________________
(૬૬) વીરત્વ
૧ ૫૭.
શકાતો નથી. IIળા.
સમસ્ત લોક અવલોકી શકે તે કેમ ન આત્મા દેખે?
અવિદ્યા-મગર-મુખે સપડાયું ચિત્ત સ્વરૂપ ન પેખે. દજો. અર્થ - આત્માની અનંત શક્તિવડે સમસ્ત લોક જોઈ શકાય એવું આત્મામાં વીરત્વ છે. તો તેથી આત્મા કેમ ન જોઈ શકાય? પણ અવિદ્યા એટલે અજ્ઞાનરૂપ મગરમચ્છના મુખમાં સપડાયેલું એવું મન, તે સ્વસ્વરૂપને જાણી શકતું નથી. ટો
તાત્કાલિક રમણીય જણાતા વિષયો નીરસ અંતે,
જગમાં ઉત્તમ જ્યોતિ આત્મા તેને પણ તે વંચે. દેજો, અર્થ - તાત્કાલિક સુંદર જણાતાં એવા પાંચ ઇન્દ્રિયના વિષયો અંતમાં નીરસ છે. છતાં તે જગતમાં ઉત્તમ એવા સ્વયંજ્યોતિ સ્વરૂપ આત્માને પણ ઠગી જાય છે. III
જ્ઞાનનેત્ર હું ને પરમાત્મા; સ્વરૃપ-લાભને અર્થે -
ઘરી પરમ જિજ્ઞાસા નિશદિન યત્ન કરું પરમાર્થે. દેજો. અર્થ – હું દિવ્યદ્રષ્ટિવાળો દેવ છું અને નિશ્ચયનયે પરમાત્મા છું. તે મારા મૂળ સ્વરૂપને પામવા અર્થે પરમ જિજ્ઞાસા રાખી રાત-દિવસ તે પરમ સ્વરૂપને પામવા પુરુષાર્થ કરું. /૧૦ા.
શક્તિપણે કેવળજ્ઞાનાદિક અનંત ગુણ મારામાં,
પરમાત્મામાં વ્યક્ત બઘા તે; ભેદ શક્તિ-વ્યક્તિમાં. દેજો, અર્થ :- શક્તિપણે મારામાં કેવળજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આદિ અનંત ગુણો રહેલા છે. તે જ ગુણો પરમાત્મામાં બઘા વ્યક્તપણે છે. ભેદ માત્ર શક્તિ વ્યક્તિપણાનો છે. I/૧૧ના
ભવદવ પીડે ક્યાં સુધી આ? જ્યાં સુથી હું ના નાહ્યો,
જ્ઞાનસુથા-સાગરમાં પ્રીતે; મર્મ હવે સમજાયો. દેજો, અર્થ :- આ સંસારરૂપી દાવાનળ મને ક્યાં સુધી પીડા આપી શકે ? તો કે જ્યાં સુધી હું જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં પ્રીતિ ભક્તિપૂર્વક નાહ્યો નથી ત્યાં સુઘી. પણ હવે તે પીડાને દૂર કરવાનો મર્મ મને સમજાઈ ગયો. ./૧૨ા.
સુર, નર, નારક કે નહિ તિર્ય, પણ હું તો સિદ્ધાત્મા,
કર્મ-કપટ આ જાણી લીધું, બનું પ્રગટ પરમાત્મા. દેજો, અર્થ - હું દેવ, મનુષ્ય, નારકી કે પશુ નથી પણ હું તો સિદ્ધ પરમાત્મા જેવો છું. “સર્વ જીવ છે સિદ્ધ સમ.” એવો છું. આ બધી જીવની પર્યાય અવસ્થા તે કર્મનું કપટ છે, તે મેં જાણી લીધું. માટે હવે હું પણ મારા પરમાત્મસ્વરૂપને પ્રગટ કરીશ. /૧૩ી.
અનંત દર્શન-જ્ઞાન-વીર્ય હું પરમાનંદસ્વરૂપી;
કર્મરૂપ વિષ-વૃક્ષ મૂળથી નથી ઊંખડ્યું અદ્યાપિ! દેજો, અર્થ – હું મૂળસ્વરૂપે અનંત દર્શન, જ્ઞાન, સુખ અને વીર્યમય પરમાનંદ સ્વરૂપી છું. તો પણ અદ્યાપિ એટલે આજ દિવસ પર્યત મારું કર્મરૂપી ઝેરી ઝાડ મૂળમાંથી ઉખડ્યું નથી. ૧૪ll