________________
मुक्तिवादः
सत्यग्रिमसमये प्रागभावस्वरूपमस्ति तेन विना नास्तीत्यन्वयव्यतिरेकयोस्तत्र सत्त्वात् । घटेऽपि कृतौ सत्यामग्रिमक्षणे तत्सत्त्वं तया विना नेत्येव कृतिसाध्यत्वम्, न तु प्रागसतोऽग्रिमक्षणे सत्त्वमुत्पत्तिः गौरवात् । (प्र. ) कृतिं विना न यत्स्वरूपं तत्कृतिसाध्यं प्रागभावस्वरूपन्तु न तथेति चेत् । न । कृतिध्वंसेऽपि घटसत्त्वेनाग्रिमक्षण इत्यावश्यकत्वात् । अत एव योगवत्क्षेमस्याप्यनागतानिष्टानुत्पादजनकस्य परीक्षकप्रवृत्तिविषयत्वमिति वक्ष्यते निषेधापूर्वप्रस्तावे ।
९६
(९) ननु प्रायश्चित्तनाश्यपापजन्यदुःखस्य प्रागभावो यद्यस्ति तदा दुःखमावश्यकं तस्य प्रतियोगिजनकत्वनियमात्, नास्ति चेत् तर्हि तदभावादेव दुःखानुत्पाद इत्युभयथापि प्रायश्चित्तमफलम्, तस्माद् दुःखसाधनध्वंसमुखेन प्रागभावस्य साध्यतेति तत्रैव कृतिसाध्यत्वपर्यवसानाद् दुःखसाधनध्वंस एव पुरुषार्थो न तु दुःखानुत्पादार्थितयेति तत्र प्रागभावसत्त्वासत्त्वविचारो वायसदशनविचारवत् । अथ तदापि प्रागभावस्यासत्त्वे तदभावात् पापं न दुःखसाधनमिति तन्नाशार्थं प्रवर्त्तेत
સાધ્ય છે, દુઃખના કારણના ઉપસ્થિત થવાથી પ્રયત્ન થવાથી દુઃખ સાધનનો વિનાશ થવાની સ્થિતિમાં આગામી સમયમાં પ્રાગભાવની સ્થિતિ થાય છે. તેના વગર થતી નથી. આ પ્રકારે અન્વયે અને વ્યતિરેક ત્યાં પણ ઉપલબ્ધ થાય છે. ઘટના વિષયમાં પણ પ્રયત્ન કરવાથી આગામી ક્ષણોમાં
ઘટ ઉત્પન્ન થાય છે. અને પ્રયત્ન ન કરવાથી ઉત્પન્ન નથી થતો. આ જ તેનું કૃતિથી સાધ્ય થવું છે. પહેલાં નહોતો અને અગ્રિમ ક્ષણોમાં થયો તેને ઉત્પત્તિ માનવી તે વાત માનવામાં ગૌરવ દોષ છે.
પ્રશ્ન :–પ્રયત્ન વગર જેનું સ્વરૂપ ઉપલબ્ધ નથી થતું તે પ્રયત્નસાધ્ય થાય છે. પ્રાગભાવનું સ્વરૂપ પ્રયત્નથી ઉપલબ્ધ નથી થતું.
ઉત્તર :–આમ કહેવું સમીચીન (સંપૂર્ણ યોગ્ય) નથી. કારણ કે પ્રયત્નના સમાપ્ત થઈ જવાથી પણ ઘટનું અસ્તિત્વ થવાથી અગ્રિમ ક્ષણ આ કથન આવશ્યક છે. એટલા માટે યોગની જેમ ક્ષેમ પણ જે અનાગત અનિષ્ટની અનુત્પત્તિનું કારણ છે તે પણ પરીક્ષકની પ્રવૃત્તિનો વિષય થાય છે. આ વાત નિષેધાપૂર્વના પ્રસ્તાવમાં કહેવામાં આવશે.
( ૧ ) ( પૂર્વપક્ષ ) અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે—જો પ્રાયશ્ચિતથી નષ્ટ થવાવાળા પાપથી ઉત્પન્ન દુઃખનો પ્રાગભાવ છે તો દુઃખ આવશ્યક રૂપથી ઉત્પન્ન થશે. કારણ કે ‘પ્રાગભાવ પોતાના પ્રતિયોગીનો જનક થાય છે’ આ નિયમ છે. જો નથી તો તેના ન થવાથી જ દુઃખની ઉત્પત્તિ નહીં થાય, આ પ્રકારે બન્ને સ્થિતિમાં પ્રાયશ્ચિત વ્યર્થ છે. તેનું કોઈ ફળ નથી તેથી દુઃખના કારણના વિનાશના માધ્યમથી પ્રાગભાવ સાધ્ય છે. તેમાં કૃતિસાધ્યતાનું પર્યવસાન થવાથી દુઃખસાધનધ્વંસ જ પુરુષાર્થ છે, (તે) દુઃખની અનુત્પતિના કારણના રૂપમાં નથી તેથી તેમાં પ્રાગભાવ રહેવા અને ન રહેવાનો વિચાર કાકદન્ત વિચારની જેમ નિરર્થક છે.