SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વિષયોમાં લેખાતા નથી. જ્યારે બીજા જીવો વિષયાસક્તિ વડે હણાયેલા હોવાથી અનેક મહાપાપોમાં તણાય છે. અર્થાત્ વિષયવશ અઘોર પાપો કરતાં પણ ડરતા નથી. [૩૪ સુખી થવા અન્ય ઑવો હણે તે, દુઃખી કરે, વાણી જૂઠી ભણે છે, માયા રચે, ચોરી કરી ન લાજે, પરિગ્રહે તત્પર સાધુ, ગાજે. ૩૫ અર્થ - વિષયાસક્ત જીવો પોતે સુખી થવા અન્ય જીવોને હણે છે. દુઃખી કરે છે, વાણીમાં જૂઠ બોલે છે, માયા રચે છે, ચોરી કરતાં પણ લજાતા નથી અને પરિગ્રહ એકઠો કરવામાં જ તત્પર રહે છે. કોઈ સાધુપુરુષો પણ પોતાના સ્વધર્મને ભૂલી પરિગ્રહમાં રાચી કષાયવડે ગાજી ઊઠે છે. ૩પા. દુર્દમ્ય દોષે ઑવ દુઃખી થાય, ના વાંક તેમાં પરનો જરાય; ક્યાંથી વિચારે ગુઢ્યોગ વિના, કે વિષયાર્થી કદી કો સુખી ના? ૩૬ અર્થ - દુર્દમ્ય એટલે દુઃખે કરીને જેનું દમન થઈ શકે એવા વિષય કષાયાદિ દોષ વડે જીવ સ્વયં દુઃખી થાય છે, તેમાં પર જીવનો જરાય વાંક નથી. પણ શ્રી સદ્ગુરુ ભગવંતનો તેને યોગ થયા વિના તે એવું ક્યાંથી વિચારી શકે કે વિષયમાં આસક્ત જીવ, કદી કોઈ સુખી નથી. IT૩૬ાા. પ્રાપ્તિ અને રક્ષણકાજ દુઃખી, ને ભોગકાળે વ્યયથી ન સુખી, વિયોગનું દુઃખ સદાય સાલે; તૃપ્તિ થવાની નહિ કોઈ કાલે. ૩૭ ભોગની સર્વ અવસ્થાઓ દુઃખરૂપ છે. તે વાત હવે જણાવે છે : અર્થ :- ભોગોની પ્રાપ્તિ કરવામાં દુઃખે પ્રાપ્ત થયેલા ભોગ નાશ ન પામી જાય તેની રક્ષા કરવાનું દુઃખ તેમજ ભોગવતા સમયે ઘનાદિનો વ્યય થાય તે પણ જીવને રૂચિકર નથી. એમ ભોગની સર્વ અવસ્થાઓ દુઃખરૂપ છે. તથા તે ભોગોનો જો વિયોગ થઈ જાય તો તે દુઃખ સદાય સાલ્યા કરે છે. એવા ભોગોથી જીવને કોઈ કાળે તૃપ્તિ થઈ નથી અને થવાની નથી, પણ ઉલ્ટા તે ભોગોને ભોગવવાથી તૃષ્ણાની વૃદ્ધિ થાય છે. [૩૭ના સબોઘ વિના નહિ મોહ જાય, સંસારના સુખ નહીં તજાય; શ્રદ્ધા વિના ના દુખ દૂર થાય, આત્મિક આનંદ નહીં ચખાય. ૩૮ અર્થ - જ્ઞાનીપુરુષના સબોઘ વિના મોહ કદી જાય નહીં અને સંસારના કાલ્પનિક પાંચ ઇન્દ્રિયોના સુખ પણ કદી તજાય નહીં. જ્ઞાનીપુરુષના વચનો ઉપર શ્રદ્ધા આવ્યા વિના સંસારનાં દુઃખ દૂર થાય નહીં; અને આત્માના નિરાકુળ આનંદનો આસ્વાદ કદી ચખાય નહી. | સદગુરુનો યોગ સદા વિચારો, મોક્ષાભિલાષા ઉરમાં વઘારો, આજ્ઞા સુગુરુની ઉઠાવશો જો ટાળી પ્રમાદો, સુખ પામશો તો. ૩૯ અર્થ - તે આત્મિક આનંદ પ્રાપ્ત કરવા માટે પ્રથમ સદ્ગુરુનો યોગ મેળવવાની જરૂર છે, એમ સદા વિચારો, તથા મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષાને પણ હૃદયમાં વઘારો. સદ્ગુરુ મળે જો તેમની આજ્ઞાને ઉઠાવશો તો સર્વ પ્રમાદોને ટાળી તમે જરૂર સાચા આત્મિક સુખને પામશો. “આ મનુષ્યભવમાં ઘર્મકાર્ય કરી લેવાનો ઉત્તમ અવસર આવ્યો છે, તેનો વારંવાર ખ્યાલ રહે અને જો પ્રમાદ ને આળસમાં આ અલ્પ આયુષ્ય વ્યતીત થશે તો લખચોરાશીના ફેરા ફરતાં કોઈ વખતે આવો
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy