________________
मुक्तिवादः
कारणतैव तृणादीनां वह्नरिव ।
(४५) न चैवं संवलितयोव्रीहियवयोरिव काशीगङ्गामरणयोः फलानुत्पादकत्वप्रसङ्ग इति वाच्यम् । वैषम्यात्, तथाहि-व्रीहियवयोरेकप्रकरणे क्रमेण यागसाधनताया विधानाद्यवसाधनत्वेन प्रथमतो लाभे साधनान्तराकाङ्क्षानुदयाद् 'व्रीयकरणको यागः किंकरणकः फलसाधनम्' ? इति विकल्पमुख्याकाङ्क्षयैव
જ કારણતા માનવી જોઈએ.
(૪૫) શબ્દાર્થ –પ્રશ્ન –વૈકલ્પિકી કારણતા માનવાથી સંવલિત વ્રીહિ-યવની જેમ સંવલિત કાશીમરણ-અને ગંગામરણ ફળ ઉત્પન્ન કરશે નહીં.
જવાબ:–ઉદાહરણ વિષમ છે તેથી (ઉપરોક્ત આપત્તિ નથી.) તે આ રીતે કે-વ્રીહિ અને યવની યોગસાધનાનું વિધાન એક પ્રકરણમાં ક્રમપૂર્વક થયું છે. તેથી યવની સાધનતાનો લાભ પહેલા જ થઈ જાય તો બીજા સાધનની આકાંક્ષા જન્મે નહીં. માટે જેમાં વ્રીહિ કરણ નથી એવો
વૈકલ્પિકી જ છે.
(૪૫) વિવરણ –પ્રશ્ન –જેમની કારણતામાં વિકલ્પ હોય છે તેમનો સમુચ્ચય ફળનું કારણ મનાતો નથી. જેમકે યાગ પ્રત્યે વ્રીહિ અને યવની કારણતામાં વિકલ્પ છે, તેમનો સમુચ્ચય કારણ નથી. વ્રીહિ અને યવ વિકલ્પ કારણ છે. એટલે બંને સાથે મળીને ફળ ઉત્પન્ન કરતા નથી. વ્રીહિ પણ યાગનું કારણ છે, અને યવ પણ યાગનું કારણ છે છતાં બંને એકસાથે કારણ બનતા નથી. તેમ થાય તો વિકલ્પની વિભાવના જ ખંડિત થાય. ગંગામરણ અને કાશીમરણ જો મોક્ષ પ્રત્યે વિકલ્પ કારણ હોય તો તેમનું સંવલન મોક્ષનું કારણ ન બની શકે. આમ અદેખ દ્વારા તેમનું સંવલન થઈને તે વિકલ્પ કારણ બને છે. આ વાત ખોટી સાબિત થાય છે.
જવાબ :-વ્રીહિ-યવની વૈકલ્પિકી કારણતા અને ગંગામરણ અને કાશીમરણની વૈકલ્પિક કારણતામાં ફરક છે. આ ફરક સમજવા વ્રીહિયવના વિકલ્પનું સ્પષ્ટીકરણ આવશ્યક છે. દર્શપૂર્ણમાસ યાગના પ્રકરણમાં પુરોડાશનું યાગના અંગ તરીકે વિધાન છે. પુરોડાશ મોટા રોટલા જેવું દ્રવ્ય છે. પુરોડાશ શેનાથી બનાવવો? એવી આકાંક્ષા જાગવી સહજ છે. પુરોડાશના પ્રકૃતિ દ્રવ્ય તરીકે ઘણા દ્રવ્ય પ્રાપ્ત છે. તેમાંથી એકનું નિયમન કરવા વૈર્યનેત, વ્રીહિમિર્યત આ વાક્યનું વિધાન છે. વ્રીહિ અને યવ પુરોડાશ રૂપ એક જ દ્રવ્ય માટે છે તેથી તેમની વચ્ચે વૈકલ્પિકી કારણતા છે. વિકલ્પ કારણ બનતા દ્રવ્યોની કારણતા સમકક્ષ હોય છે. તેઓ એક જ કાર્યના કારણ હોય છે. કારણ તરીકે તેમનું વિધાન કાર્ય પ્રત્યેની આકાંક્ષા દ્વારા થાય છે. કાર્યને સાધનની આકાંક્ષા હોય છે. કેટલાક કાર્યોને એકથી વધુ સાધનની આકાંક્ષા હોય છે. અનેક સાધનોની આકાંક્ષામાં સમુચ્ચય હોય કે વિકલ્પ હોય. જ્યાં વિકલ્પ હોય તે સ્થળે એકની સાધનતા ગૌણ બનવી ન જોઈએ. સાધનનું વિધાન છે તે પ્રકરણમાં ક્રમથી થયું હોય છે. જેમકે દર્શપૂર્ણમાસના સાધન તરીકે યવ અને વ્રીહિનું વિધાન ક્રમથી થયું છે. પહેલા યવની સાધનતાનો બોધ થઈ જાય તો વ્રીહિની આકાંક્ષા ન જાગે તે સહજ છે. તેને જગાવવી પડે તો વ્રીહિ કારણ તરીકે ગૌણ બની જાય. આવું ન થાય તે માટે આકાંક્ષાના સ્તરે જ વ્રીહિને પણ સ્થાન આપવું ઘટે અને તેમ કરતી વખતે યવની કારણતાને હાનિ ન પહોંચે તેનું પણ ધ્યાન