________________
१२८
मुक्तिवादः
(३) आत्मकालान्यवृत्तिध्वंसप्रतियोग्यवृत्तिदुःखत्वं दुःखप्रागभावानधिकरणवृत्तिध्वंसप्रतियोगिवृत्ति कार्यमात्रवृत्तिधर्मत्वात् प्रदीपत्ववदिति सर्वमुक्तिसिद्धौ
વગેરે દ્રવ્ય સત્તાજાતિવિશિષ્ટ પણ છે, અનેક પણ છે અને વસ્તુસ્વરૂપ પણ છે. આથી સત્તાવિશિષ્ટ અનેક વસ્તુત્વસ્વરૂપ સત્તતિત્વ હેતુ મન આદિમાં રહે છે. પરંતુ મન વગેરે અત્યંત ઉચ્છેદ પામતાં નથી. ઉપરોક્ત હેતુ હોવા છતાં અત્યંત ધ્વસથી નિરૂપિત પ્રતિયોગિતાસ્વરૂપ સાધ્ય નહીં હોવાથી વ્યભિચાર દોષ સ્પષ્ટ જ છે.
યદ્રિ વં૦ | દર્શિત વ્યભિચાર દોષના નિવારણ માટે પ્રાચીન નૈયાયિક જો એમ કહે કેસત્તતિના ઘટકસ્વરૂપે જે સાજાત્ય લેવાનું છે તે સત્તા વગેરે વ્યાપક જાતિની અપેક્ષાએ નહીં પણ ગુણત્વ, દુઃખત્વ વગેરે વ્યાપ્ય જાતિની અપેક્ષાએ વિવક્ષિત છે. મન વગેરે નિત્ય દ્રવ્યમાં સત્તા વગેરે પર જાતિ ભલે રહેતી હોય પરંતુ ગુણત્વ, દુઃખત્વ વગેરે અપર જાતિ તો રહેતી નથી. તેથી ગુણત્વ, દુઃખત્વ આદિ જાતિવિશિષ્ટ અનેક વસ્તુત્વસ્વરૂપ સત્તતિત્વ મન વગેરેમાં નહીં રહે. માટે વ્યભિચારની સંભાવના જ મરી પરવારશે. હેતુ જ જયાં રહેતો ન હોય ત્યાં વ્યભિચાર દોષની બાંગ પોકારવી બોગસ છે.” તો આ વાત બરાબર નથી. આનું કારણ એ છે આ રીતે કરવા જતાં તો વ્યભિચાર-સ્વરૂપ બકરું કાઢતાં સાધનવૈકલ્યસ્વરૂપ ઊંટ પેસી જવા જેવી હાલત સર્જાશે. મતલબ એ છે કે દુઃખસંતતિમાં પ્રદીપસંતતિની જેમ અત્યંત નાશ્યતાની સિદ્ધિ કરવા માટે જે સત્તતિત્વ હેતુનું ગ્રહણ કરેલ છે. તેને ગુણત્વ-દુ:ખત્વઆદિ જાતિ વિશિષ્ટ અનેક વસ્તુત્વસ્વરૂપ માનવામાં આવે તો વિવક્ષિત સન્તતિત્વ હેતુ પક્ષમાં દુઃખસંતતિમાં તો રહી જશે, પરંતુ પ્રદીપસન્તતિસ્વરૂપ ઉદાહરણમાં નહિ રહે, કારણ કે પ્રદીપ દ્રવ્ય હોવાના લીધે પ્રદીપસન્નતિમાં દ્રવ્યત્વ જાતિ રહી શકશે, ગુણત્વ, દુ:ખત્વ વગેરે જાતિ નહીં. જે હેતુના બળથી ઉદાહરણ દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરવી છે તે હેતુ પક્ષની જેમ ઉદાહરણમાં રહેતો હોય તો તે હેતુમાં ઉદાહરણના માધ્યમથી વ્યાપ્તિનું જ્ઞાન થયે છતે પક્ષમાં અભિમત સાધ્યની સિદ્ધિ થઈ શકે. પક્ષ અને ઉદાહરણમાં સમાન હેતુ ન રહે તો તેવા હેતુના આધારે પક્ષમાં અભીષ્ટ સાધ્યની સિદ્ધિ થઈ ના શકે. માટે જ ઉદાહરણમાં સાધનવૈકલ્ય =પક્ષવૃત્તિહેતુસમાનહેતુશૂન્યતા દોષાત્મક મનાય છે.
સર્વજીવમુક્તિસિદ્ધિ-વર્ધમાન ઉપાધ્યાય (૩) આત્મ | તત્ત્વચિંતામણિકાર ગંગેશ ઉપાધ્યાયના સુપુત્ર વર્ધમાન ઉપાધ્યાય મુક્તિની સિદ્ધિ કરવા માટે જે અનુમાન રજૂ કરે છે તેનો આકાર આવો છે–આત્મા અને કાલથી અન્યમાં રહેનાર ધ્વસના પ્રતિયોગીમાં નહીં રહેનાર એવું દુ:ખત્વ (=પક્ષ) દુઃખના પ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વંસના, પ્રતિયોગીમાં રહે છે, કારણ કે તે (=નિરૂક્ત દુ:ખત્વસ્વરૂપ પક્ષ) કાર્યમાત્રમાં રહેનાર ધર્મ છે. જે જે ધર્મ કાર્યમાત્રમાં =ફક્ત કાર્યમાં રહે તે ધર્મ દુઃખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વસના પ્રતિયોગીમાં રહે છે, જેમ કે પ્રદીપ–. પ્રદીપ– ધર્મ ફક્ત કાર્યમાં જ રહે છે, કારણ કે દરેક દીવા અનિત્ય જ હોય છે. તેથી જ તે પ્રદીપત્વ ધર્મ દુ:ખપ્રાગભાવના અનધિકરણ એવા પ્રદીપ અવયવોમાં રહેનાર ધ્વંસના (=પ્રદીપધ્વસના) પ્રતિયોગી પ્રદીપમાં રહે