________________
मुक्तिवादः
चैवं जाग्रत्सुषुप्त्यवस्थासङ्करः, व्यक्ताव्यक्तज्ञानयोगात् तदसाङ्कर्यात् । 'सुषुप्तौ सतो ज्ञानादेः कथमनुपलक्षणमिति चेत् ? अश्वविकल्पकाले गोदर्शनस्येवेति विभाव्यताम् । न च युगपज्ज्ञानद्वयानभ्युपगमात् तदा तदसम्भवः, सविकल्पाविकल्पयोर्युगपद्वृत्तेरनुभवाद्, अन्यथा ‘यदा मया गौर्दृष्टः तदाऽश्वो विकल्पितः' इत्युत्तरकालं प्रतिसन्धानं न स्यात् ।
१६४
અને સુષુપ્ત અવસ્થામાં ભેદ જ નહીં રહે. જાગૃત અવસ્થામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે અને નિદ્રા દશામાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. આવું માનવામાં આવે તો જ બે અવસ્થામાં ભેદ ઘટી શકશે.—આ સમસ્યાનું સમાધાન એ છે કે ઋજુસૂત્રમતાનુસાર જાગૃત અવસ્થામાં વ્યક્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે અને નિદ્રા અવસ્થામાં અવ્યક્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન બન્ને અવસ્થામાં ઉત્પન્ન થવા છતાં વ્યક્ત-અવ્યક્ત ભેદથી જ્ઞાનમાં ભેદ પડી શકે છે અને તેના નિમિત્તે જાગૃત અવસ્થા અને નિદ્રા દશામાં તફાવત રહી શકે છે.
સુ॰ । અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે—સુષુપ્તિ અવસ્થામાં જ્ઞાન હોવા છતાં તે અવ્યક્ત કેમ છે? તેનું ભાન કેમ થતું નથી ?—જેના સમાધાનમાં ઋજુસૂત્રમતાવલંબીઓનું એવું કથન છે કે આ અશ્વ છે એવા વિકલ્પ સમયે ગાયનું દર્શન =નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે. તેથી એ બન્ને સાથે હોવા છતાં ગાયના દર્શન =નિર્વિકલ્પક પ્રત્યક્ષનું ભાન થતું નથી, કારણ કે નિર્વિકલ્પ જ્ઞાન અતીન્દ્રિય હોય છે. આ રીતે સુષુપ્ત દશામાં જ્ઞાન હોવા છતાં તે અતીન્દ્રિય =અવ્યક્ત હોવાના લીધે તેનું ત્યારે ભાન થતું નથી. અહીં ફરીથી એવો પ્રશ્ન થાય કે—એક સમયે બે જ્ઞાન માન્ય ન હોવાથી સવિકલ્પ અશ્વજ્ઞાન અને નિર્વિકલ્પ ગોદર્શન એક સાથે એકત્ર રહી જ કેવી રીતે શકે ?–તો તેનું સમાધાન તો આપણો અનુભવ જ આપે છે, કારણ કે અશ્વવિકલ્પ સમયે જ ગોદર્શનની હાજરી અનુભવાય છે. જો સવિકલ્પક જ્ઞાન અને નિર્વિકલ્પક જ્ઞાનને એક સાથે એકત્ર માન્ય કરવામાં ન આવે તો જ્યારે મેં ગાયને જોઈ તે જ સમયે ઘોડાનો મેં વિચાર કર્યો હતો આવું ઉત્તર કાલમાં અનુસંધાન થઈ ના શકે. આ અનુસંધાન જ સિદ્ધ કરી આપે છે કે ગોદર્શન સમયે પણ અશ્વવિકલ્પ હાજર છે. જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ છે આવું સિદ્ધ કરવાની જરૂર નથી, કારણ કે જ્ઞાનની ક્ષણિક સત્તા જ જ્ઞાનને ક્ષણાત્મક સિદ્ધ કરી આપે છે. ક્ષણસત્તા =ક્ષણિક સત્તા ક્ષણથી અભિન્ન છે તેમ ક્ષણસ્વરૂપમાં દેખાય છે. જ્ઞાનાદિની પણ સત્તા ક્ષણિક હોવાથી જ્ઞાનાદિ પણ ક્ષણથી ભિન્ન નથી પણ ક્ષણાત્મક જ છે. તથા સમર્થ ક્ષણ સજાતીય ક્ષણને ઉત્પન્ન કરે જ છે. આથી મુક્તિમાં પણ જ્ઞાન-સુખની ધારા ચાલતી રહેશે. અહીં એવી શંકા ના કરવી—મોક્ષમાં શરીરાદિ ગેરહાજર હોવાથી જ્ઞાનાદિ કેવી રીતે ઉત્પન્ન થઈ શકશે ?–કારણ કે શરીર વગેરે જ્ઞાનાદિના અપેક્ષાકારણ = સહકારી કારણ છે. સહકારી કારણ નિયત નથી હોતા. અંજન વગેરે ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે સહકારી કારણ હોવા છતાં દરેક ચાક્ષુષ પ્રત્યક્ષની નિયત પૂર્વવર્તી હોય જ—એવો નિયમ ન હોવાથી અંજનાદિ વિના પણ જેમ ચક્ષુજન્ય સાક્ષાત્કાર ઉત્પન્ન થઈ શકે છે તેમ શરીર વગેરે જ્ઞાન, સુખ પ્રત્યે સહકારી કારણ હોવા છતાં દરેક જ્ઞાનાદિની પૂર્વક્ષણે તે ઉપસ્થિત હોય જ એવો નિયમ ન હોવાથી શરીરાદિ વિના પણ મુક્તિમાં