SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - જીવાદિ તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ બતાવનાર દીપક સમાન એવા મુનિ, આચાર્ય, બ્રહ્મચારીનો વઘ કરવો અથવા પોતાના ઉપકારી પુરુષનો વઘ કરવો. જેમ પાલક મંત્રીએ પાંચસો સ્કંદકાચાર્યના શિષ્યોને ઘાણીમાં ઘાલી પીલી નાખ્યા તેમ. અથવા ગુણી એવા પુરુષો સામે મળે કુશુકન થયા એમ માનીને દુષ્ટ એવા પુરુષો તેમને કષ્ટ આપે. તે બઘા મહામોહનીય કર્મ બાંઘવાના છઠ્ઠા ભેદમાં ગણાય છે. શા. ગુણ ગુરુજનો પૂજ્ય સર્વને પીંડિત રોગથી ગ્લાન દેખીને, કુશળ શક્તિમાન્ દુષ્ટભાવથી વિનય-સેવના ચૂકતો યદિ- ૮ અર્થ - ગુણી એવા ગુરુજનો સર્વને પૂજ્ય છે. તેમને પીડિત કે રોગથી ગ્લાન જોઈને પોતે તે રોગ નિવારવામાં કુશળ અથવા શક્તિમાન હોવા છતાં પણ યદિ દુષ્ટભાવથી તેમની વિનય સેવા કરવાનું ચૂકતો હોય તો તે મહામોહનીય કર્મ બાંધે છે. દા. પુરુષ તે મહા-મોહ બાંઘતો અવગુણી, તણો ભેદ સાતમો; પરમથર્મમાં સ્થિત સાથુને વચનયુક્તિથી ભ્રષ્ટ છે કે અર્થ :- છતી શક્તિએ દુષ્ટભાવથી સેવા ન કરે તે અવગણીપુરુષ મહામોહનીય કર્મના સાતમા ભેદમાં ગણાય છે. પરમધર્મમાં સ્થિત એવા સાધુપુરુષને વચનયુક્તિવડે માર્ગમાં શંકા ઉત્પન્ન કરી કે બીજી રીતે ભ્રષ્ટ કરે તે મહામોહનીય કર્મ બાંધે. જેમ કુલવાલક મુનિને વેશ્યાએ પરમ શ્રાવિકા બની ભોજનમાં નેપાળો આપી તેમની સુશ્રુષા કરીને ભ્રષ્ટ કર્યા તેમ. Iો વળ કુયુક્તિથી ભ્રષ્ટ જે થતો, અથમ બેય તે, ભેદ આઠમો. જિન-અવર્ણવાદો કહે મુખે, પ્રરૂપતા જૈઠું જે જનો સુખે, ૧૦ અર્થ :- વળી એવી કુયુક્તિથી જે પુરુષો ભ્રષ્ટ થાય તે પણ મહામોહનીય કર્મ બાંધે. ભ્રષ્ટ કરનાર અને ભ્રષ્ટ થનાર બેય અઘમ છે. આ મહામોહનીય કર્મનો આઠમો ભેદ ગણાય. જેમ વેશ્યાએ કુળવાલક મુનિને ભ્રષ્ટ કર્યા અને મુનિ પણ તેથી ભ્રષ્ટ થયા માટે તે પણ અઘમની કોટીમાં આવી ગયા. જે જિનરાજના અવર્ણવાદ બોલે અર્થાત નિંદા કરે અથવા જે નિડરપણે જૂઠું બોલીને જિનમાર્ગથી વિપરીત પ્રરૂપણા કરે તે જીવો મહામોહનીય કર્મને બાંધનાર જાણવા. |૧૦ના નવમ ભેદ એ મોહનો મહા, સુલભ તેહને સત્ય ઘર્મ ના. સૅરિ, મુનિ, ઉપાધ્યાય નિંદતો કહીઃ ‘કુજાતિનો’ કે ‘કુ-કુલનો.” ૧૧ અર્થ :- જે જિનેશ્વર ભગવાનના અવર્ણવાદ બોલે કે તેમનાથી વિપરીત ઘર્મની પ્રરૂપણા કરે, તેમની ગણત્રી મહામોહનીય કર્મના નવમાં ભેદમાં કરવામાં આવી છે. તે જીવોને સત્ય ઘર્મની પ્રાપ્તિ સુલભ નથી. સૂરિ, મુનિ, ઉપાધ્યાયની એમ કહીને નિંદા કરે કે આ તો કુજાતિ એટલે નીચ જાતિનો છે અથવા કુ-કુલ અર્થાત્ નીચ કુલનો છે એવું બોલનાર મહામોહનીય કર્મ બાંધે. |૧૧ દશમ ભેદ એ નિંદનારનો; વિનય આદિ ના થાય તેમનો ગણ અગ્યારમો ભેદ મોહનો, ન કરતાં ગુણી-સેવના તણો. ૧૨ અર્થ:- ઉપરોક્ત પ્રકારે જાતિ કુલનું નામ લઈ નિંદા કરનારને મહામોહનીયકર્મના દશમા ભેદમાં
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy