SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) સગુણ ૪૨ ૧ કરે? પરંતુ ક્યારેક માંસ ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે ને કોઈ શિષ્ય તે લાવી શકતા નથી ત્યારે માછલાંઓનો શિકાર કરવો પડે છે. રાજા–(આશ્ચર્ય સાથે) શું મહાશય આપ માંસ પણ ખાઓ છો? મહંત–અરે રાજા તું બહુ ભોળો છે. ક્યાંય અમારા જેવા યોગી માંસ ખાતા હોય? પરંતુ જ્યારે દારૂનો નશો વઘારે ચઢે છે ત્યારે માંસ ખાવાની તીવ્ર લાલસા આપોઆપ થઈ આવે છે, તેને વશ થઈને અમારે માંસ ખાવું પડે છે. રાજા-મહારાજ હું શું સાંભળું છું? આપ મદ્ય પણ પીઓ છો? મહંતે-અરે અમારા જેવા યોગી દારૂ પીએ? દારૂથી તો સર્વ યોગસાધન નાશ પામે. પરંતુ જ્યારે કોઈ વખત કોઈ વેશ્યાને ત્યાં ચાલ્યા જઈએ તો ત્યાં તેને વશ થવાથી મદ્ય પીવો પડે છે. રાજા–મહારાજ તો શું આપ વેશ્યા સેવન પણ કરો છો? મહંત–ના ના વેશ્યાસેવન માટે દરરોજ જવાનો અને અભ્યાસ નથી પણ ક્યારેક પરસ્ત્રીની પ્રાપ્તિ ન થાય ત્યારે જવું પડે છે. - રાજા-મહારાજ તો શું આપ પરસ્ત્રીનું પણ સેવન કરો છો? મહંત–અરે ના ના. પરસ્ત્રીસેવન કરવાનો અને અભ્યાસ નથી પરંતુ કોઈ વખત જ્યારે ચોરીમાં ઘણું વઘારે ઘન હાથ લાગે ત્યારે તેને એવા જ કાર્યમાં ખર્ચવાની ભાવના થાય છે. રાજા–મોટા આશ્ચર્યપૂર્વક) મહારાજ, આપ ચોરી કરો છો? મહંત–અરે મૂર્ખ, અમારા જેવા યોગી તે વળી ચોરી કરતા હશે? પરંતુ ક્યારેક જાગારમાં બધું વન હારી જવાય અને જાગારની લત છૂટે નહિ ત્યારે લાચાર બનીને ચોરી કરવી પડે છે. રાજા–આપ જાગાર પણ રમો છો? મહંત-હા, એમાં શું વાંધો છે? યથા રાજા તથા પ્રજા. એ સાંભળી રાજા ચોંકી ઉઠ્યો. પછી તે મસ્તક નમાવીને બોલ્યો કે–મહારાજ હું જુગાર રમું છું, પણ આ બધાં વ્યસનો એક જુગારમાંથી ઉદ્ભવે છે એમ હું જાણતો નહોતો. માટે હવે હું આજથી એ જાગારનો ત્યાગ કરું છું. પછી રાજાએ મહંતને કહ્યું કે–હે મહારાજ ! આપ ભવિષ્યવેત્તા છો અને સર્વ કંઈ જાણો છો તો કૃપા કરીને એટલું બતાવો કે મારા જાના બે મંત્રી દેશ છોડીને ક્યાં ચાલ્યા ગયા છે? તેઓ અત્યારે ક્યાં છે? તેમના વગર મારા રાજ્યની દુર્દશા થઈ ગઈ છે. ત્યારે મહંતે કહ્યું કે આવતી કાલે તે તને મળશે. પછી મળ્યાથી રાજાએ તેમને તેઓના પદ પર ફરી નિયુક્ત કર્યા. અને દુષ્ટ જજુગારી મિત્રોની સંગત છોડી દીધી. પછી રાજ્યની વ્યવસ્થા ઉત્તમ રીતે થવા લાગી. આથી સિદ્ધ થાય છે કે જાગાર સર્વ વ્યસનોનો રાજા છે તેથી સાત વ્યસનમાં તેનું સ્થાન પ્રથમ છે. લા. નિરંતર જંતુ જ્યાં ઊપજે પ્રાણી હર્ની જન લાવેજી, જોતાં, અડતાં ચઢે ચીતરી, કોણ માંસ મુખ ચાવેજી? વિનય અર્થ :- બીજાં વ્યસન માંસ છે. જેમાં નિરંતર જંતુઓની ઉત્પત્તિ થયા કરે છે. પ્રાણીઓને મારી જે લાવે છે. એવા માંસને જોતાં કે અડતાં જ ચીતરી ચઢે, તો એવો કોણ મૂર્ખ હોય કે જે એને મુખવડે ચાવે. નિર્દયી માણસો આવા કામ કરી દુર્ગતિને પામે છે../૧૦ના દારૂડિયો માતાને કાન્તા ગણી, કુચેષ્ટા કરતોજી, શેરીમાં મુખ ફાડી સૂવે, શ્વાન-મૂત્ર પણ પીતોજી. વિનય અર્થ - ત્રીજો વ્યસન દારૂ છે. દારૂડીયો ભાન ભૂલી પોતાની માતાને, પોતાની સ્ત્રી ગણીને કુચેષ્ટા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy