SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અને ૫. કેવળજ્ઞાનાવરણની મળીને પાંચ, તથા ૧. દાન, ૨. લાભ, ૩. ભોગ, ૪. ઉપભોગ અને ૫. વર્યાન્તરાયની મળીને પાંચ તેમજ ૧. ચક્ષુ, ૨. અચક્ષુ, ૩. અવઘિ અને ૪. કેવળ દર્શનાવરણની મળીને ચાર, એમ કુલ ચૌદ ઘાતકર્મની પ્રવૃતિઓ જવાથી બારમાં ગુણસ્થાનની ૫૫ પ્રકૃતિઓમાંથી આ ૧૪ બાદ કરતાં ૪૧ પ્રકૃતિઓનો ઉદય અત્રે શેષ રહે છે. ૨૧ાા જિન-નામ-ઉદય હોય બેંતાળીસ તેરમે હો લાલ બેંતા, અગુરુલઘુ-રૂપ-ચતુષ્ક, પ્રથમ સંહનન એ. હો લાલ પ્ર૨૨ અર્થ :- ઉપરોક્ત ૪૧ પ્રકૃતિઓમાં આ તેરમાં ગુણસ્થાને તીર્થંકર નામકર્મનો ઉદય થવાથી એક પ્રકૃતિ વૃદ્ધિ પામી. તેથી ૪૧+૧ મળીને ૪૨ પ્રકૃતિઓનો ઉદય આ તેરમા ગુણસ્થાનકમાં હોય છે. હવે તેરમા સયોગી—કેવળી નામના ગુણસ્થાનના અંતમાં તેમાંથી ૩૦ પ્રકૃતિઓ નાશ પામે છે. તે નીચે પ્રમાણે – તે ૧. અગુરુલઘુ, ૨. ઉપઘાત, ૩. પરઘાત, ૪. ઉચ્છવાસ, એ ચાર તથા પ. વર્ણ, ૬. ગંઘ, ૭. રસ, ૮. સ્પર્શ એ રૂપ ચતુષ્ક તથા ૯. વજઋષભનારાચ પ્રથમ સંહનન છે. IFરરા ખગતિ-ઔદારિક-અસ્થિર-ચુંગલો હો લાલ અસ્થિ પ્રત્યેક-ત્રિક નિર્માણ અને સંસ્થાન છો. હો લાલ અને ૨૩ અર્થ :- તથા ૧૦. શુભ ખગતિ, (ચાલવાની રીત) ૧૧. અશુભ ખગતિ ૧૨. ઔદારિક શરીર, ૧૩. ઔદારિક અંગોપાંગ અને ૧૪. અસ્થિર, ૧૫. અશુભ નામકર્મ તથા ૧૬. પ્રત્યેક, ૧૭. સ્થિર, ૧૮. શુભ નામકર્મ—એ ત્રણ, વળી ૧૯ નિર્માણ અને ૨૦. સમચતુરસ્ત્ર, ૨૧. ન્યગ્રોથપરિમંડલ, ૨૨. સ્વાતિ, ૨૩. વામન, ૨૪. કુન્જ, ૨૫. ઠંડક એ છ સંસ્થાન છે. ૨૩ાા. તન, તેજસ, કાર્મણ સ્વર એક વેદની હો લાલ સ્વર ત્રીસ જતાં જો બાર અયોગી સ્થાનની હો લાલ અયોગી. ૨૪ અર્થ :- શરીરમાં રહેલ ૨૬. તૈજસ શરીર, ૨૭. કાશ્મણ શરીર તથા ૨૮. સુસ્વર, ૨૯. દુસ્વર અને ૩૦. શાતા-અશાતાવેદનીમાંથી એક, એમ બધી મળીને કુલ ૩૦ પ્રકૃતિઓ આ તેરમા ગુણસ્થાનના અંતમાં જવાથી, તેરમા ગુણસ્થાનની ૪૨ પ્રકૃતિઓમાંથી આ ૩૦ને બાદ કરતાં બાકીની ૧૨ પ્રકૃતિઓનો ઉદય અયોગી નામના આ ચૌદમાં ગુણસ્થાનમાં હોય છે. ૨૪ યશ, સુભગ, આદેય, ત્રસ-ત્રિક જિનની હો લાલ ત્રસવ સુગોત્ર નરગતિ-આયુ, પંચેન્દ્રી, વેદની હો લાલ પંચેન્દ્રી. ૨૫ અર્થ :- હવે ચૌદમા અયોગી ગુણસ્થાનના અંતમાં શેષ રહેલ બાર પ્રકૃતિઓ પણ જાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે :- ૧. યશ, ૨. સુભગ, ૩. આદેય તથા ૪. ત્રસ, ૫. બાદર, ૬. પર્યાપ્ત એ ત્રણ અને ૭. જિનનામકર્મ, ૮, ઉચ્ચ ગોત્ર, ૯. મનુષ્યગતિ, ૧૦. મનુષ્ય આયુ, ૧૧. પંચેન્દ્રિય જાતિ તથા ૧૨. વેદનીય મળીને કુલ ૧૨ પ્રકૃતિઓ થાય છે. રપાા. જાતાં અંતિમ બાર ભવસ્થિતિ પણ જતી હો લાલ ભવ આઠે કર્મથી મુક્ત સિદ્ધતા ઊપજતી હો લાલ સિદ્ધતા. ૨૬
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy