________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
વીર બનીને જો સહે સર્વ પ્રકારે દુઃખ, કાળે કરી દુઃખ સૌ ટળે; સમતા અંતર્સુખ. ૩૪
--
અર્થ :— વીર બની આવેલ સર્વ પ્રકારના દુઃખને ધીરજ રાખી જે સમભાવે સહન કરે તેના સર્વ પ્રકારના દુઃખ કાળે કરી નાશ પામે છે, કેમકે અંતર્ગાત્માને સુખ આપનાર સાચી સમતા જ છે. ।।૩૪।। ભૂખ-રોગન્દુખ બહુ સહે નહિ શત્રુ દેખાય,
દુખ દેનારા જો દીસે તો નહિં દુઃખ ખમાય.' ૩૫
૧૩૨
અર્થ :– ભૂખ અને રોગના દુઃખને આ જીવ બહુ સહન કરે છે, પણ તે દુઃખ આપનાર કર્મરૂપી શત્રુ તેને નજર સમક્ષ દેખાતાં નથી, તેથી શું કરે? પણ જો તે દુઃખ આપનાર શત્રુ નજર સમક્ષ દેખાય તો તે દુ:ખ તેનાથી ખમાય નહીં; અને થીરજ મૂકી શત્રુની સામે થાય. ।।૩૫।।
બાહ્ય નિમિત્ત જ માનતાં કર્મ તરફ નહિ લક્ષ;
લડે બાહ્ય નિમિત્ત સહ, દુખ વેદે પ્રત્યક્ષ. ૩૬
અર્થ :– આ જીવ બાહ્ય નિમિત્તને જ દુઃખનું કારણ માને છે. પણ તેનું મૂળ કારણ તો કર્મ છે. છતાં તેના તરફ જીવનો લક્ષ નથી. બાહ્ય નિમિત્તકારણ સાથે આ જીવ લડવા મંડી પડે છે અને તેનું પ્રત્યક્ષ ફળ દુઃખ વેઠે છે. ગ૩૬ના
વિરલા સહન કરે વચન, ઊંડું ઊતરી જાય; ઘા રુઝાયે શસ્ત્રનો વચન-ઘા ન રુઝાય. ૩૭
અર્થ :— વીરલા જીવો જ કડવું વચન સહન કરે છે. “ધીરજ રાખવી. કોઈ ગમે તે કહે તે સહન
*
કરવાની ટેવ પાડવી. તેથી બહુ લાભ થાય છે.’’ (ઉ.પૃ.૧૦૭)
જેને ઘીરજ નથી તેને કડવું વચન હૃદયમાં ઊંડું ઊતરી જાય છે. શસ્ત્રનો ઘા રુઝાય પણ કડવા વચનનો પડેલ પા તે હ્રદયમાં રુઝાતો નથી. ।।૩૭મા
મન, મોતી ને કાચ એ તૂટ્યાં નહિ સંથાય; સંત-સમજ સવળું કરે, અરિ પણ મિત્ર મનાય. ૩૮
અર્થ :— મન, મોતી ને કાચ એ જો તૂટી ગયા તો ફરી સંઘાય નહીં. માટે ઘીરજ રાખી આવેલ દુઃખને સહન કરવાની ટેવ પાડવી, પણ કોઈને પોતાનો શત્રુ માનવો નહીં.
સંતપુરુષોની સમજ સાચી હોવાથી તે સદા અવળાનું પણ સવળું કરે છે; જેથી તેમનાથી શત્રુભાવ રાખનાર પ્રત્યે પણ તેમને તો મિત્ર ભાવ જ છે. ।।૩૮।।
અંતર લાખો ગાઉનું નભ-યાને
કપાય, ગાન વિલાયતમાં થતાં અહીં બેઠાં ય સુણાય. ૩૯
અર્થ :– વર્તમાનકાળમાં લાખો ગાઉનું અંતર હોય તો પણ નભયાન એટલે આકાશમાં ઉડતા વિમાન વડે કપાઈ જાય છે અથવા વિલાયતમાં થતાં ગાયન પણ અહીં બેઠા સાંભળી શકાય છે. પુદ્ગલની એવી શક્તિઓને બહાર લાવવામાં જીવનો તે વિજય ગણાય છે. એ બધા કામ ઘીરજ રાખવાથી થાય છે. ।।૩।