SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ફુરણા થાય તો શુભ ભાવમાં વૃત્તિને વાળે છે. તે સમયે શુભ રાગરૂપ સત્સાઘન જેવાં કે સન્શાસ્ત્રોનો સ્વાધ્યાય કે ઉપદેશ કરવો કે શાસ્ત્ર લખવા અથવા ભક્તિ આદિ શુભ કાર્યમાં પોતાની વૃત્તિને જોડે છે, જેથી વૃત્તિ અશુભમાં જાય નહીં. પ.પૂ. પ્રભુશ્રીજી કહે અશુભ ભાવ એ હજાર રૂપિયાના દંડ બરાબર છે. જ્યારે શુભ ભાવ એ એક રૂપિયાના દંડ સમાન છે. રા. શુદ્ધતાના ઘરે લક્ષ, ચહે રાગ ત્યાગવા રે, ચહે તીવ્ર કષાય ન થાય હિંસાદિ સાઘવા રે; હિંસાદિ. અસ્તિત્વ તેનું ન હોય ત્યારે મુનિ-પદ ઘરે રે, ત્યારે અશુભ ઉપયોગ ન તેથી મુનિ કદીએ કરે રે. મુનિ. ૨૧ અર્થ :- આત્મજ્ઞાની મહાત્માઓને સદૈવ શુદ્ધભાવમાં જવાનો લક્ષ રહે છે. તેઓ શુભ રાગને પણ ત્યાગવા ઇચ્છે છે. અશુભ રાગમાં તેમની પ્રવૃત્તિ નહીં હોવાથી હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહાદિ તીવ્ર કષાયભાવો તેમને થતા નથી. જ્યારે તીવ્ર કષાયભાવોનું અસ્તિત્વ ન હોય ત્યારે જ મુનિપદને ઘારણ કરે છે. તીવ્ર કષાયનો અભાવ હોવાથી મુનિઓ કદી પણ અશુભ ઉપયોગમાં જતા નથી પણ સ્વાધ્યાય ધ્યાનમાં સદા મગ્ન રહે છે. ર૧ાા. તનુસંસ્કાર ઇત્યાદિ વિક્રિયા રહિત તે રે, વિક્રિયા વનખંડાદિમાં વાસ પરીષહો સૌ જીંતે રે; પરી. મેંળગુણ અખંડિત પાળે, તપે તનુ અતિ દહે રે, તપે ધ્યાનમુદ્રા કદી ઘારી પ્રતિમાવત્ સ્થિર રહે રે. પ્રતિમા. ૨૨ અર્થ - તનુસંસ્કાર એટલે શરીર શણગાર ઇત્યાદિ વિક્રિયાથી મુનિઓ રહિત હોય છે. વનખંડેર કે ગુફાઓમાં વાસ કરી સર્વ પ્રકારના પરિષહોને જીતવા કટિબદ્ધ રહે છે. તેઓ સાધુના ૨૮ મૂળગુણોને અખંડપણે પાળે છે. તે આ પ્રકારે છે. ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૫ ઇન્દ્રિય જય, ૬ આવશ્યક (પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સ્તવન, વંદન, કાયોત્સર્ગ), અસ્નાન, અદંતધોવન, જમીન ઉપર શયન, નગ્ન રહેવું. એકવાર ભોજન, ઊભા ઊભા હાથમાં ભોજન કરવું; વાળનો લોચ કરવો. વળી તપવડે શરીરને અત્યંત કષ્ટ આપે છે. તે તપ બાર પ્રકારે છે. છ બાહ્ય—અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા તથા છ અંતરંગ તપ–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન છે. તેઓ કદી ધ્યાનમુદ્રાને ધારણ કરી પ્રતિમાવત્ સ્થિર પણ રહે છે. રજા તન મુનિઘર્મ-સહાયી ગણી ભિક્ષાર્થે ફરે રે, ગણી. આહાર, વિહાર, નિહાર નિયમિત તે કરે રે નિય છે રત્નત્રય દ્વિવિઘ ઉપાદેય સર્વને રે, ઉપાદેય. ચાર આરાઘના તુલ્ય જીતે ક્રોઘાદિને રે, જીતે૨૩ અર્થ :- મહાત્માઓ તનું એટલે શરીરને મુનિઘર્મમાં સહાયક ગણી તેને ટકાવવા ભિક્ષાર્થે ફરે છે. આહાર, વિહાર કે નિહાર તેઓ નિયમિત કરે છે. રત્નત્રયરૂપ ઘર્મ વિવિઘ એટલે બે પ્રકારે છે. એક વ્યવહાર રત્નત્રય અને બીજો નિશ્ચય રત્નત્રય ઘર્મ. તે સર્વ મુમુક્ષુઓને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય છે. તે મુનિ મહાત્માઓ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ ચાર પ્રકારે વ્યવહાર રત્નત્રયની આરાઘના, નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ માટે કરે છે. તથા તેના સમાન ચાર ક્રોધ, માન, માયા, લોભ
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy