________________
मुक्तिवादः
(५) नन्वेवं ध्वंसार्थं दुःखमुपादेयं तदनुत्पाद्य ध्वंसानुत्पादादिति चेत्, सत्यम्, पुरुषार्थहेतुत्वेन लोके दुःखतत्साधनयोरपि उपादानदर्शनात् अनागतकुम्भनाशार्थं मुद्गरादौ प्रवृत्तिदर्शनादनागतदुःखध्वंसार्थमपि प्रवृत्तिः । (शं) चरमदुःखध्वंसो न दुःखध्वंसत्वेनोद्देश्यः अयत्नसिद्धदुःखान्तरध्वंसवदपुरुषार्थत्वादिति चेत् । न । समानाधिकरणदुःखप्रागभावासहवृत्तिदुःखध्वंसत्वेन तस्योद्देश्यत्वात् दुःखासम्भिन्नसुखवत्, तस्य च पुरुषप्रयत्नसाध्यत्वमेवेत्युक्तम् ।।
(६) एतेन दुःखध्वंसत्वमेव मोक्षत्वम् । तत्तदात्मयावदुःखध्वंससम्वलनदशायान्तु तथाव्यपदेशः । प्रतिपुरुषं दुःखध्वंसस्तोमस्य व्यक्तिस्थानीयत्वात्, तेजोऽभावे सम्वलिते अन्धतमसपदप्रयोगवत्, यथा सम्वलित एव द्वाविति बुद्धिव्यपदेशौ प्रवृत्तिरपि सम्वलनार्थमित्य पास्तम् । मिलितानामसाध्यत्वात् मेलकस्यानतिरिक्तत्वेऽतिप्रसङ्गाद्, अतिरिक्तत्वे जन्यस्य ध्वंसावृत्तेः अजन्यस्य पुरुषार्थत्वक्षतेः
(૫) પ્રશ્ન –આ પ્રકારે દુઃખધ્વંસને માટે દુઃખને ઉત્પન્ન કરવું કારણ કે તેની ઉત્પત્તિ વગર તેના વિનાશની પણ ઉત્પત્તિ નથી.
ઉત્તર :–જો આમ કહેવામાં આવે તો આ વાત સાચી છે. પુરુષાર્થનાં સાધન રૂપમાં દુઃખ અને દુઃખના સાધન બન્નેને ગ્રહણ કરવાનું લોકમાં દેખાય છે. ભવિષ્યકાલીન કુંભના નાશને માટે મુગરાદિમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે. તે પ્રકારે અનાગત દુ:ખના વિનાશને માટે પણ પ્રવૃત્તિ થાય છે.
પ્રશ્ન :–અંતિમ દુ:ખનો ધ્વંસ દુઃખધ્વસના રૂપમાં ઉદ્દેશ્ય નથી. કારણ કે કોઈ પણ પ્રયાસ વગર થવાવાળા દુઃખધ્વંસની જેમ તે પણ પુરુષાર્થ નથી.
ઉત્તર :-એમ કહેવું યોગ્ય નથી કારણ કે સમાન અધિકરણમાં રહેતા દુ:ખપ્રાગભાવની સાથે ન રહેવાવાળા દુઃખધ્વસના રૂપમાં ઉદ્દેશ્ય છે. દુઃખથી અમિશ્રિત સુખની જેમ તે પણ પુરુષપ્રયત્નથી સાધ્ય થાય છે, એવું કહેવામાં આવ્યું છે.
(૬) પ્રશ્ન :આ કથનથી આ મત ખંડિત થાય છે કે – “દુઃખધ્વંસ જ મોક્ષ છે. આ પ્રકારે બધા દુઃખોના ધ્વંસોના સમૂહની અવસ્થામાં મોક્ષ શબ્દનો પ્રયોગ થાય છે પ્રત્યેક પુરુષના દુ:ખોના નાશનો સમૂહ વ્યક્તિગત હોય છે. જે રીતે તેજના અભાવનો સમૂહ રહેવાથી અંધકાર શબ્દનો પ્રયોગ થાય છે તે પ્રકારે સમૂહ થવાને લીધે જ “બે” આ બુદ્ધિ, વ્યવહાર અને પ્રવૃત્તિ પણ સમૂહ અર્થમાં થાય છે.
ઉત્તર –કારણ સમૂહ સાધ્ય નથી. મલકને અભિન્ન માનવાથી અતિવ્યાપ્તિ થશે, ભિન્ન માનવાથી અન્ય વસ્તુનો ધ્વંસ અવશ્ય થાય છે, અને અન્ય પુરુષાર્થ થઈ શકતો નથી. અંધકારના વિષયમાં “તેજનો અભાવ” સમુદાયમાં જ અંધકારપદનો પ્રયોગ થાય છે.