SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩૬૩ અર્થ :– ત્યારે આપણે તેમની બે કુંવરીઓ હતી. તારું નામ ઘનશ્રી હતું અને મારું નામ અનંતશ્રી હતું. તથા નંદનિગરી નામના આપણા ગુરુ હતા. II૩૮।। વ્રતો બોધ સુણી લીધાં; વિદ્યાઘર હરી જાતાં રે, વિદ્યાધરીને દેખતાં, વેણુવનમાં નાખ્યાં ૨. ૩૯ અર્થ :– આપણે શ્રીગુરુ પાસે બોધ સાંભળીને શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યાં હતા. એકવાર વીરાંગ નામનો એક યુવાન વિદ્યાધર આપણને હરી ગયો. પણ શુભાશયવાળી પોતાની સ્ત્રી વજશ્યામલિકાને જોતાં તેણે આપણને વેણુવનમાં નાખી દીધા. ।।૩૯ના સંન્યાસે મરી આપણે સ્વર્ગે ઊપજ્યાં જ્યારે રે ધૃતિષેણ મુનિને પૂંછ્યું : ‘મોક્ષ થશે અમ ક્યારે રે?’’ ૪૦ અર્થ :– ત્યાં મરણાંત આપત્તિ જાણીને અનશનવ્રત લઈ મંત્રના ધ્યાનપૂર્વક સંન્યાસ મરણ કરી હું સૌધર્મ દેવલોકના ઇન્દ્રની અગ્રમહિષી થઈ અને તું ઘનશ્રી કુબેર લોકપાલની મુખ્ય દેવી થઈ. ત્યાંથી નદીશ્વર દ્વીપ વગેરે તીર્થોની યાત્રા કરતાં ધૃતિષેણ મુનિને પૂછ્યું કે હે પ્રભુ! અમારો મોક્ષ ક્યારે થશે? ।।૪૦।। ‘ભવ ચોથે ભવ છેદશો’, કહ્યું હતું; છે સ્મૃતિ રે? દુર્લભ નરભવ પાર્ટી તું; વાત કરી મેં વીતી રે.’ ૪૧ અર્થ – ત્યારે તેમણે કહ્યું હતું કે ચોથા ભવમાં તમે સંસારનો છેદ કરશો. તેની તને સ્મૃતિ છે? હવે તું દેવતાને દુર્લભ એવા મનુષ્યજન્મને પામી છું. માટે આપણા જીવનમાં વીતેલી આ વાત તને જણાવી છે. ।।૪૧।। જાતિ-સ્મૃતિ ઊપજી, સુમતિ મૂર્છા છોડે રે, દેવી તો ચાલી ગઈ; સૌ સામે કર જોડે ૨ે ૪૨ અર્થ :— આ સાંભળી સુમતિને જાતિ-સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. જેથી જાણે સંસારનો ભય લાગવાથી મૂર્છિત થઈ પૃથ્વી પર પડી ગઈ. પછી ચંદનના જળ અને પંખાના પવનથી તે સુમતિની મૂર્છા દૂર થઈ. દેવી તો વિમાનમાં બેસી આકાશમાર્ગે સ્વર્ગમાં ગઈ. હવે સર્વની સામે હાથ જોડીને સુમતિ કહેવા લાગી. ।।૪૨। “હે નરપતિ, સૌ આવિયા મુજ કાજે, પણ મારે રે, દીક્ષા લેવા ભાવ છે, દુઃખ લાગ્યું છે ભારે રે. ૪૩ અર્થ :— હે સર્વ કુલીન રાજાઓ! તમે સૌ મારા માટે આવ્યા છો. પણ મને જાતિસ્મરણજ્ઞાન થયું છે. મને આ સંસાર હવે ભયંકર દુઃખમય ભાસ્યો છે માટે મારે હવે દીક્ષા લેવાના ભાવ છે. ।।૪૩।। આજ્ઞા આપો સર્વ તો ભગવર્તી દીક્ષા ઘારું રે, ભવવ્યાધિની ઔષધિ કરી, કો સંહારું રે.” ૪૪ અર્થ – હું તમને પ્રાર્થના કરું છે કે તમે સર્વ મને ભગવતી દીક્ષા લેવાની આજ્ઞા આપો તો હું દીક્ષા ગ્રહણ કરું. જે વડે સંસારરૂપ વ્યાધિની ઔષધી કરી મારા સર્વ કર્મોનો સંહાર કરું. ૪૪॥ ‘તથાસ્તુ’ કહી હર્ષથી સર્વે આશા દેતા રે, અનુમોદન સુધર્મનું કરી પુણ્ય-ફળ લેતા રે. ૪૫
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy