SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર સાધુપણે તો સમાન હેતુ એક સર્વનો રે, હેતુ વીતરાગી, પરિગ્રહત્યાગી વળી ત્યાગ ગર્વનો રે, વળી ૧૭ હવે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતના સર્વ સામાન્ય ગુણોનું વર્ણન કરે છે. પછી ત્રણેયની જુદી જુદી યોગ્યતા વિષે જણાવશે. અર્થ – આ આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવંતના ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના સ્વરૂપ છે. તે સૂરિ એટલે આચાર્ય, પાઠક એટલે ઉપાધ્યાય અને મુનિ એટલે સાઘુ સ્વરૂપે ત્રણ નામની પદવીના ઘારક છે. પણ સાઘકપણે તો ત્રણેય સમાન છે. ત્રણેયનો હેતુ માત્ર પોતાના આત્માને કર્મમળથી સંપૂર્ણ શુદ્ધ કરી કેવળજ્ઞાન પ્રગટાવવાનો છે. ત્રણેય વીતરાગી, પરિગ્રહત્યાગી અને વળી ગર્વ એટલે અહંકારના પણ ત્યાગી છે. ।।૧૭ના પર વિષે અહંમમકાર તજી, અંતરંગમાં રે, - ત અનુભવે શુદ્ધ સ્વરૂપ રહી આત્મધ્યાનમાં રે; રહી પર વ્યાદિ જ્ઞાનમાં ભાસે તે જાણતા હૈ, ભાસે ઇષ્ટ અનિષ્ટ તે માની રાગાદિ ન આણતા રે. રાગાદિ ૧૮ ૧૮૧ અર્થ :હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે એવા અહંભાવ અને મમત્વભાવનો ત્યાગ કરી, આત્મધ્યાન વડે પોતાના અંતરંગમાં શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરે છે. તથા પુદ્દગલાદિ દ્રવ્યો જે પોતાના જ્ઞાનમાં ભાસે તેને માત્ર જાણે છે, દેખે છે પણ તેમાં ગમવા, અણગમવાપણું કરીને રાગદ્વેષાદિ ભાવોને મનમાં આવવા દેતા નથી. ।।૧૮।। હો તન સ્વસ્થ અસ્વસ્થ બાહ્ય નિમિત્ત ઘણાં રે, બાહ્ય તોપણ મુનિએ ન સુખદુખ કારણ તે ગણ્યાં રે, કારણ બાહ્યક્રિયામાં ન ફેર બને તેટલી કરે રે, બનેશુભક્રિયાની ન ખેંચ સહજ દશા ઘરે રે. સહજ ૧૯ અર્થ :– બાવીસ પરિષહ આદિ બહારના અનેક નિમિત્તોના કારણે શરીર સ્વસ્થ કે અસ્વસ્થ હો = તો પણ મુનિઓ તેને પોતાના સુખદુઃખના કારણ માનતા નથી. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતની બાહ્ય ક્રિયામાં ફરક નથી; તે સહજ રીતે જેટલી બને તેટલી કરે છે. તેમને શુભક્રિયા કરવાની ખેંચ હોતી નથી, કારણ કે તેઓ સહજ આત્મદશાના ધારક હોવાથી ઉદયાધીન વર્તન કરે છે; કોઈ ક્રિયા કરવાનો કર્તૃત્વભાવ તેમને હોતો નથી. ।।૧૯।। ઉપયોગ બહુ ન ભમાવે ઉદાસીનતા ઘરે રે, ઉદાસીન૦ વૃત્તિ નિશ્ચલ રાખવા નિશ્ચય આદરે રે; નિશ્ચયસ્ફુરે કષાય જો મંદ રહે શુભ ભાવમાં રે, રહે ત્યારે ઘરે શુભ રાગ સત્સાધન બાહ્યમાં રે. સત્સાઘન ૨૦ અર્થ :— તે મુનિ મહાત્માઓ પોતાના જ્ઞાનદર્શન ઉપયોગને બહુ ભમવા દેતા નથી; પણ ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ ધારણ કરીને રહે છે. કેમકે ઉપયોગ એ જ સાધના છે. ઉપયોગ એ જ ધર્મ છે. તેઓ પોતાની આત્મવૃત્તિને નિશ્ચલ એટલે સ્થિર રાખવા દૃઢ નિશ્ચયથી પ્રવર્તે છે. જો કર્મયોગે કષાયોની મંદ
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy