SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ત્રણ મનોરથ ૧ ૨ ૩ મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે.” (વ.પૃ.૭૬) લોકો ઘનને ઉત્તમ શાથી ગણે છે? તો કે એથી સુખ અને યશ મળે છે, એમ લોકવાયકા છે. પણ એ ઘનથી સુખ અને યશ આજ દિવસ સુધી કાયમને માટે કોઈ પામ્યું નથી. તોય ગમાર એવો આ પામર જીવ હજા સુધી તે માટે વિચાર કરતો નથી અને માત્ર આંથળી દોડ જ દોડ્યા કરે છે; પણ તેથી વિરામ પામતો નથી. કાા માતપિતા, પ્રિય સ્ત્રી, તનુજો સહુ સ્વાર્થવિઘાત થતાં અરિ જાણો, પ્રીતિ ઘરો અતિ તે જ પદાર્થ કરે બહુ બંઘન, સજ્જન માનો; તે દિન ઘન્ય હશે માં જે દિન બંઘન છોડી વસું વનવાસે, ધ્યાન વિષે નિશદિન રહું, નહિ વૃત્તિ ફરે શરીરે જગવાસે. ૭ અર્થ - હવે બાહ્ય પરિગ્રહનું સ્વરૂપ જણાવે છે. તે જાણી તેનો ત્યાગ કરવા યોગ્ય છે. આ સંસારમાં માતાપિતા, પ્રિય સ્ત્રી, તનુજો એટલે પુત્રો આદિ સર્વ પોતાના સ્વાર્થનો ઘાત થતા શત્રુરૂપ થઈ જાય છે. જેમકે ઘનના લોભથી માતાએ પોતાના પુત્ર અમરને વેચી દીઘો. રાજ્યના લોભથી રાજા પોતાના પુત્રના અંગ ખંડિત કરતો હતો, જેથી તે રાજા બની શકે નહીં. પોતાની વાસના પોષાતી નથી એમ જાણી સૂર્યકાન્તા રાણીએ પતિ પરદેશી રાજાને વિષ આપ્યું. પોતાની વિષયવાસના પોષવામાં પોતાના જ પુત્ર બ્રહ્મદત્ત આડો આવે છે એમ જાણી તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો અથવા કોણિકે રાજ્યના લોભથી પોતાના પિતા શ્રેણિકને જેલમાં નાખ્યા. એવા કુટુંબીજનો ઉપર અત્યંત પ્રીતિ કરવી તે જીવને કર્મબંઘનો જ હેતુ છે, એમ હે સજ્જન પુરુષો તમે માનો. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વ કર્મબંઘનને છોડી વનમાં વાસ કરીશ, તથા આત્મધ્યાનમાં નિશદિન રહીશ, તેમજ મારી વૃત્તિ પણ શરીરમાં કે જગતના ભોગ વિલાસમાં ફરશે નહીં. તે દિવસ મારો પરમ કલ્યાણકારી થશે. શા. પંચ મહાવ્રત શુદ્ધ સ્વભાવથી જીવન-અંત સુધી નિરવાણું, વર્તન જિનની આણ પ્રમાણથી રંચ ચતું ન અતિક્રમવા હું; કેવળજ્ઞાન થતાં સુઘી આણ શિરે ઘરી સમ્યક ભાવ વધારું, વ્યાધિ-જરા-મરણે નહિ દેહ વિષે મમતા મનમાં પણ ઘારું. ૮ અર્થ:- આ ગાથામાં અંતરંગ પરિગ્રહને ત્યાગી ભગવાનની આજ્ઞાને જ ઉપાસું એમ જણાવે છે : મારા આત્માના શુદ્ધ સ્વભાવનો અનુભવ કરી, અંતરંગ કષાય, નોકષાયને સર્વથા ત્યાગી પંચ મહાવ્રતનો જીવનના અંત સુધી નિર્વાહ કરું. તથા મારું વર્તન જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે જ રાખું. તે આજ્ઞાને રંચ માત્ર પણ અતિક્રમવા એટલે ઉલંઘવા ઇચ્છું નહીં. કેવળજ્ઞાન થતાં સુધી ભગવાનની આજ્ઞાને શિરોઘાર્ય કરી હંમેશાં સમ્યભાવને વઘાર્યા કરું તથા વ્યાધિ, વૃદ્ધાવસ્થા કે મરણના પ્રસંગે, દેહપ્રત્યે મમતાભાવ મનમાં પણ ઘારણ કરું નહીં. દા. પાપ-ઉપાધિ તજું, મુનિભાવવ્રતે દ્રઢતા, મરણાંત સુથારું, એ ત્રણ મુંજ મનોરથ આ ભવમાંથી સદાય ઘરું, ન વિસારું; આત્મસ્વભાવ સુરક્ષિત હો મુજ, દેહતણી દરકાર ન રાખું, મૌન મહાવ્રત અંતરમાં ઘરી, સત્ય સદા વચને શુભ ભાખું. ૯
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy