SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૨) મહામોહનીય સ્થાનક ૧૧૯ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને મારા ગુરુ ગણી તેમને હું વિધિસહિત ભાવપૂર્વક પ્રણામ કરું છું. આ સંસારમાં જીવોને ભટકવાનું કારણ મહામોહ છે. તે મહામોહને આપે મોક્ષ મેળવવાના હેતુએ ક્ષય કરી દીઘો. ૧ાા. ભવ અનેકમાં તે ભમાવતો, ભુલભુલામણીમાં રમાડતો, ભૃત સમાન એ દુષ્ટ ભાવમાં રમણતા કરાવે અભાનમાં. ૨ અર્થ – તે મહામોહ જીવોને અનેક ભવોમાં ભમાવે છે. સ્વસ્વરૂપને ભૂલાવી પરમાં સુખબુદ્ધિ કરાવી જીવોને તેમાંજ રમાડ્યા કરે છે. એ મોહ ભૂત જેવો છે. સ્વરૂપ અજ્ઞાનના કારણે આ મોહ, જીવોને રાગદ્વેષ, કામ, ક્રોધાદિ એવા દુષ્ટ ભાવોમાં રમણતા કરાવે છે. //રા ગણતરી કરી ત્રીસ ભેદની જિનવરે મહા-મોહનીયની : નદી, નવાણ એ વારિધિ વિષે ત્રસ ઍવો હણે ક્રૂર તે દસે. ૩ અર્થ - એ મહામોહનીય કર્મના જિનેશ્વર ભગવંતોએ ત્રીસ ભેદ ગણાવ્યા છે. તે આ પ્રમાણે છે : નદી, નવાણ એટલે તળાવ કે વારિધિ કહેતા સમુદ્ર આદિમાં રહેલ ત્રસ જીવોને હણનાર તે ક્રૂર જીવો ગણાય છે. ૩. પ્રથમ ભેદ એ–પેસ પાર્ટીમાં ઑવ ડૂબાડી દે વેરભાવમાં, કિર્તીય ભેદમાં મુખ બીડીને કર વડે હણે બોકડાદિને. ૪ અર્થ :- નદી તળાવ કે સમુદ્રના પાણીમાં રૌદ્રધ્યાનથી ત્રસ જીવોને હણવા કે વેરભાવથી જીવોને ડૂબાડી દેવા, એ મહા મોહનીય કર્મ બાંધવાનો પ્રથમ ભેદ ગણાય છે. - બીજા ભેદમાં પોતાના કર એટલે હાથે કરીને બોકડાદિનું મોઢું ઢાંકી, હૃદયને વિષે દુઃખ સહિત પોકાર કરતા એવા પ્રાણીઓને મારવાથી મહામોહનીય કર્મનો બંઘ થાય. ૪ તૃતીય ભેદમાં વીંટ વાઘરે શિર, ઍવો હણે; ક્રૂરતા ઘરે. શિર પરે કરી દુઃખદાયી ઘા વઘ, ચતુર્થ ભેદે, કરાય આ. ૫ અર્થ - ત્રીજા ભેદમાં વાઘર એટલે લીલાં ચામડાં આદિવડે મસ્તક વીંટીને જીવોને મારવા. એવી ક્રૂરતા કરવાથી મહામોહનીય કર્મ બંઘાય. ચોથા ભેદમાં મુગર કે ઘણ આદિવડે મસ્તકમાં ઘા કરી દુઃખ ઉપજાવી વધ કરે તેથી મહામોહનીય કર્મનો બંઘ થાય. //પા. બહુ જનો તણા નાથને હણે, મરણ ચિંતવે સ્વાર્થ-કારણે, ગણતરી વિષે ભેદ પાંચમો; “જિન કહે ખરું” ઉર એ રમો. ૬ અર્થ - ઘણા જીવોના સ્વામીને હણે. જેમ ઘર્માત્મા એવા ઉદયનરાજાને વિનયરત્ન શિષ્ય મારી નાખ્યો તેમ. અથવા પોતાના સ્વાર્થ કારણે બીજાનું મરણ ચિંતવે. જેમ શ્રેણિકનું રાજ્ય લેવા માટે તેના પુત્ર કોણિકે પિતાને કેદમાં નાખી દીઘા હતા. તેમ આ મહામોહનીય કર્મ બાંધવાનો પાંચમો ભેદ ગણાય છે. જિનેશ્વર ભગવંત આ બધું ખરું કહે છે એમ હૃદયમાં વાતને રમાવી દૃઢ કરો. કા. દીપ સમા મુનિ, બ્રહ્મચારીનો વઘ કરે ઍની, ઉપકારનો, કુ-શુકની ગણી દુષ્ટ કષ્ટદ ગુણ હણે, થયો ભેદ ષષ્ઠ જ. ૭
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy