SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અર્થ :— જેમ ખેલતા અવસર આવ્યે ‘સર’નું એટલે હુકમનું પત્તું નાખવાનું હોય તેમ વય પરિપક્વ - થઈ જાય અર્થાત્ વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે ઘર્મનું આરાધન અવશ્ય કરીશું. ૧૦૭ના મળે મિત્ર બહુ દિવસે, તેમ યુવાવય આવી રે, ઘટતો આદર આપવો, યોગ્ય ભાવ ઉર લાવી રે. પ્રભુ ૪૬૬ અર્થ :— જેમ ઘણા દિવસે મિત્રનો મેળાપ થાય તેમ આ યુવાવય આવી છે તો તેને ઘટતો આદર આપવો જોઈએ અર્થાત્ તેનો ઉપયોગ કરવો જોઈએ અને ઘર્મ આરાઘવા યોગ્ય છે એવો ભાવ પણ હૃદયમાં રાખવો જોઈએ. ।।૧૦૮।। વીણા વાગતી હોય ત્યાં, વેદોચ્ચાર ન છાજે રે, તેમ તમે ઘો બૌઘ તે, લાગે મુજને આજે રે, પ્રભુ અર્થ :– જ્યારે ગાનતાન અર્થે વીણા વાગતી હોય તે વખતે વેદોચ્ચાર એટલે ધર્મનો ઉપદેશ કરવો = તે શોભાને પામતો નથી; તેમ આજે અયોગ્ય અવસરે યુવાવયમાં ધર્મનો બોધ કરો છો તે પણ મને તેવો લાગે છે. ।।૧૯। સુધર્મ-ફળ સુર-લોક તે, લાગે સંશયવાળું રે, પ્રત્યક્ષ સુખ નિષેષતા આપે શું હિત ભાળ્યું રે?' પ્રભુ પરમ ઉપકારી રે. : અર્થ :— વળી મહારાજા કહે : સદ્ઘર્મનું ફળ દેવલોક છે તે મને સંદેશવાળું લાગે છે. તથા પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલ આ સુખનો તમે નિષેધ કરો છો, તો તેમાં તમે મારું એમાં શું હિત ભાળ્યું? એ વાતનો સ્પષ્ટતાથી ખુલાસો કરો. ।।૧૧૦।। (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ રાચીન તારા તૃષ્ટિમાં, મનમોહન કેર) * સ્વયંબુદ્ઘ મંત્રી કહે : “ખરી વાત સુણાવું,” નમી નૃપ સન્મુખ રે; “ખરી વાત સુણાવું; સત્ય ધર્મનાં ફળ વિષે, ખરી વાત સુણાવું; શંકા ટાળે સુખ રે, ખરી વાત સુણાવું, અર્થ :– રાજાના વચનો સાંભળી સ્વયંબુદ્ધે મંત્રી અંજલિ જોડી કહેવા લાગ્યાઃ રાજનું ! સત્ય ધર્મના ફળ વિષેની શંકા ટળવાથી સુખ થશે એ વિષે હું આપને ખરી વાત સુણાવું છું. તે આપ સાંભળો. ૧|| ।
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy