SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - સમ્યકુદ્રષ્ટિ જીવને હર્ષ શોક કેમ થાય? કેમકે જેના કામ ક્રોઘ બળી ગયા છે. માન, લોભ કે માયા જેના મટી ગયા છે તે જ ખરા સમભાવવાળા છે. તેથી ખરી મધ્યસ્થ ભાવનાને તે ઘારણ કરી શકે છે. ૨૨ા. માધ્યસ્થ કે ઉપેક્ષા–શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮) દુર્ગધ ગંદકી ભલે, સુગન્ધ સ્વાદ વા મલે, કુરૂપ રૂપવંત સર્વ સમ સમજવાનને. મૈત્રી ૨૩ અર્થ:- ભલે દુર્ગઘ હો કે ગંદકી હો અથવા સુગંઘ હો કે સ્વાદની પ્રાપ્તિ હો, કુરૂપ હો કે રૂપવંત હો, તે સર્વ જેને સમાન ભાસે છે તે જ ખરો સમજવાન છે અર્થાત્ પદાર્થના વાસ્તિવક સ્વરૂપને તે યથાર્થ જાણનારો છે અને તે જ સર્વ પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી શકે છે. (૨૩ના સંસારી જીવ સર્વ દીન, કર્મયંત્રને અઘીન, ભવ-નાટકે પ્રવીણ સાક્ષી ભાનવાન છે. મૈત્રી ૨૪ અર્થ - સંસારી જીવો સર્વ કર્મરૂપી યંત્રને આધીન હોવાથી દીન એટલે ગરીબ જેવા છે. જે બિચારા કર્મોને આધીન હોવાથી સંસારરૂપી નાટકમાં નૃત્ય કરવાને માટે જાણે પ્રવીણ થયેલા છે. પણ જેને આત્માનું ભાન થયું છે તેવા જ્ઞાની પુરુષો તો માત્ર સાક્ષીભાવે આ સંસારમાં કર્મના ઉદયથી રહેલા છે. તેથી ખરી ઉપેક્ષાભાવના અથવા મધ્યસ્થભાવનાના તે ઘારક છે. તેમને અંતરથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ છે, માટે તે પુરુષો જગતમાં સર્વથી મહાન ગણાય છે. રજા ઉપસંહાર સર્વ પ્રાણી થાવ જ્ઞાની તજો પાપ-પંકખાણ, આત્યંતિક દુઃખ-હાણિ ભાવે મૈત્રીમાન એ. મૈત્રી ૨૫ અર્થ - જગતમાં રહેલા સર્વ પ્રાણીઓ પાપરૂપી અંક એટલે કીચડની ખાણ સમા વિષય કષાયને મૂકીને જ્ઞાની બનો, સર્વના જન્મ, જરા, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ દુઃખની આત્યંતિક એટલે સંપૂર્ણપણે હાનિ થાઓ, એમ જે હૃદયમાં ભાવે છે તે જગત જીવોથી મૈત્રીભાવ રાખનાર સાચા મહાપુરુષ છે. રપા ગુણો મહાન સંતના વિરલ લોકમાં ઘણા, પામતાં ન કો ભણા, પ્રમોદ ગુણ પ્રમાણ એ. મૈત્રી૨૬ અર્થ :- ત્રણેય લોકમાં મહાન સંતપુરુષોના ગુણો પામવા ઘણા વિરલ છે. જેમાં કોઈપણ પ્રકારની મણા અર્થાતુ ખામી નથી, એવા મહાનપુરુષોના ગુણો જોઈને પ્રમોદભાવ એટલે ઉલ્લાસભાવ પામીએ તો તે ગુણો પામવાનો પ્રમાણભૂત એટલે યથાર્થ ઉપાય છે. /૨૬ાા દૈન્ય, દુઃખ દૂર થાઓ, નિત્ય શાંતિમાં સમાઓ, કોઈ જીવ ના દુભાઓ, ભાવે દયાવાન એ. મૈત્રી. ૨૭ અર્થ - જગતમાં જીવોનું દૈન્ય એટલે દીનપણું અર્થાતુ ગરીબાઈ તેમજ બીજા પણ સર્વ દુઃખો દૂર થાઓ, અને પ્રાણીઓ રાગદ્વેષ અજ્ઞાનનો ભાવ મૂકી દઈ સદા આત્મશાંતિમાં સમાઈ જાઓ, કોઈપણ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy