SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૬૫ માયારૂપ અસત્ય સૌ, જો માનો એકાને રે, લગ્ન આદિ મહોત્સવે કે અકાળ પ્રાણાંત રે- પ્રભુ અર્થ :- આ જગત સર્વ માયારૂપ છે. અસત્ય એટલે મિથ્યા છે; એમ તમે એકાંતે માનો છો. તો પછી લગ્ન મહોત્સવમાં હર્ષ કે અકાળ મરણમાં શોક શા માટે કરો છો? II૧૦૦ગા. ગીત, વિલાપની યોગ્યતા, શાને મનમાં આણો રે? કેમ સભ્યતા સાચવો? સારું કેમ વખાણો રે? પ્રભુત્વ અર્થ - કોઈના લગ્ન સમયે ગીત ગાઓ છો, અને કોઈના મરણ સમયે વિલાપ કરો છો, આવું શા માટે મનમાં આણો છો? કેમકે તમારી દ્રષ્ટિએ તો આખું જગત માયારૂપ હોવાથી મિથ્યા છે. તો દરેક સ્થાને કેમ સભ્યતા જાળવો છો? અને સારા કામને કેમ વખાણો છો? ૧૦૧ના સ્વપ સમાન જ જો બધું, તો નહિ તું, હું, સ્વામી રે; શબ્દો પણ મિથ્યા કર્યા બોલ્યા તે મૂર્ખામી રે. પ્રભુત્વ અર્થ - સ્વપ્ર સમાન જ જો બધું મિથ્યા છે, તો હું સેવક અને તમે સ્વામી કેમ હોઈ શકો? આ શબ્દો બોલ્યા તે પણ મિથ્યા ઠર્યા. વળી સ્વપ્ના જેવી વાતો કરી તે પણ મૂર્ખાઈ જેવી ઠરી. ૧૦૨ાા કુશળ વિતંડાવાદીઓ, વિષય-ગુલામી પોષે રે, પરાક્ષુખ શુભ ભાવથી રહી, અરે! શું જોશે રે? પ્રભુ અર્થ :- આ વિતંડાવાદીઓ એટલે માત્ર સામા પક્ષનું ખંડન કરવામાં કુશળ એવાં આ પંડિતો જે પોતે ઇન્દ્રિય વિષયના ગુલામ બની તેને જ પોષનારા છે તથા શુભ ભાવથી પરામુખ એટલે વિમુખ રહેનારા એવા તે, અરે ! શું સત્યને નિહાળી શકે? ||૧૦૩. મહારાજને વીનવું, સુઘર્મ-આશ્રય લેવા રે, વિવેકના અવલંબને, વિષયો છોડી દેવા રે.” પ્રભુ અર્થ - માટે મહારાજને વિવેકનું અવલંબન ગ્રહણ કરી, પરિણામે દુઃખરૂપ એવા વિષયોને છોડી દઈ, આ લોક પરલોકના સુખાર્થે સઘર્મનો આશ્રય ગ્રહણ કરવા હું વિનયપૂર્વક વિનંતિ કરું છું. IT૧૦૪ ચર્ચા મંત્રીઓ તણી સુણ નૃપ રાજી થાતા રે, કહે પ્રસન્ન મુખે હવેઃ “સ્વયંબુદ્ધ, હે! ભ્રાતા રે. પ્રભુ અર્થ - મંત્રીઓના જુદા જુદા ભાષણો સાંભળીને રાજા બહુ ખુશી થયા. અને પ્રસન્ન મુખે હવે કહેવા લાગ્યા : હે સ્વયંબુદ્ધ, તું મારા ભાઈ જેવો છું. /૧૦પા ઘણું સારું તમે કહ્યું, “ઘર્મ-કાર્ય કરવાનું રે,” ષી નથી હું ઘર્મનો, અંતે ત્યાં ઠરવાનું રે. પ્રભુ અર્થ - હે મહાબુદ્ધિ સ્વયંબુદ્ધ! તમે મને ઘણું સારું કહ્યું. મારે પણ ઘર્મ કાર્ય કરવાનું છે. હું પણ કિંઈ ઘર્મનો દ્વેષી નથી. અંતે તો ત્યાં જ ઠરવાનું છે કેમકે ત્યાં જ ખરી શાંતિ છે. ||૧૦૬ના અવસર આવ્યું નાખવું પડુ ‘સર’નું તાકી રે, તેમ ઘર્મ આરાઘીશું, દેખીને વય પાકી રે. પ્રભુ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy