SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) મહાવીર દેવ ભાગ-૧ ૮ ૩ ત્રિપૃષ્ટ નારાયણ થઈ ઇન્દ્રિય સુખ તેં આદર્યો, ત્રણ ખંડનો સ્વામી છતાં ના ઘર્મકાર્યો તેં કર્યાં. ૩૯ અર્થ - તેથી તે સિંહને પૂર્વભવની વાત અને આગલા ભવની સ્મૃતિ આપવા મુનિ બોલ્યા કે હે ભવ્ય મૃગરાજ! હું કહું તે સાંભળ તે તારા હિતમાં છે અને તારા કર્મરૂપી પડદાને દૂર કરનાર છે. પૂર્વભવમાં તું ત્રિપૃષ્ટ નારાયણ થઈ ઇન્દ્રિયના સુખોમાં તન્મય રહ્યો. ત્યાં ત્રણ ખંડનો સ્વામી હોવા છતાં તેં ઘર્મના કાર્યો કર્યા નહીં. ૩૯ વિષયાંઘ રહી, પાપો કરી, મરી સાતમી નરકે ગયો, ત્યાં નારકી જીવો વડે અતિ ઘોર પીડા પામિયો, ત્યાં તું શરણ બહુ શોઘતો પણ કોઈ રક્ષક ના જડ્યો, ત્યાંથી મરીને સિંહ બન હિંસાથી ફરી નરકે પડ્યો. ૪૦ અર્થ :- પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત રહી, પાપો કરીને મરી તું સાતમી નરકે ગયો. ત્યાં નારકી જીવો વડે અતિ ઘોર પીડાને પામ્યો. ત્યાં તું શરણ બહુ શોઘતો હતો પણ કોઈ તારી રક્ષા કરનાર જડ્યો નહીં. ત્યાંથી મરીને સિંહ બની હિંસા કરીને મરી ફરી તું નરકગતિમાં ગયો. ૪૦ના તે ત્રાસદાયક સ્થાનથી હૂંટ સિંહ ભવ આ પામિયો, તોયે અરે! ક્રૂરતા તજે ના, નરક દુઃખો ભૂંલી ગયો? જો શીધ્ર ક્રૂરતા તું તજી સલ્લેખના વ્રત આદરે, તો પાપ-કારણ-વારણે શુભ દેવગતિ હજીંયે વરે.”૪૧ અર્થ - તે ત્રાસદાયક નરકના સ્થાનથી છૂટીને હવે તું ફરીથી સિંહનો ભવ પામ્યો છું. તોયે અરે ! આશ્ચર્ય છે કે હજુ તું ક્રૂરતાને છોડતો નથી. તો શું તું નરકના દુઃખોને ભૂલી ગયો. જો શીધ્ર તું ક્રૂરતાને તજી દઈ સલ્લેખના વ્રતને આદરે તો પાપના કારણે વારવાથી એટલે નિવારવાથી હજી પણ તું શુભ દેવગતિને પામી શકે છે. ૪૧ાા મુનિ-વચનથી જાતિસ્મરણ સુજ્ઞાન પામી જાગિયો, સંસારના દુઃખો વિચારી સર્વ અંગે કંપિયો; રે! આંખથી આંસું વહે પસ્તાય અતિશય પાપથી, હું સિંહભવમાં શું કરું?” એવું વિચારે આપથી. ૪૨ અર્થ - મુનિમહાત્માના વચનથી સિંહ જાતિસ્મરણજ્ઞાન પામવાથી જાગૃત થયો અને સંસારના સર્વ દુઃખોને વિચારી સર્વાગે કંપાયમાન થયો. આશ્ચર્ય છે કે જેના આંખમાંથી આંસુ વહે છે, પાપથી જે અતિશય પસ્તાય છે, તથા હવે હું આ સિંહ ભવમાં શું કરું? એમ પોતે પોતાના માટે વિચારે છે. In૪રા પ્રેમે મુનિ પાસે પઘાર્યા શાંત વૃત્તિ ઓળખી, ભવ પૂર્વના સૌ યાદ દે માંડી પુરૂરવ ભીલથી. ‘દશમે ભવે તું તીર્થપતિ બનનાર છે” એ સાંભળી ચેતાવવા હું આવિયો, તુજ પુણ્ય આવ્યા ઊછળી. ૪૩ અર્થ - સિંહની શાંતવૃત્તિ ઓળખીને મુનિ તેની પાસે પધાર્યા. પુરૂરવા ભીલથી માંડીને પૂર્વના
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy