________________
(૬૨) મહામોહનીય સ્થાનક
૧૨૫
અર્થ :— ઉપર કહેલા મહામોહનીય કર્મના પચીસમા ભેદને સજ્જન પુરુષો ત્યાગશે અને દંભ એટલે ડોળ અથવા ઢોંગ ગણી તેનો અવશ્ય છેદ કરશે. હવે મહામોહનીય કર્મનો છવીસમો ભેદ કૃતજ્ઞીપણાનો છે. જે પુરુષ દ્વારા પોતાની ઇજ્જત, આબરું કે ધન દોલતની વૃદ્ધિ થઈ હોય તે પુરુષને જ માયા વડે ઘણો ઠગી તેનું ધનમાલ ચોરી લેવું તેવા જીવો મહામોહનીય કર્મનો બંધ કરે છે. ।।૩૬।
ઉદય-હેતુ જે શેઠ આદિને વિધન ભોગમાં આણનારને,
૫૨મ મોહનો બંઘ થાય તે ક્રમી એ સતાવીસમો બને. ૩૭
અર્થ :— જે શેઠ આદિના નિમિત્તથી પોતાના પુણ્યનો ઉદય થયો હોય, તેમના ભોગાદિકમાં અંતરાય કરવાથી મહામોઇનીય કર્મનો બંઘ થાય, તે ક્રમથી સત્તાવીસમો ભેદ ગણાય છે. શા વળી હણે ઉપાધ્યાય, નૃપને, નગરશેઠ, સેનાપતિ હણે;
મરણ ચિંતવે, ભ્રષ્ટ થાય તો ઠીક થશે ગણી બૂરું ભાવતો— ૩૮
અર્થ :— વળી કોઈ ઉપાધ્યાય, ૨ાજા, નગરશેઠ કે સેનાપતિને હણે અથવા તેમનું મરણ ચિંતવે અથવા તેઓ પદથી ભ્રષ્ટ થાય તો સારું એમ માની તેમનું બુરું ચિંતવનાર જીવ મહામોહનીય કર્મનો બંધ કરે. ॥૩૮॥
પરમ મોઠ અડ્ડાવીમો ઘરે, ‘સુર મળે મને, વાત તે કરે,'
જૂઠ ચલાર્વીને લોક છેતરે, ૫૨મ મોહ ઓગંત્રીમો થશે. ૩૯
અર્થ – ઉપર કહ્યા તે ભાવો મહામોઇનીય કર્મના અઠ્ઠાવીસમાં ભેદમાં ગણવામાં આવ્યા છે. મને તો દેવતાઓ આવીને મળે છે. મારી સાથે વાતો કરે છે. એમ જૂઠ ચલાવી ભોળા લોકોને છેતરે તે જીવ મહામોતનીય કર્મના ગણત્રીસમા સ્થાનકમાં ગણાય. ।।ઉલ્લા
વિષયવૃન્દ્વ દેવો, ન કામના, કહી કુબુદ્ધિથી લે અસાતના,
સમકિતી સુરો નિંદતાં થતો પરમ મોહનો બંધ ત્રીસમો, ૪૦
અર્થ :— પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત એવા દેવો શું કામના છે? એમ કુબુદ્ધિથી કહીને તેમની આશાતના કરે. સમ્યદૃષ્ટિ દેવો તો તીર્થંકર ભગવાનની ભક્તિ કરે, તેમનો ઉપદેશ સાંભળે. એવા સમ્યવૃષ્ટિ દેવોની નિંદા કરવાથી મહામોહનીય કર્મનો બંધ થાય. તેમની ગણત્રી મહામોહનીય કર્મના ત્રીસમા ભેદમાં ગણવામાં આવી છે. ।।૪વા
*
પરમ મોઠનો બંઘ આકરો, ન શિવ-માર્ગ દે પામવા ખરો, ભવ અનંત તે કર્મથી ભમે, મરણ-જન્મનાં દુઃખ સૌ ખમે, ૪૧
અર્થ :— આ દર્શનમહામોહરૂપ ત્રીસ મહામોહનીય સ્થાનકના કર્મનો બંધ ઘણો આકરો છે. આ કર્મ બંધ થવાના કારણોમાં તીવ્ર હિંસા, મહાન જૂઠ, પ્રપંચ, ચોરી, વ્યભિચાર, વિશ્વાસઘાત, મહામાયા કપટ, કૃતઘ્નપણું, ઘર્મમાં મતભેદ પાડી ધર્મતીર્થનો ભેદ કરવો આદિ મહાપાપના કારણો આ પાઠમાં બતાવ્યા. તેથી ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરોપમનો જીવને બંધ પડે છે. તે કર્મ બંધ જીવને સાચો મોક્ષમાર્ગ પામવા દે નહીં. આ કર્મથી જીવો અનંતભવ સુધી સંસારમાં ભમે છે અને જન્મમરણના અનંત દુઃખોને સહન કર્યા કરે છે. ।।૪।।