________________
(૫૪) વૈતાલીય અધ્યયન
૩ ૭
એવા આત્મજ્ઞાની મુનિઓ શાસ્ત્ર કે તપ વગેરેનો મદ કેમ કરે? અર્થાત્ ન જ કરે. “પરનિંદા એ સબળ પાપ માનવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (રા.
ચક્રવર્તી હોય કોઈ જો, દાસ-દાસ જે સંયમી થયો,
તેને નમતાં ન લાજતો; સંયમી થયે ગર્વ સૌ ગયો. ૩ અર્થ - કોઈ ચક્રવર્તીએ દીક્ષા લીધી હોય. તેના પહેલા ચક્રવર્તીના દાસના દાસે પ્રથમ સંયમ ઘારણ કર્યો હોય તો તેને નમતા ચક્રવર્તી મનમાં લજ્જા પામતા નથી. કેમકે પોતે પણ હવે સંયમ ઘારણ કર્યો છે. તેથી ચક્રવર્તી અહંકાર ન રાખતા સર્વ પ્રત્યે સમભાવથી વર્તન કરે છે. તેવા
સામાયિક આદિ સંયમે મરણ સુર્થી ભવ્ય શુદ્ધતા ઘરે,
સમાધિ સહ કાળ જો કરે, તો મુનિ પંડિત જાણવા, ખરે!૪ અર્થ - મુનિ સામાયિક એટલે સમભાવ આદિ સંયમને મરણની છેલ્લી ઘડી સુધી શુદ્ધ રીતે પાળે અને સમાધિસહિત મરણ જો કરે તો તે મુનિ ખરેખરા પંડિત જાણવા. સા.
મોક્ષ-લક્ષી મુનિ નિર્મદ ભૈત, ભાવિ વિભાવો વિચારીને,
કટુ વચન, માર મૃત્યુના પરિષહો સહે શાંતિ ઘારીને. ૫ અર્થ - જેને મોક્ષરૂપી લક્ષ્મી મેળવવાનો લક્ષ છે એવા મુનિ નિર્મદ એટલે અહંકારરહિત વર્તન કરે છે. તે ભૂત અને ભવિષ્યકાળના વિભાવોના કટુ ફળો વિચારી કોઈ તેમને કડવા વચન કહે કે દંડ વગેરેથી માર મારે કે જીવથી પણ મારી નાખે તો પણ તે પરિષહોને શાંતિ ઘારણ કરીને સહન કરે છે. પાા
પ્રશ્નોત્તરમાં સમર્થ તે ક્રોઘાદિ ઑતી ઘર્મ બોઘતા,
પૂજે તો માન ના ઘરે, દુખ દે તો સમભાવ સેવતા. ૬ અર્થ - પ્રશ્નોના ઉત્તર આપવામાં સમર્થ એવા મુનિ સદા ક્રોધાદિ કષાયોને જીતી, સમતારૂપ ઘર્મનો ઉપદેશ આપે. તેમને કોઈ પૂછે તો ગર્વ ન કરે અને કોઈ દુઃખ આપે તો પણ સમભાવમાં જ સ્થિત રહે. પાકા
જનરંજન ઘર્મ ના ચહી, અપ્રતિબદ્ધ રહી જ સર્વથા,
નિર્મળ નર્દી જેમ દાખવે સર્વજ્ઞ-કથિત ઘર્મ તે સદા. ૭ અર્થ - લોકો જેથી રાજી રહે એવા થર્મને જે ઇચ્છે નહીં. કેમકે “જનમનરંજન ઘર્મનું, મૂલ્ય ન એક બદામ' મુનિ કોઈનો પ્રતિબંઘ રાખે નહીં. તે અપ્રતિબદ્ધ રહીને સદા વિચરે. નિર્મળ ગંગા નદીની જેમ હમેશાં સર્વજ્ઞ પ્રણિત શુદ્ધ ઘર્મનો જ પ્રકાશ કરે.' ગાળા
જગે જીંવો ભિન્ન ભિન્ન છે, સુખપ્રિય દુખવેષ દેખવા,
ઊઠ્યા જે સંયમી થવા, પાપવિરત પંડિત લેખવા. ૮ અર્થ - આ જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારના જીવો છે. કેમકે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, નારકી, તિર્યંચ, મનુષ્યાદિ અનંત પ્રાણીઓ નિવાસ કરે છે. તે બઘાને સુખ પ્રિય છે અને દુઃખ પ્રત્યે દ્વેષ છે. માટે સર્વને સમભાવથી દેખી, જે સંયમી થવા તૈયાર થયા તે સાધુપુરુષો સર્વ પ્રાણીઓની રક્ષા કરવા માટે પોતાની ઇન્દ્રિયોને જીતે અને પાપથી વિરક્ત થાય; તેને જ ખરા પંડિત પુરુષો જાણવા. IIટા