________________
(૬) મૈત્રી આદિ ચાર ભાવના
૪ ૫
અર્થ - જેના દિલમાં સદા દયાનો વાસ છે તેના હૃદયને દ્વેષરૂપી નાગ ડસતો નથી. બીજાનું આર્ત એટલે દુઃખ દેખી જેનું દિલ દુભાય છે તે ખરા પરોપકારવાની છે. તેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહ્યા કરે છે. ||૧૬ના
જીવનતણા સટોસટે અન્યદુઃખ જો મટે,
પ્રેમપંથ-પાવકે કો ઝંપલાય જાણ તે. મૈત્રી૧૭ અર્થ - જેના હૃદયમાં કરુણાભાવ ભરેલ છે તે પોતાના જીવનતણા સટોસટ કહેતા જીવન નિર્વાહની ભીડમાં પણ જો અન્યનું દુઃખ નાશ પામતું હોય તો પ્રેમપંથ પાવકે અર્થાત્ પરજીવો પ્રત્યેની પ્રેમમાર્ગરૂપી અગ્નિમાં પોતાને ઝંપલાવી દે છે, અર્થાતુ બીજાનું ભલું કરવા તત્પર થાય છે. તે જ સાચું પરહિત કરનાર જાણવા. ||૧ળી
દુઃખસુખ ના ગણે, સ્વદેહ મિટ્ટ શો ભણે.
સર્વ સુખી થાય તેમ કરે કૃપાવાન જે. મૈત્રી૧૮ અર્થ - જે કપાવાન પુરુષો છે તે પોતાના દુઃખ સુખને ગણતા નથી. પોતાના દેહને માટી જેવો માને છે. બીજા સર્વ જીવો સુખી કેમ થાય, એ જેનો લક્ષ છે. જગતનાજીવો પ્રત્યે આવો મૈત્રીભાવ ઘરાવનાર પુરુષો ખરેખર મહાન છે. I/૧૮ના કરુણા–કોઈપણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧)
(૪)
ઉપેક્ષા ભાવના શી રીતે સુખી થવાય? દુઃખ દૂર કેમ થાય?
એ વિકલ્પ જો શકાય તો ઉપેક્ષાવાન એ. મૈત્રી૧૯ અર્થ - સંસારમાં શી રીતે સુખી થવાય? અથવા સર્વ દુઃખ કેમ દૂર થાય? એવા વિકલ્પ જેના સમાઈ ગયા, તે ઉપેક્ષાવાન છે અર્થાત તે મધ્યસ્થ ભાવનાના ઘારક છે. ||૧૯થા ઉપેક્ષા એટલે નિસ્પૃહ ભાવે જગતમાં પ્રતિબંઘને વિસારી આત્મહિતમાં આવવું.” -શ્રીમદ્ રાજચંદ્ર
સહનશીલતા સથાય, નિર્વિકાર ચિત્ત થાય,
પ્રિય કે અપ્રિય કાંઈ નથી ક્ષમાવાનને. મૈત્રી ૨૦ અર્થ - જેનામાં સહનશીલતા સધાયેલી છે, જેનું ચિત્ત નિર્વિકાર થયેલું છે. જેને પ્રિય કે અપ્રિય કાંઈ નથી તે જ ખરો ક્ષમાવાન છે. ૨૦ના
કોઈ કરે સ્તુતિ અતિ વા વગોવે મૂઢમતિ,
તોય ચિત્ત ના ચલે સુદૃષ્ટિ શમવાન તે. મૈત્રી ૨૧ અર્થ - જેની કોઈ અતિ સ્તુતિ એટલે અત્યંત પ્રશંસા કરે અથવા કોઈ મૂઢમતિ તેના વગોવણા કરે તોય જેનું ચિત્ત ચલાયમાન થાય નહીં તે જ સુદ્રષ્ટિ એટલે સમ્મદ્રષ્ટિ એવો શમવાન પુરુષ છે અર્થાત્ જેના કષાયો સમાઈ ગયા છે. ૨૧ાા.
હર્ષ શોક કેમ થાય? કામ-ક્રોથ બળી જાય, મટે માન, લોભ, માયા સમભાવવાનને. મૈત્રી. ૨૨