________________
मुक्तिवादः
ब्रह्मसंवेदनम् । न चाऽविद्यारूपावरणसत्त्वे ब्रह्मसंवेदनमेव दुर्घटमिति वाच्यम् । ब्रह्मसंवेदनं हि ब्रह्माकारान्तः करणवृत्तिः । वृत्त्याख्योऽन्तःकरणपरिणाम एव विषयावरणभूताविद्यानिवृत्तिफलकः । तदुक्तम्
३४
પ્રશ્ન :–અવિદ્યારૂપ આવરણની હાજરીમાં બ્રહ્મસંવેદન થવું અશક્ય છે.
જવાબ :–બ્રહ્મ સંવેદનનો અર્થ છે—બ્રહ્માકાર પરિણત અંતઃકરણની વૃત્તિ. વૃત્તિ નામનો અંતઃકરણનો પરિણામ જ વિષયનું આવરણ બનતી અવિદ્યાની નિવૃત્તિ કરાવે છે. કહ્યું છે—
પ્રશ્ન :–મુક્તિ તરીકે જે પદાર્થને કે જે અભાવને સ્થાપિત કરવો હોય તે સુખ કે દુઃખાભાવ રૂપ હોવો જોઈએ. પ્રસ્તુતમાં મુક્તિની પુરુષાર્થ તરીકે વિચારણા ચાલી રહી છે. જે પ્રયોજન=પુરુષની ઇચ્છાનો વિષય બને તે જ પુરુષાર્થ કહેવાય. મુક્તિ તો સ્વતઃ પ્રયોજન હોવી જોઈએ. વેદાંત મતે અવિદ્યાનિવૃત્તિ મુક્તિ છે. તે સુખ કે દુઃખાભાવ રૂપ નથી. દુઃખ એ બુદ્ધિ નામના અંતઃકરણનો ધર્મ છે. (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર અંતઃકરણ છે) આમ, દુઃખ આત્માનો ધર્મ નથી. વેદાંતમતે આત્મામાં કોઈ ધર્મ રહેતો નથી. તેથી અવિદ્યાની નિવૃત્તિ એ અંતઃકરણ વિશેષના દુઃખરૂપ ધર્મના અભાવનું કારણ છે. અવિદ્યાની નિવૃત્તિથી આત્માની અંતઃકરણ રૂપ ઉપાધિ દૂર થાય છે. અંતઃકરણના નાશ સાથે જ બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિનો વિલય થતા દુઃખનો નાશ થાય છે. આ રીતે અવિદ્યાનિવૃત્તિ સ્વયં દુઃખાભાવ કે સુખરૂપ નથી તે સ્પષ્ટ છે. માટે તે સ્વતઃ પ્રયોજન નથી. તો અવિદ્યાનિવૃત્તિ મુક્તિ કેવી રીતે કહેવાય ?
જવાબ :–અવિદ્યા નિવૃત્તિ સ્વતઃ પ્રયોજન નથી. પણ દુઃખનિવૃત્તિનું કારણ છે. માટે ગૌણ પ્રયોજન તો બની જ શકે છે.
પ્રશ્ન :–અવિદ્યા નિવૃત્તિ મોક્ષ છે. અવિદ્યા એટલે વિદ્યાથી ભિન્ન પદાર્થ. આ અર્થ કરીએ તો વિદ્યાથી ભિન્ન ઘટાદિ પણ છે તે અવિદ્યારૂપ બનતા ઘટની નિવૃત્તિને મોક્ષ કહેવાની આપત્તિ આવશે. જવાબ ઃ—વેદાંતમતે અવિદ્યા, વિદ્યાના અભાવરૂપ નથી. પરંતુ સદ્ અને અસદ્દી અનિર્વચનીય એવો, પદાર્થાન્તર છે. અદ્વૈતવાદમાં પ્રપંચનું વાસ્તવિક અસ્તિત્વ નથી છતાં દૃશ્યમાન પ્રપંચની સંગતિ અવિદ્યા વિના થતી નથી માટે સત્ત્વ-રજ-તમમ્ આ ત્રણ ગુણ સ્વરૂપ અવિદ્યાની કલ્પના કરવામાં આવે છે. આ અવિદ્યા પ્રાગભાવની જેમ અનાદિ હોવા છતાં સાંત છે. જેમ આલોકથી અંધકારનો નાશ થાય છે તેમ અવિદ્યાનો નાશ બ્રહ્મસંવેદનથી થાય છે. આમ ઘટાદિને મોક્ષ માનવાની આપત્તિ નથી.
પ્રશ્ન :–અવિદ્યા અને બ્રહ્મસંવેદન પરસ્પર વિરોધી પદાર્થો છે. અવિદ્યાની હાજરીમાં બ્રહ્મસંવેદન ન હોય અને બ્રહ્મસંવેદનની હાજરીમાં અવિદ્યા ન હોય. અવિઘા અનાદિ છે તેની હાજરીમાં બ્રહ્મસંવેદન થવું અશક્ય છે. સરવાળે અવિદ્યાનો નાશ થશે નહીં.
જવાબ :—વેદાંત મતે જ્ઞાનની પ્રક્રિયાના બે તબક્કા છે. એક, અજ્ઞાનનો નાશ. બે, વિષયની સ્ફૂર્તિ (પ્રગટ થવું). અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય આત્મા છે. તેમાં બે ઘટક તત્ત્વ છે. અંતઃકરણ અને ચૈતન્ય. અંતઃકરણના ચાર પ્રકાર છે ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકાર. વિષયનું સંવેદન કરવા અંતઃકરણની વૃત્તિ બને છે. ઘટનું જ્ઞાન કરવા અંતઃકરણ, બુદ્ધિરૂપ વૃત્તિ દ્વારા વિષયાકારે પરિણત થાય છે. અંતઃકરણના વિષયાકાર પરિણામને ‘વૃત્તિ’ કહેવાય છે. અવિદ્યાનું કાર્ય છે—વિષય પર આવરણ બનીને છવાઈ જવું. આવરણને કારણે વિષયનું જ્ઞાન થતું નથી. ઘટના સંબંધમાં આ વિષયાવરણ ‘વયે નાસ્તિ’ ઇત્યાકારક જ્ઞાન