________________
मुक्तिवादः
१२१
( ४१ ) ननु ' तावदेवास्य चिरं यावन्न विमोक्षः अथ सम्पत्स्यते कैवल्येन' इति श्रुतेः तावदेवास्योत्पन्नतत्त्वज्ञानस्य चिरं विलम्बः यावन्नोत्पन्नकर्मणो विमोक्षः अथ सम्पत्स्यते कैवल्येनेत्यत्र भोगेन क्षपयित्वा इति शेषः । न च शेषे मानाभावः, सत्यपि विज्ञाने कर्मावस्थाने क्लृप्तसामर्थ्यस्य भोगस्यैव नाशकत्वेनाक्षेपादिति चेत् । न । तत्त्वज्ञाने सति तत्त्वज्ञानदशायां न मोक्षः किन्तु तदग्रिमक्षण इत्यार्थत्वेनाप्युपपत्तेः ।
(४२) यत्तु अकृतप्रधानाङ्गापूर्वाभिप्रायमेतत् ज्ञानाग्निः सर्वकर्माणीत्यादि तेषां कार्याणां नाशकान्तराभावादिति । तन्न । प्रधानार्थितया क्लृप्तानां तदभावे तत्सामग्र्यसिद्धेः, तत्सत्त्वेऽपि सर्वकर्मपदस्य कर्मान्तरपरिग्राहकस्य सङ्कोचे मानाभावात् । यदपि भस्मसात्करणादिना फलाजनकत्वमुच्यते तत्त्वज्ञानात्कृत विहितं कर्म न फलायेति । तथा च श्रुतिः, तद्यथा " पुष्करपलाशेनापः श्लिष्यन्ते " इत्यादि । तदपि न । न हि भस्मसात्करणं क्षयश्चानुत्पत्तिरुच्यते । न च लक्षणा, मुख्ये बाधकाभावादिति ।
**
(૪૧) પૂર્વપક્ષ ‘‘તાવનેવાસ્ય ચિરં યાવન્ન વિમોક્ષ: ગ્રંથ સમ્પ્રત્યે વૈવલ્યેન’' આ શ્રુતિથી પ્રાપ્ત થાય છે કે, ‘‘ત્યાં સુધી જ તત્ત્વજ્ઞાનીના મોક્ષમાં વિલંબ છે, જ્યાં સુધી ઉત્પન્ન કર્મનો મોક્ષ નથી થઈ જતો, પશ્ચાત્ (પછી) તેને કૈવલ્ય પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા ‘ભોગ દ્વારા ક્ષય કરીને’ આ શેષ
ભાગની કલ્પના કરવી જોઈએ.
પ્રશ્ન :–શેષભાગમાં કોઈ પ્રમાણ નથી.
ઉત્તર ઃ–તત્ત્વજ્ઞાન થવાથી પણ કર્મનાં વિદ્યમાન થવાથી સામર્થ્યવાન ભોગને જ નાશકના રૂપમાં માનવો જોઈએ.
(ઉત્તર પક્ષ) એવું કથન યોગ્ય નથી, કારણ કે તત્ત્વજ્ઞાન થવાથી તત્ત્વજ્ઞાનની અવસ્થામાં મોક્ષ થતો નથી, તેની અગ્રિમ ક્ષણમાં થાય છે. ઉપર્યુક્ત શ્રુતિનો આ અર્થ પણ ગ્રહણ કરી શકાય છે. (૪૨) પ્રશ્ન :–આ મત છે કે અકૃત પ્રાધાનાંગાપૂર્વના અભિપ્રાયથી ‘‘જ્ઞાનાગ્નિ: સ્વર્ગાળિ'' આ કહેવાયું છે. તેનાં કર્મો (અપૂર્વ)નો નાશક અન્ય કોઈ નથી.
ઉત્તર ઃ—તે યોગ્ય નથી. પ્રધાનને માટે કરેલા અંગોનો અભાવ થવાથી તેની સામગ્રી જ
-
સિદ્ધ નહીં થાય, તેના રહેવાથી પણ કર્મ પદ કર્માન્તરનું બોધક છે. આ પ્રકારનો સંકોચ કરવામાં કોઈ પ્રમાણ નથી.
પ્રશ્ન :–જે પણ—ભસ્મસાત્કરણનો અર્થ ‘‘ફળનો જનક ન હોવું’’ આ કહેવાય છે, તેનો અર્થ આ છે કે - ‘‘તત્ત્વજ્ઞાન થયા પછી કરેલું વૈધ (માન્ય-યોગ્ય) કર્મ પણ ફળજનક થતું નથી.’’ તેવી જ રીતે શ્રુતિ છે. ‘‘કમળના પત્રોને જળ લાગતાં તે ભીંજવી શકતાં નથી.” ઇત્યાદિ
ઉત્તર ઃ—તે પણ ગ્રાહ્ય નથી. કારણ કે ભસ્મસાત્કરણ અથવા ક્ષયનો અર્થ ‘‘અનુત્પત્તિ’’ નથી અને અહીંયા લક્ષણા પણ નથી કારણ કે મુખ્ય અર્થ ગ્રહણ કરવામાં કોઈ બાધક નથી.