SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) મહાત્માઓની અનંત સમતા ૫ ૯ અર્થ :- સ્કંદક મુનિના પાંચસો શિષ્યોને શેરડીની જેમ પાલક મંત્રીએ ઘાણીમાં પીલી નાખ્યા. હાડકાના ચૂરેચૂરા થઈ ગયા. સર્વોપરી એવા મરણાંત સંકટને સહન કર્યા પણ ક્ષેમ એટલે સુખશાંતિને આપનારી એવી સમતાનો ત્યાગ કર્યો નહીં. જેના ફળમાં સર્વે મોક્ષપદને પામ્યા. પારકા પાંડવ પણ પરિષહ સહે રે, સમતા ઘરી અનંત, તસ બૅષણ જે લોહનાં રે સગો ય દહંત. સમતા અર્થ - પાંચ પાંડવોએ પણ અનંત સમતા ઘારણ કરીને બળવાન પરિષહ અંતે સહન કર્યો. દૂર્યોધનના ભાણેજે આવી લોખંડના આભૂષણો અગ્નિમાં તપાવીને લાલચોળ કરી બઘાને સર્વ અંગોમાં પહેરાવી દીધા. સર્વ અંગો બળવા લાગ્યા છતાં સમતા ઘારણ કરીને પોતાનું કલ્યાણ સાધ્યું. રા. મહાવીર તીર્થકરે રે ઘરી ઘૂરજ ને ખંત, સહ્યા અસહ્ય પરીષહો રે, જાણે સઘળા સંત. સમતા. અર્થ - તીર્થકર એવા મહાવીર ભગવાને અખૂટ ધીરજ અને ખંત એટલે ઉત્સાહ ઘારણ કરીને અસહ્ય પરિષહોને સહન કર્યા. જેને સર્વ સંતપુરુષો જાણે છે. ૨૮ સંગમ નિત્યે પીડતો રે રૂપ ઘરી વિકરાળ, વજ-સૂચિ સમ કીડીઓ રે તન વધે બહુ કાળ. સમતા. અર્થ - સંગમ દેવતાએ ભગવાન મહાવીરને, નિત્ય વિકરાળરૂપ ધારણ કરીને ઘણી પીડા આપી. વજ જેવી સૂચિ એટલે સોય સમાન કીડીઓનું રૂપ ધારણ કરી ભગવાનના શરીરને ઘણા કાળ સુઘી વીંધ્યું છતાં ભગવાન સમભાવમાં જ સ્થિત રહ્યા. મારા ખીલા ઠોક્યા કાનમાં રે, વળી ઉપસર્ગ અનાર્ય, અનંત સમતા ઘરી કર્યા રે, કેવાં અપૂર્વ કાર્ય!સમતા અર્થ - ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોક્યા. અનાર્ય લોકોએ ભગવાન પાછળ શિકારી કૂતરાઓ છોડી ઉપસર્ગ કર્યા. છતાં અનંત સમતાભાવ ઘારણ કરીને ભગવાને કેવા અપૂર્વ કાર્ય કર્યા અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટાવ્યું. ૩૦. ચક્રવર્તી-સુખ જો તજે રે, સનત્કુમાર મહંત, લબ્ધિ છતાં રોગો મહા રે સહે મહા રૃપવંત. સમતા અર્થ :- સનતકુમાર ચક્રવર્તી હોવા છતાં પોતાના સર્વ વૈભવને ત્યાગી મહાત્મા બન્યા. અનેક લબ્ધિઓ પાસે હોવા છતાં તે મહારૂપવંતે મહાન રોગોની પીડા સહન કરી. ૩૧ાા દેવ દવા કરવા ચહે રે ત્યાં બોલ્યા મુનિભૂપ કર્મ-રોગ ટાળી શકો રે?” દેવ રહ્યા ત્યાં ચૂપ. સમતા અર્થ - દેવે વૈદ્યનું રૂપ લઈ સનકુમાર ચક્રવર્તી જે મુનિ બન્યા છે તેમને કહ્યું કે આ તમારા રોગની દવા કરી દઉં. ત્યારે સનતકુમાર મુનિ કહે–આ મારો કર્મરોગ ટાળી શકો છો? ત્યારે દેવ પણ ચૂપ થઈ ગયા. ||૩રા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy