SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - ગુણગ્રાહી એવા દત્તાત્રય નામના સંત થઈ ગયા. જેને ગુણના ઘરરૂપ અનેક ગુરુઓ કર્યા હતા. જેનામાંથી ગુણ ગ્રહણ કરે તેને પોતાના ગુરુ માનતા. ગુણ પ્રત્યે છે અનુરાગ જેને એવા ગુણાનુરાગવાનને તો ત્રણેય લોક ગુણના ઘામરૂપ છે. શ્રીકૃષ્ણ મહાત્માની કે શ્રી યુધિષ્ઠિરની દ્રષ્ટિ પણ એવી ગુણાનુરાગવાળી હતી. [૧૧ાા વૈરાગ્યદાયી વાદળી, સુજ્ઞાન દે રવિ વળી; આજે ગુરુ અંજન-શળી તો વિશ્વગ્રંથ-ખાણ છે. મૈત્રી ૦૧૨ અર્થ - વાદળી જેવો, ત્રિવિઘ તાપથી બળતા આત્માને શીતળતા આપનાર વૈરાગ્ય હોય અને સૂર્ય જેવું પ્રકાશ આપનાર જેમાં સમ્યજ્ઞાન હોય, તેને શ્રી ગુરુ અંજન આંજવાની સળીથી ગુરુગમરૂપી અંજન આજે તો તેને આખું વિશ્વ ગ્રંથની ખાણરૂપ બની જાય અર્થાત્ તેની દ્રષ્ટિ પછી જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં દ્રવ્યદ્રષ્ટિવડે સર્વમાં ગુણ જ દેખાય અને પ્રમોદભાવ ઊપજે એવો શ્રી ગુરુનો મહિમા છે. ૧રા પ્રમોદ એટલે ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧) કરુણા ભાવના દુઃખ દેખ પારકું કરુણ ઉર કંપતું, દયા કરી સહાય દે અનુકંપાવાન એ. મૈત્રી ૧૩ કરુણા-જગતજીવના દુઃખ દેખીને અનુકંપિત થવું.' શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮) અર્થ :- બીજાનું દુઃખ જોઈને કરુણા ભાવનાવડે જેનું હૃદય કંપાયમાન થાય છે અને તેના પર દયા કરીને સહાય આપે તે અનુકંપાવાન જાણવો. ૧૩ના. પરહિત એ જ નિજ હિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪) રુધિર વહે પરું ઝરે દુર્ગધ મૂત્ર-મળ કરે, તોય ગ્લાનિ ના ઘરે શુશ્રષા-સુજાણ એ. મૈત્રી ૧૪ અર્થ - કોઈના શરીરમાં રુધિર એટલે લોહી વહેતું હોય, પરું ઝરતું હોય, કે દુર્ગઘમય મળમૂત્ર કરતા હોય, તો પણ એની સેવા શુશ્રષા કરવામાં જે ગ્લાનિ એટલે દુગંછાભાવ લાવતા નથી, તેને કરુણા ભાવનાના સાચા સુજાણ જાણવા. એવું નિર્વિચિકિત્સકપણું તે સમ્યફષ્ટિનું એક અંગ છે../૧૪ો. તણાય વીંછ પાણીમાંય કાઢતાં દે ડંખ તોય, ખમી અનેક ડંખને ઉગારનાર પ્રાણ તે. મૈત્રી. ૧૫ અર્થ :- પાણીમાં તણાતા વીંછીને કાઢતા અનેકવાર ડંખ આપે તો પણ તેના ડંખને સહન કરીને કરુણા ભાવનાવડે તેના પ્રાણને ઉગારે તેને ખરો કરુણા ભાવનો જાણનાર સમજવો. જેમ વીંછીને ડંખ મારવાનો સ્વભાવ છે તેમ સાચી કરુણાને જાણનાર પણ પોતાની દયા કરવાનો સ્વભાવ છોડતો નથી. એ એની સાચી મિત્રતાની મહાનતાનું પ્રમાણ છે. [૧૫ાા દયા સદા દિલે વસે, દ્વેષ ના ઉરે ડસે, દિલ દુખાય આર્ત દેખ, પરોપકારવાન એ. મૈત્રી. ૧૬
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy