SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સમય માત્ર ના ક્લેશથી બચે, સતત વેદના કર્મથી રચે; સમજ જીવની સંત આપશે, કઠિન ક્લેશને તે જ કાપશે. ૪૨ અર્થ :- અજ્ઞાનના કારણે ચાર ગતિમાં દુઃખો ભોગવતાં તે જીવ સમય માત્ર પણ કષાયક્લેશથી બચતો નથી. અને નવા કર્મો બાંઘી સતત વેદનાને નવી ઊભી કરે છે. એવા જીવને પણ આત્માની સમજ સંત પુરુષો આપશે; અને કઠિન એવા કર્મક્લેશના કારણોને તે જ કાપી શકશે. દૃઢપ્રહારી કે અંજનચોર જેવા મહાપાપી જીવો પણ સંત સમાગમના યોગથી કર્મલ્લેશના કારણોને કાપી તે જ ભવે મુક્તિને પામી ગયા. ૪રા. પણ ન યોગ તે પાપને મળે, અહિતની રુચિ કેમ તો ટળે? પરમ પાપ આ ત્રીસ જે કહ્યાં, તર્જી ન જે શકે પાપથી ભય-૪૩ અર્થ - પણ એવા પાપી જીવોને સન્દુરુષનો યોગ મળે નહીં તો આત્માનું જેમાં અહિત છે એવા કામોની રુચિ તેની કેમ ટળી શકે? જેથી મહામોહનીયકર્મના ત્રીસ સ્થાનક કહ્યાં તેને તે પાપથી ભરેલો જીવ છોડી શકતો નથી. II૪૩. નહિ સુયોગને યોગ્ય તે બને, ભ્રમણનો નથી ત્રાસ તેમને; જીંવ-દયા ખરા ભાવથી ઉરે સુભગ જીવને પુણ્યથી હુરે. ૪૪ અર્થ - તેવા પાપી જીવો સપુરુષના યોગને પામે એવા યોગ્ય બનતા નથી. કેમકે તેમને સંસાર પરિભ્રમણનો ત્રાસ લાગતો નથી. પોતાના આત્માની દયા તો સાચા અંતરના ભાવથી કોઈ સુભાગ્યશાળી જીવને જ પુણ્યોદયે સ્કુરાયમાન થાય છે. //૪૪ો. વચન શાસ્ત્રનાં કે સુસંતના શ્રવણ થાય સત્સંગ-યોગમાં, તર્જી કુમાર્ગ એ ત્રીસ ભેદના, ભજ સુમાર્ગ જે ન્યાયનીતિના. ૪૫ અર્થ - સત્પરુષો કહે છે કે શાસ્ત્રના અથવા સપુરુષના વચનોને સત્સંગના યોગમાં સાંભળીને, કુમાર્ગમાં લઈ જનાર એવા આ મહામોહનીયકર્મના ત્રીસ ભેદને તજી દઈ જે ન્યાયનીતિના માર્ગથી યુક્ત છે એવા સન્માર્ગની ભજના કરજો અર્થાત્ તે માર્ગે જ ચાલજો. ૪પા સ્વપર-હિત જે ચિંતવે જનો સ્વકીય દ્રષ્ટિથી, ભૂલ ત્યાં ગણો; સ્વપર-ભેદ તો જ્ઞાન જાણતા, કરુણ ચિત્તથી ઉપદેશતા. ૪૬ અર્થ :- સ્વ કે પરનું હિત જે જીવો સ્વકીય એટલે પોતાની દ્રષ્ટિથી ચિંતવે છે તે જીવો ભૂલ ખાય છે. સ્વ કે પરનું કલ્યાણ શામાં છે તેનો ભેદ જ્ઞાની પુરુષો જાણે છે. તેઓ નિષ્કારણ કરુણાના ભાવથી બીજા જીવોને ઉપદેશ આપે છે. સવા સ્વરૅપ ઓળખે તે સ્વહિતનાં અચૅક સાઘનો આદરે ઘણાં, અફળ યત્ન સૌ તે તજે સદા, સકળ લોકને તે જ બોધતા. ૪૭ અર્થ - જે પોતાના સ્વરૂપને ઓળખે છે એવા જ્ઞાની પુરુષો, સ્વહિતઅર્થે અચૂક આત્મકલ્યાણના ઘણા સાઘનોને આદરે છે. અફળ એટલે નિરર્થક પુરુષાર્થનો સર્વથા ત્યાગ કરે છે અને સર્વ લોકોને પણ આત્મકલ્યાણમાં સહાયક એવા પુરુષાર્થનો જ બોઘ કરે છે. શા
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy