SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨ ૪ ૯૧ અર્થ :- બીજા પુરુષની વાત જવા દઈએ પણ કોઈ ચક્રવર્તી તેની ઇચ્છા કરે તો તેને પરપતિ માની કદી ઇછે નહીં, પણ તેને કોઢી કે ચંડાળ સમાન ગણી તેથી દૂર રહે. તે જ સમ્યક મતિવાળી સતી છે એમ હું માનું છું. બલાત્કારથી કોઈ સતાવે તો તેને પણ સતી સ્ત્રી પોતાના સતીત્વના બળથી બાળીને ભસ્મ કરી દે. આવી પતિવ્રતા સતી સ્ત્રીની સામે કોણ મરદ મરવા માટે ડગલું ભરે. ૨૩ સીતા-વચન સુણી સુર્પણખા ચિત્ત વિષે ચિંતવતી કે : ચળે અચળ મેરું, પણ કદી ના ચિત્ત સીતાનું ચળી શકે. “ઘેર કામ છે, વાર ઘણી થઈ”, કહીં સતીને નમી દૂતી ગઈ રાવણ પાસે પહોંચી વિનય સહ દૂતી વદે દિલગીર થઈ ૨૪ અર્થ - સીતા સતીના આવા વચન સાંભળી સુર્પણખા મનમાં વિચારવા લાગી કે કદાચ અચળ મેરુપર્વત ચલાયમાન થઈ જાય પણ આ સતી સીતાનું મન કદી પણ ચલાયમાન થઈ શકે એમ નથી. એમ વિચારી સુર્પણખા સતી સીતાને નમીને કહેવા લાગી કે મારે ઘરે કામ છે અને ઘણીવાર થઈ ગઈ છે માટે હું જાઉં છું એમ કહીને દૂતી બનીને આવેલી તે સુર્પણખા રાવણ પાસે જઈ પહોંચી અને વિનયપૂર્વક દિલગીર થઈને રાવણને બધી હકીકત કહેવા લાગી. ૨૪ “ઇદ્રવજ પણ ભેર્દી શકે નહિ દૃઢ શીલ-નિશ્ચય-સીતા તણો, આપ તણો અભિપ્રાય જણાવી શકી ન, ડર પામી જ ઘણો.” ક્રોઘ કરી કહે રાવણ : “જૂઠી વાત ન માનું જરી ખરી; બાહ્ય ડોળથી ભડકી ભોળી, ચતુર હૂંતીપદ ગઈ વીસરી. ૨૫ અર્થ - સીતા શીલવતી છે. સીતાના શીલ પાળવાના દ્રઢ નિશ્ચયને ઇન્દ્રવજ પણ ભેદી શકે એમ નથી. હું શીલવતી સીતાના સતીત્વબળથી ભય પામીને આપનો અભિપ્રાય પણ જણાવી શકી નહીં. ત્યારે ક્રોઘ કરીને રાવણ કરે તારી બધી વાત જાઢી છે, તેમાંથી જરાપણ વાત હું ખરી માની શકું નહીં. સીતાના બાહ્ય ડોળથી તું ભોળી ભડકી ગઈ અને ચતુર એવી તું દૂતી હોવા છતાં, દુતીપદને જ વિસરી ગઈ. રપા નાગણફેણ તણા ફુત્કારે ડરી વાર્દી શું નહિ ઝાલે? નારીની ચંચળ વૃત્તિને કરી-કર્ણ ઉપમા આલે.” બચાવ કરવા કહે સુર્પણખાઃ “લલના તે લલચાતી નથી, વૈભવ-ભોગની નહિ ત્યાં ખામી, સુર-સુખ તુચ્છ જણાય અતિ. ૨૬ અર્થ - કોઈ નાગણ ફેણ કરીને ઉત્કાર કરે તો શું મંત્રવાદી ડરીને એને ઝાલતો નથી? નારીની ચંચળવૃત્તિને શાસ્ત્રોમાં કરી-કર્ણ એટલે હાથીના કાન સાથે ઉપમા અપાય છે; જે હંમેશાં ચલિત થયા કરે છે. ત્યારે બચાવ કરવા સુર્પણખા કહેવા લાગી કે સીતા જેવી લલના તે કોઈ ભોગોપભોગની વસ્તુઓથી લલચાય એવી નથી. કારણ સીતાને ત્યાં વૈભવ ભોગ સામગ્રીની કોઈ ખામી નથી. તે સામગ્રીની સામે મને તો દેવતાઈ સુખ પણ અતિ તુચ્છ જણાય છે. [૨૬ાા. શૂરવીરતાદિક ગુણ-વર્ણન તો રામ સમાન ન કોઈ તણું; સ્વયં કલામૂર્તિ સીતા ત્યાં સર્વ કલાઘર હીન ગણું.”
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy