SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨ ૧ ૦૧ અર્થ - ઉપરોક્ત બાર પ્રકૃતિઓ ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનના અંતમાં જવાથી તે શુદ્ધાત્માની સંસારમાં સ્થિતિ કરવાની અવધિ પણ હવે પૂર્ણતાને પામે છે. તેથી આઠેય કર્મથી મુક્ત થયેલા તે પરમાત્મા, સિદ્ધ દશાને પામી મોક્ષમાં સર્વકાળને માટે અનંતસુખમાં વિરાજમાન થાય છે. ૨૬ાા. ૩ ઉદીરણા* જે કર્મો ઉદયમાં આવ્યા નથી તેને તપ આદિવડે ઉદયમાં લાવીને ખપાવવા તેનું નામ ઉદીરણા છે. છઠ્ઠા સુધી સમાન ઉદયવત્ ઉદીરણા, હો લાલ ઉદય સાતમાંથી સયોગી સુથી જ વિશેષતા હો લાલ સુથી ૨૭ અર્થ - છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનના અંત સુધી કર્મ પ્રવૃતિઓનો જે પ્રમાણે ઉદય થાય, તે પ્રમાણે તપ આદિ દ્વારા ઉદીરણા કરીને તેને ખપાવી શકાય. પછી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનની શરૂઆતથી તે તેરમા સયોગી ગુણસ્થાનના અંત સુધી તેમાં વિશેષતા છે. એટલે કે શાતા, અશાતા અને મનુષ્ય આયુની ઉદીરણા સાતમા ગુણસ્થાનની શરૂઆતથી તે તેરમા સુઘી નથી. સાતમા ગુણસ્થાનથી લઈને તેરમા ગુણસ્થાન સુધી જે પ્રકૃતિઓ ઉદયમાં હતી, તે હવે ઉદીરણામાં શાતા અશાતા અને મનુષ્ય આયુની આ ત્રણ પ્રકૃતિઓ ઓછી ઓછી ગણતા જવું. બીજી બધી પ્રવૃતિઓ જેમ ઉદયમાં છે તેમજ ઉદીરણામાં પણ સમજવી. હવે ચૌદમા ગુણસ્થાનમાં મન વચન કાયાના યોગ ન હોવાથી ત્યાં ઉદીરણાનો સંભવ નથી. કારણ કે ઉદીરણા એ યોગકૃત છે તેથી. સાતમે ગણ તોંતેર ઉદરણા યોગ્ય એ, હો લાલ ઉર્દી આઠમે અગ્નોતેર વળી તૈસઠ નવમે, હો લાલ વળી. ૨૮ અર્થ:- સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૧૪, નોકર્મની ૪૨, ગોત્રની ૧ તથા અંતરાયની ૫ મળીને કુલ ૭૩ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય ગણાય છે. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૧૩, નામકર્મની ૩૯, ગોત્રની ૧, તથા અંતરાયની ૫ મળીને કુલ ૬૯ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય હોય છે. તથા નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૭, નામકર્મની ૩૯, ગોત્રની ૧ તથા અંતરાયની ૫ મળીને કુલ ૬૩ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય ગણાય છે. આરટા સત્તાવન દશમે જ, છપ્પન અગ્યારમે, હો લાલ છપ્પન ચોપન, બાવન ભેદ થતા બે બારમે, હો લાલ થતા. ૨૯ અર્થ - દશમા સૂક્ષ્મસંપરાયગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, મોહનીયની ૧, નામકર્મની ૩૯, ગોત્રની ૧ તથા અંતરાયની ૫ મળીને કુલ ૫૭ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય છે. તથા અગ્યારમા ઉપશાંતમો ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીયની પ, દર્શનાવરણીયની ૬, નામકર્મની ૩૯, ગોત્રની ૧ તથા અંતરાયની ૫, મળીને ૫૬ ઉદીરણા યોગ્ય પ્રવૃતિઓ ગણાય છે. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનના બે ભેદ થાય છે. તેના પ્રથમ ભેદમાં જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૬, નામકર્મની ૩૭, ગોત્રની ૧ તથા અંતરાયકર્મની ૫, મળીને કુલ ૫૪ ઉદીરણા યોગ્ય પ્રકૃતિ છે. * જુઓ ‘ઉદીરણા યંત્ર' પૃષ્ઠ ૬૦૩ ઉપર
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy