યો તેમ જણાય. ૩૯ અર્થ - કર્મમાં રસ દેવાની શક્તિ અથવા ફળદાન શક્તિ તે અનુભાગ-બંઘ અથવા રસ-બંઘ