SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વર્ષ સાતસો સુથી સહે રે સોળે રોગ મહાન, અનંત સમતા ઘારીને રે; કોણ મુમુક્ષ સમાન? સમતા અર્થ - અનંત સમતાને ઘારણ કરી સનતકુમાર મુનિએ સાતસો વર્ષ સુધી સોળ મહાન રોગોને સહન કર્યા. અહો! જગતમાં મુમુક્ષ સમાન બીજો કોણ છે? જે આટલા કાળ સુઘી ભયંકર રોગોને સહન કરી શકે? IT૩૩ આર્ય સ્કંદક-હાડ જો રે તપથી શુષ્ક શરીર, ચાલે કે ખડખડ થતાં રે સમતામાં શૂરવીર. સમતા અર્થ – સ્કંદમુનિનું શરીર તપથી એવું સુકાઈ ગયું કે તે ચાલે ત્યારે હાડકાં ખડખડ થાય છતાં પોતે શુરવીર બનીને સમતાભાવે બધું સહન કર્યું. ૩૪ દેહ-દશા તેવી કરી રે, વર્તે દેહાતીત, રાજચંદ્ર આ કાળમાં રે સમતા-ચોગ સહિત. સમતા અર્થ - તેમ આ પંચમકાળમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ પોતાના દેહની દશા એવી કરી છે અને પોતે દેહાતીત એટલે દેહથી જુદા થઈને વર્તન કરે છે. કારણ કે તેમના મન વચન કાયાના યોગ સમભાવયુક્ત છે. રૂપાણી ત્રિલોક-જય કરતાં અધિક રે કઠિન કાર્ય જણાય, એક સમયન અસંગતા રે; સમતા તે જ ગણાય. સમતા અર્થ :- ત્રણે લોકનો જય કરવા કરતાં પણ એક સમય અસંગ રહેવું તે અધિક કઠિન કાર્ય છે. તે જ ખરી સમતા ગણાય છે. “એક સમયે પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.” (વ.પૃ.૨૬૯) ૩૬ાા તેવી ઘરે અસંગતા રે, ત્રિકાળ તે ભગવંત, સર્વોત્તમ આશ્ચર્ય તે રે, અનંત સમતાવંત. સમતા. અર્થ - અનંત સમતાના ઘારી એવા ભગવંત ત્રણે કાળ એવી અસંગતાને ધારણ કરીને રહે છે. એ સર્વોત્તમ આશ્ચર્ય છે. ૩ળા. આત્માથે મુનિ વર્તતા રે, સમતા રસ રેવંત, તેની સમીપ સિંહાદિની રે ક્રૂરતા પામે અંત! સમતા અર્થ - આત્માના કલ્યાણ અર્થે એવા સમતારસમાં કેલી કરતાં મુનિ મહાત્માઓ વર્તે છે. તેમના સમીપ સિંહ આદિ પ્રાણીઓની ક્રૂરતા પણ નષ્ટ થઈ જાય છે. પરમકૃપાળુદેવ ઈડરના પહાડોમાં ધ્યાન કરતા ત્યારે જંગલી પ્રાણી તેમની સમીપ આવી બેસે. તીર્થકરોની સભામાં સિંહ અને હરણ આદિ પ્રાણીઓ સમીપ આવી બેસે. પણ ભગવાનના પ્રભાવે પરસ્પર વૈરભાવ ભૂલી જાય છે. ||૩૮ાા મત્સર તર્જી મૈત્રી ભજે રે પ્રાણી પરસ્પર કેમ? સમભાવી મુનિ-તેજથી રે કષાય શમતા એમ. સમતા. અર્થ - તે પ્રાણીઓ મત્સર એટલે દ્વેષભાવ તજી પરસ્પર મૈત્રી ભાવને કેમ ભજે છે? તો કે
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy