________________
૧૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
III
આ મારું મન મરકટ જેવું છે. તે કામ વિના નવરું રહેતું નથી માટે આપના પદ કહેતા ચરણકમળમાં અવ એટલે હવે તેને રાખું. પાંચ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એ બધો પ્રપંચ છે. તેની આકુળતા એટલે ઇચ્છાઓની પીડાને ઓછી કાઢી હવે આત્મસ્વરૂપના સ્વાધીન સુખને હું ચાખું એવી મારી ઇચ્છા છે. માટે કૃપા કરી મને આપની સેવા આપજો. ૧ાા
અનંત ગુણ પંકજ-વિકાસી છતાં હું આમ ઠગાયો,
ભવ-અટવીમાં ભટક્યો પૂર્વે કર્મ-અરિથી તણાયો. દેજો અર્થ - મારો આત્મા અનંત ગુણરૂપી વિકસિત કમળવાળો હોવા છતાં હું વિષયોથી ઠગાઈ ગયો. તેના ફળ સ્વરૂપ ભવ-અટવી એટલે સંસારરૂપી જંગલમાં કર્મરૂપી શત્રુઓ દ્વારા ખેચાઈને લાવેલો એવો હું પૂર્વે બહુ દુઃખ પામ્યો. હવે મારું આત્મ વીરત્વ પ્રગટ થાય એવી કૃપા કરો. /રા
આત્મભ્રાંતિમાં વણ્યાં દોરડાં રાગ-દ્વેષરૃપ મોટાં,
તેનાથી બંઘાઈ કુટાયો, અનાદિ કેદ-દુખ ખોટાં. દેજો અર્થ :- દેહમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષરૂપ મોટા દોરડા જ વણ્યા છે. એ રાગદ્વેષના ભાવોથી કરોળીઆની જેમ હું પોતે જ કર્મોથી બંઘાઈને અનાદિકાળથી નરક નિગોદાદિમાં કે સ્થાવર, વિકલેન્દ્રિયમાં કેદ સમાન પડી રહી અનંત દુઃખને પામ્યો છે. હા
આજ રાગ-જ્વર નાશ થયો ને મોહનીંદ ગઈ ઊડી.
હણું ધ્યાન-તરવાર-ઘારથી કર્મ-અરિ-સંતતિ કુડી. દેજો, અર્થ :- આજે પુરુષના બોઘથી આ રાગરૂપી જ્વરનો નાશ થવાથી મોહરૂપી નિદ્રા ઊડી જઈ કિંઈક ભાન આવ્યું છે. માટે હવે આત્મવીરત્વને ફોરવી સહજાત્મસ્વરૂપ કે વિચારરૂપ ધ્યાનની તરવાર ઘારથી કૂડી એવી કર્મશત્રુની સંતતિ એટલે પરંપરાને હણું છું. જો
આત્મા માત્ર જ દેખું છું હું, તર્જી અજ્ઞાન-અંઘારું;
કર્મ-કાષ્ઠનો ઢગ બાળી દઉં, મહા પરાક્રમ મારું. દેજો, અર્થ :- હવે અજ્ઞાનરૂપ અંઘકારને દૂર કરી માત્ર આત્માને જ જોઉં તથા મારા આત્માના મહા પરાક્રમવડે કર્મરૂપી કાષ્ઠ એટલે લાકડાના ઢગલાને બાળી નાખું. પા.
પ્રબળ ધ્યાન વજે ક્ષય કરું હું પાપવૃક્ષનાં મૂળો,
તેથી પુનર્ભવ-ફળ-સંભવ નથી, ટળશે ભવદુખ-શૂળો. દેજો અર્થ – પ્રબળ આત્મધ્યાનરૂપ વજથી પાપવૃક્ષના મૂળને જ કાપી નાખ્યું. તેથી કર્મના ફળમાં ફરીથી ભવ ઘારણ કરવાનો સંભવ રહે નહીં. અને તેના ફળસ્વરૂપ સંસારના ત્રિવિઘ તાપરૂપ દુઃખોની શૂળોનો પણ નાશ થશે. IIકા
ભવ ભવ ચાલી આવી મૂછ અંઘાપો દે આંખે,
આત્મજ્ઞાનથી જોઈ શકાતો મોક્ષમાર્ગ ના દેખે. દેજો, અર્થ :- ભવોભવથી મોહમમત્વની મૂછ ચાલી આવે છે. જે સત્ય સ્વરૂપને જોવા માટે આંખે અંધાપો આપે છે. તે અજ્ઞાનરૂપ અંઘકારના કારણે આત્મજ્ઞાનથી જોઈ શકાતો એવો મોક્ષમાર્ગ પણ જોઈ