________________
પરિણમે; તેથી, બીજાને કદાચ લાભ થઈ શકે; સાધકને પોતાને તો નહિ જ.
ધ્યાન મંજિલ છે, અધ્યયન માર્ગ છે; અને એટલે પહેલાં ધ્યાન શબ્દ મુકાયો છે. એ શબ્દ એમ સૂચવે છે કે લક્ષ્યાનુસંધાન ન હોય તો યાત્રા શરૂ થઈ જ ન શકે.
મંજિલની સાપેક્ષ જ માર્ગ છે ને ! ક્યાંય જેને પહોંચવું જ ન હોય, માત્ર ટહેલવું જ હોય; એને માટે કોઈ ચોક્કસ માર્ગ છે જ નહિ.
પ્રભુની સાધનામાં નિશ્ચય સાધનારૂપ મંજિલ સાથે વ્યવહાર સાધનારૂપ માર્ગને વણી લેવામાં આવેલ છે. આ માટેનું પ્રસિદ્ધ સૂત્ર યાદ આવે :
મહર્ષિ રામકૃષ્ણ પરમહંસ કહેતા કે દુનિયાનો નકશો કાગળ પર છાપેલ હોય. કેટલા દરિયા એમાં છે ? પણ કોઈ એ નકશાને મુઠ્ઠીમાં દબાવી જોર લગાવે તોય ટીપું પાણી નહિ પડે.
કાગળના દરિયામાંથી જળબિંદુ કેમ કરી ટપકે ?
એમ કોરા શબ્દોના કે કોરા વિચારોના દરિયામાંથી અનુભૂતિનું જળ શી રીતે ટપકે ?
સાધકને તે શબ્દો અને વિચારો કામના છે, જેમાંથી અનુભૂતિ નીપજે.
સંત કબીરજી કહે છે : “શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લેય; જો શબ્દ સાહિબ મિલે..' - એક છે સાર શબ્દ. એક છે અસાર, નિરર્થક શબ્દ, સારા શબ્દની વ્યાખ્યા શી ? મઝાની વ્યાખ્યા આવી : ‘જો શબ્દ સાહિબ મિલે...' જે શબ્દ પરમાત્મા સુધી, પરમના (સ્વના) અનુભવ સુધી લઈ જાય તે જ સાર શબ્દ.
નિશ્ચયદેષ્ટિ હૃદયે ધરી જી,
પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી,
ભવ સમુદ્રનો પાર. ધ્યાનના લક્ષ્યાંક સાથે - નિશ્ચય સાધના સાથે સ્વાધ્યાયની વ્યવહાર સાધનાને અહીં કેવી સરસ રીતે જોડી દેવામાં આવી !
ધ્યાન એટલે સ્વમાં હોવું. being. આ સ્વસ્ચર્યની વાતને સાધનાનાં હાર્દ તરીકે સમજાવતાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે શ્રીપાળરાસમાં કહ્યું :
આગમ નોઆગમ તણો,
ભાવ તે જાણો સાચો રે, આતમભાવે થિર હોજો,
પરભાવે મત રાચો રે... સાધનાની સપ્તપદી જે ૪૫
‘જ્ઞાષ્ફયાસં યા...'
ધ્યાન અને અધ્યયનથી યુક્ત આ મઝાની દશા.
૪૪ ૬ મોક્ષ તમારી હથેળીમાં