________________
मुक्तिवादः
उभयाभावसत्त्वेन न विरोधः । अव्यासज्यवृत्त्यनुगतरूपावच्छिन्नाभावपरतया वाक्यभेदपरिहार उपायकारानुमतो न साधीयान्, प्रियाप्रिययोरेकपदेन प्रतिपादन एव तत्सम्भवात्, तावतापि अयोग्यत्वस्यापरिहाराच्च । दुःखाभावादुभयाभावः सुखाभावाद्वेति विनिगमनाविरहो नाशङ्कनीयः 'दुःखेनात्यन्तं विमुक्तश्चरति' इत्यादिश्रुतिबलात् दुःखाभावस्य प्रामाणिकत्वात् तस्यैवोभयाभावप्रयोजकत्वादिति वाच्यम् । यतः ‘प्रियाप्रिये न स्पृशत' इत्यनेन प्रियाप्रिययोरभावो न प्रत्याय्यते अपि तु तदुभयानुयोगिकमुक्तात्मकर्मकस्पर्शकर्तृत्वाभाव एव । तत्कर्मस्पर्शकर्तृत्वं च तदनुयोगिकसम्बन्धप्रतियोगित्वम्, प्रिये सुखे तादृशसम्बन्धप्रतियोगितासत्त्वे च उभयत्वावच्छिन्नेऽपि तत्र तदभावबाधः, प्रतियोगिमति व्यासज्यवृत्तिधर्मावच्छिन्ना
સાથે સુખનો સંબંધ સ્વીકારી શકાય તેમ નથી.
પ્રશ્ન : આ વાક્યમાં વાક્યભેદ ન થાય માટે પ્રત્યેકનો નિષેધ સ્વીકારાતો નથી પણ ઉભયાભાવ દર્શાવાય છે. મુક્તિમાં સુખ હોવા છતાં દુ:ખ નથી માટે ઉભયાભાવ છે. આમ સંગતિ કરવાથી વિરોધ નથી. ઉપાયકારે અહીં અવ્યાસજજ્યવૃત્તિ અનુગતરૂપાવચ્છિન્ન અભાવ માનીને વાક્યભેદનો પરિહાર કર્યો છે તે યોગ્ય નથી. કારણ કે પ્રિય અને અપ્રિયનું એક પદથી પ્રતિપાદન થયું હોય તો જ વાક્યભેદ સંભવ છે. વાક્યભેદ ન હોય તો પણ અયોગ્યત્વની આપત્તિનો પરિહાર થતો નથી.
મુક્તિમાં સુખદુઃખઉભયાભાવ સુખાભાવને કારણે છે કે દુ:ખાભાવને કારણે તેમાં કોઈ વિનિગમક નથી” આવી શંકા નહીં કરવી જોઈએ કારણ કે ‘દુઃનત્યિન્ત વિમુશરતિ’ આ શ્રુતિને આધારે મુક્તિમાં દુ:ખાભાવ જ પ્રમાણપ્રાપ્ત છે તેથી તે જ ઉભયાભાવનો પ્રયોજક છે.
વાક્યમ્ સુધીનો દીર્ઘ પ્રશ્નગ્રંથ છે.
પ્રશ્ન :-આ શ્રુતિમાં સુખ અને દુ:ખના વ્યક્તિગત અભાવનું પ્રતિપાદન થયું નથી પણ ઉભયાભાવનું પ્રતિપાદન થયું છે. “સિત્તેfપ યે નાસ્તિ’ એ ન્યાયે સુખ હોવા છતાં દુઃખના અભાવને કારણે સુખ-દુ:ખઉભયાભાવ મળી શકે છે. જો આ શ્રુતિ પ્રત્યેક અભાવનું પ્રતિપાદન કરે છે તેવું માનવામાં આવે તો વાકયભેદ દોષ આવે છે. જે વાક્ય એકથી વધુ મુખ્ય વિશેષ્યતા ધરાવતા અર્થનું પ્રતિપાદન કરે તે વાક્યભેદ દોષગ્રસ્ત બને છે. એક વાક્યમાં મુખ્ય વિશેષ્ય એક જ હોય. બીજા વિશેષ્ય હોય તો પણ ગૌણ હોય. એક વાક્યમાં મુખ્ય વિશેષ્ય બે ન હોય. મુખ્ય વિશેષ્યની સાથે ક્રિયાનો અન્વય (સંબંધ) થાય છે. મુખ્ય વિશેષ્ય બે હોય તો ક્રિયાનો અન્વય બે વાર કરવો પડે. સવિશેષણમ્ સરધ્યાતં વચમ્ આ વાક્યની વ્યાખ્યા પ્રમાણે આખ્યાતનો અન્વય એક વાર થાય એટલે વાક્યબોધ થઈ જાય. બીજી વાર બીજા મુખ્ય વિશેષ્ય સાથે આખ્યાતનો અન્વય કરવા તે વાકયને ભિન્ન માનવું પડે. આ વાક્યભેદ દોષ છે. પ્રસ્તુત સ્થળે મુક્તિમાં પ્રિયનો અભાવ અને અપ્રિયનો અભાવ એમ પ્રત્યેકનો અભાવ અભીષ્ટ હોય તો વાક્યભેદ થાય. કારણ કે મુખ્ય વિશેષ્ય બે બની જાય છે. આમ, વાયભેદના ભયને ટાળવા ઉપર કહ્યું તે મુજબ આ શ્રુતિને ઉભયાભાવની પ્રતિપાદક માનવી જોઈએ. મુક્તિમાં સુખ હોવા છતાં ઉભયાભાવ મળી શકે છે તેથી