________________
मुक्तिवादः
परिभाषितेति फलतो न विशेषः ।
(२०) अत्र न्यायविदः-अविद्या न पदार्थान्तरम् मानाभावात् किन्त्वदृष्टमेव तत्त्वज्ञानरूपविद्याविरोधितयाऽविद्येत्युच्यते । अदृष्टव्यक्तीनां सादित्वेऽपि तत्प्रवाहस्या
લિંગશરીરને દુઃખનું કારણ માનવા છતાં પ્રપંચ તો માયાધીન છે. પ્રપંચની નિવૃત્તિ માયાની નિવૃત્તિથી જ સાધ્ય છે. માટે મોક્ષદશામાં માયાની નિવૃત્તિ થવી આવશ્યક છે. આ મતે અવિદ્યા ન જ માયા તરીકે ઓળખવામાં આવે છે. માટે પૂર્વમતથી આ મતમાં કોઈ વિશેષ ફરક નથી.
(૨૦) શબ્દાર્થ –આ વિષયમાં નૈયાયિકોનો એ મત છે કે–અવિદ્યા સ્વતંત્ર પદાર્થ નથી. તેને સ્વતંત્ર માનવામાં કોઈ પ્રમાણ નથી. પરંતુ અદૃષ્ટ નામનો ગુણ જ તત્ત્વજ્ઞાનરૂપ વિદ્યાનો
દુઃખનું અધિકરણ છે. દુઃખ ઉત્પન્ન થાય છે–લિંગ શરીરને કારણે. અને તેનાથી અવચ્છિન્ન હોવાથી આત્મા તેનું અધિકરણ બને છે. આમ કારણ અને કાર્ય વચ્ચે અવચ્છેદકતા સંબંધ છે. નૈયાયિકો શરીર અને આત્માનો વિજાતીય સંયોગ દુઃખાદિની ઉત્પત્તિનું કારણ માને છે. વેદાંતીઓ સૂક્ષ્મશરીર અને આત્માનો અવચ્છેદકતા નામનો સંબંધ માને છે. (ન્યાયમતે શ્રોત્રેન્દ્રિય કર્ણશખુલ્યવચ્છિન્ન આકાશ સ્વરૂપ છે. શુદ્ધાકાશમાં શ્રાવણ પ્રત્યક્ષ થતું નથી તેમ વેદાંત મતે લિંગશરીરાવચ્છિન્ન આત્મા દુઃખનું કારણ છે. લિંગ શરીરરૂપ ઉપાધિ રહિત શુદ્ધાત્મામાં દુઃખ ઉત્પન્ન થતું નથી.) અવચ્છેદકતા સંબંધથી આત્મા દુઃખનું અધિકરણ બને છે. દુઃખનો આશ્રય લિંગશરીર વિશિષ્ટ આત્મા છે. તેના એકદેશ (=વિશેષ્યમાં) દુ:ખ અવચ્છેદકતા સંબંધથી રહે છે. માટે વિશેષણમાં પણ તે અવચ્છેદકતા સંબંધ છે. આમ અવચ્છેદકતા સંબંધથી પરંપરયા દુ:ખનો આશ્રય લિંગ શરીર છે તેથી તેની નિવૃત્તિ દુ:ખનિવૃત્તિનું કારણ બની શકે છે. આમ પુરુષેચ્છાવિષયત્વ લિંગશરીરનિવૃત્તિમાં પણ અખંડ છે તેથી તે પુરુષાર્થનો વિષય છે. પરંપરા અવચ્છેદકતા સંબંધથી આશ્રયના એક દેશમાં લિંગશરીરનો અંતર્ભાવ માનવામાં ગૌરવ છે તેથી તાત્ર વા કહીને બીજો વિકલ્પ રજૂ કર્યો છે. અથવા દુ:ખનો આશ્રય એકમાત્ર લિંગશરીર જ છે. સાક્ષાત કે પરંપરાએ દુઃખનું કારણ તે જ છે. તેથી તેની નિવૃત્તિ પુરુષાર્થનો વિષય છે.
ત્રિદંડી વેદાંતીના મતનું ખંડન કરતા ગદાધર જણાવે છે કે–દુઃખનિવૃત્તિ અને લિંગશરીરનિવૃત્તિ વચ્ચે કાર્યકારણ ભાવ સમજાવી શકાય તેમ છે. આથી લિંગશરીર નિવૃત્તિ પુરુષાર્થ પણ બની શકે છે. તેમ છતાં દુઃખનિવૃત્તિમાં લિંગશરીરની નિવૃત્તિ કરતાં માયાની નિવૃત્તિ વધુ આવશ્યક છે. પ્રપંચ માયાને આધીન છે. જ્યાં સુધી માયા નિવૃત્ત ન થાય ત્યાં સુધી પ્રપંચની નિવૃત્તિ થતી નથી. લિંગશરીરની નિવૃત્તિ સાથે માયાની નિવૃત્તિ થઈ જ જાય છે તેવું નથી. લિંગશરીર નિવૃત્તિ જ મોક્ષ હોય તો મોક્ષમાં માયાનું અસ્તિત્વ છે તે સ્વીકારવું પડશે. મોક્ષમાં માયાનું અસ્તિત્વ નથી જ. તેથી માયા મોક્ષ માટે વધુ મજબૂત કારણ સિદ્ધ થાય છે. એકદંડી વેદાંતમતમાં જે અવિદ્યા છે તે જ ત્રિદંડીના મતે માયા. બન્નેના કાર્ય એક જ છે તેથી બંને વચ્ચે કોઈ તફાવત નથી. અવિદ્યાની કલ્પનાનું (અન્તઃસ્રરા વૃત્તિરૂપ.... ઇત્યાદિ ગ્રંથથી) પહેલા ખંડન કર્યું જ છે તેથી આ મતનું પણ ખંડન થઈ જાય છે.
(૨૦) વિવરણ –દુ:ખનું કારણ અવિદ્યા છે. આ વાત સર્વમાન્ય છે. વેદાંતમતમાં અવિદ્યા સદસથી અનિર્વચનીય એવો પદાર્થ છે. પ્રચલિત પ્રપંચગત પદાર્થોથી તે ભિન્ન છે. આ વિષયમાં