SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અઘાતિયાં કર્મો વિષે શુભ ઉપયોગે પુણ્ય, અશુભ યોગે પાપ-બંઘ, મિશ્રથી પુણ્યાપુણ્ય. ૨૯ અર્થ :- વેદનીયાદિ અઘાતીયા કમમાં શુભ ઉપયોગથી શાતાવેદનીયાદિ પુણ્ય પ્રકૃતિઓનો બંઘ થાય છે અને અશુભ ઉપયોગથી અશાતા વેદનીય આદિ પાપ પ્રકૃત્તિઓનો બંધ થાય છે. તથા શુભાશુભ ભાવના મિશ્રણથી કોઈ પુણ્ય અને કોઈ પાપ પ્રકૃતિનો જીવને બંઘ થાય છે. રા. યોગ-નિમિત્તે કર્મનો આસ્રવ આવો થાય, યોગે પ્રકૃતિ, પ્રદેશ બે બંઘ-પ્રકાર ગણાય. ૩૦ અર્થ - ઉપર પ્રમાણે મન વચનકાયાના યોગ નિમિત્તથી કર્મનો આસ્રવ એટલે આવવાપણું થાય છે. માટે યોગ છે તે આમ્રવના દ્વાર છે. યોગ દ્વારા ગ્રહણ કરાયેલા પુદ્ગલ પરમાણુઓનું નામ અહીં પ્રદેશ છે. તેઓ આત્મા સાથે મળી જુદી જુદી કર્મ પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે તેથી પ્રકૃતિબંઘ થયો. એમ મનવચનકાયાના યોગવડે પ્રદેશબંઘ અને પ્રકૃતિબંઘ થાય છે. માટે યોગથી બે પ્રકારે બંઘ થયો એમ ગણાય છે. ૩૦ના નામ કર્મ-પરમાણનું પ્રદેશ અહીં ગણાય, પ્રકૃતિ કર્મ-સ્વભાવરૃપ આઠ, અનંત મનાય. ૩૧ અર્થ :- યોગવડે જે કર્મ પરમાણુઓ આવ્યા તેનું નામ પ્રદેશ અહીં ગણાય છે. કર્મના સ્વભાવથી જોતાં તેની જ્ઞાનાવરણાદિ મુખ્ય આઠ પ્રકૃતિઓ છે તથા કર્મ પ્રમાણે જોતાં તેના અનંત પ્રકાર છે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” -શ્રીમદ્ રાજચંદ્ર /૩૧ના મિથ્યાત્વ, ક્રોઘાદિ થતા, મોહ-ઉદયથી ભાવ, કષાય નામ બઘાયનું; તેનો સુણો પ્રભાવ. ૩૨ અર્થ - મોહના ઉદયથી જીવને મિથ્યાત્વ અને ક્રોધાદિ કષાયના ભાવો થાય છે. એ સર્વનું સામાન્યપણે “કષાય' એવું નામ છે. એ કષાયનો હવે પ્રભાવ સાંભળો. ૩રા કષાયથી કર્મો વિષે સ્થિતિ, રસ બંઘાય; અમુક કાળ-અવઘિ, સ્થિતિ; બે ભેદ સમજાય. ૩૩ અર્થ - કષાય પ્રમાણે કર્મ પ્રવૃતિઓમાં સ્થિતિબંઘ અને રસબંઘ પડે છે. અમુક કાળની મર્યાદા તે સ્થિતિ કહેવાય છે. તેના અબાઘાકાળ અને ઉદયકાળ એમ બે ભેદ છે. ૩૩ અબાઘાફૅપ જે સ્થિતિ, વાવ્યા ઘાન્ય સમાન; જમીન નીચે પલળી રહે ઊગ્યા અગાઉ માન; ૩૪ અર્થ - અબાધારૂપ કર્મની જે સ્થિતિ છે તે વવાયેલા ઘાન્ય સમાન છે. જેમ ઘાન ઊગ્યા પહેલાં જમીનમાં નીચે પલળી રહે, તેના સમાન છે. તે તેનો અબાઘાકાળ છે. ૩૪ો. ઊગવારૂપ ઉદય-સ્થિતિ, તે પૂરી ના થાય ત્યાં સુઘી પરમાણુનો પ્રવાહ આવ્યો જાય. ૩૫
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy