SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧૨૭ ચરણ સંતના, મોક્ષ-સાધના; હૃદયમાં રહો એ જ યાચના, સુદિન તે ગણું એ જ વાસના, રટણ તે કરું અન્ય આશ ના.૪૮ અર્થ - પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે સંતપુરુષના ચરણ એટલે આજ્ઞાને ઉઠાવવી એ જ મોક્ષ મેળવવાની ખરી સાધના છે. માટે તેમની આજ્ઞા મારા હૃદયમાં સદા વાસ કરીને રહો, એ જ મારી પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. અને તે દિવસને જ હું ઘન્ય ગણીશ. તે સત્પરુષના શુદ્ધ સ્વરૂપનું હું રટણ કર્યા કરું એ જ મારી વાસના અર્થાત્ અભિલાષા છે. તે સિવાય મને બીજી કોઈ વસ્તુની ઇચ્છા નથી. ૪૮ાા અનંત સંસાર રઝળાવનાર એવા મહામોહનીયકર્મના ત્રીસ સ્થાનકોને તજી દઈ, તીર્થંકર પદની સમ્યકપ્રકારે પ્રાપ્તિ થાય એવા વીસ સ્થાનકોની આત્માર્થી જીવે સમ્યક્દર્શન સહિત ઉત્કૃષ્ટ આરાધના કરવી જોઈએ જેથી આ મળેલ દુર્લભ માનવદેહ સફળ થાય. તે તીર્થકરપદ પ્રાપ્તિના વીસ સ્થાનકો કયા કયા છે તે આ પાઠમાં જણાવવામાં આવે છે - (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિસ્થાનક (વસંતતિલકા) શ્રી તીર્થનાથ હૃદયે ઘરીને વે , તેની જ દ્રષ્ટિ થકી જે જગને જુએ છે; તેની જ વાણી સુણી, જે સમજાવનારા, શ્રી રાજચંદ્ર ગુરુ પૂજ્ય સદાય મારા. ૧ અર્થ – શ્રી તીર્થનાથ એટલે જેથી તરાય તે તીર્થ; એવા તીર્થની સ્થાપના કરનાર ભગવાન તીર્થકર. તેના શુદ્ધ સ્વરૂપને હૃદયમાં ઘારણ કરીને જે જીવે છે, જે ભગવાનની વીતરાગતાને પામી સમ્યકુદ્રષ્ટિ વડે જ જગતના સર્વ જડ ચેતન પદાર્થોને જુએ છે. જે ભગવાન તીર્થકર મહાવીર સ્વામીની વાણી સાંભળીને તે પ્રમાણે જગતવાસી જીવોને તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ સમજાવનારા છે એવા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંત મારા હૃદયમાં સદાય પૂજનીય સ્થાને બિરાજે છે. [૧] વાણી રસાલ અનુભૂતિ-રસે ભરેલી, મધ્યસ્થ ભાવ-મથુરા રવમાં રહેલી; નિષ્પક પંકજ સમા જગજીવ કાજે, શ્રી રાજવાણી રવિતેજ સમી વિરાજે. ૨ અર્થ :- જેની વાણી આત્મઅનુભવરૂપ રસથી ભરેલી હોવાથી રસાલ અર્થાતુ રસ ઉત્પન્ન કરે એવી છે. તે વાણી સ્યાદ્વાદથી યુક્ત હોવાથી મતમતાંતરમાં મધ્યસ્થ ભાવવાળી તથા મધુર કહેતા મનને ગમે એવા રવ એટલે અવાજમાં ગ્રંથિત થયેલી છે અર્થાત્ જેની લખવાની કે બોલવાની ભાષા શૈલી ઘણી જ સુંદર છે. પંક એટલે કાદવ. તેમાંથી જન્મેલ તે પંકજ અર્થાત્ કમળ. જેનું મૂળ કાદવમાં રહેતા છતાં પણ કમળ સ્વયં નિષ્પક અર્થાત્ કાદવરહિત જળમાં નિર્મળપણે રહે છે. તેમ શ્રી રાજપ્રભુ મોહમય જગતમાં રહેતા છતાં પણ જળકમળવત નિર્મળતાને ભજે છે. એવી શ્રી રાજપ્રભુની વાણી તે રવિ એટલે સૂર્યના તેજ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy