SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः प्रतियोगिनां स्वाश्रयप्रतियोगिकत्वसम्बन्धेन तेषामेव वा जन्यतावच्छेदकत्वमुपगम्य व्यभिचारः शक्यते वारयितुम्, गोवधादिजन्यतावच्छेदकजातिभिः सङ्करप्रसङ्गेन जातिकल्पनानवकाशात् । न च गोवधादिजन्यतावच्छेदकजातीनां नानात्वोपगमान्नसङ्करप्रसङ्ग इति वाच्यम् । तासां नानात्वं तत्त्वज्ञानादिनाश्यतावच्छेदकजातीनां वा नानात्वमित्यत्र विनिगमकस्य दुर्लभत्वात् । एवं वेदबोधितवैकल्पिकहेतुतास्थले समुच्चितेभ्यो न फलसिद्धिः सम्वलितव्रीहियवाभ्यामेकयागाननुष्ठानादिति तृणारणिमणिवत् ज्ञानकर्मणां हेतुत्वे तत्सम्वलने मोक्षाभावप्रसङ्गात् । नापि ज्ञानकर्मणां समुच्चितानां मोक्षहेतुतास्वीकारात् सामञ्जस्यम् तत्त्वज्ञानोपाययोगाभ्यासेऽसाध्यता પ્રશ્ન :-ગોવધ વગેરે જન્યતાની અવચ્છેદિકા જાતિઓને અનેક માનવાથી જાતિ સંકરનો પ્રસંગ નહીં આવે. જવાબ :-ગોવધ વગેરેની જન્મતાવચ્છેદક જાતિ અનેક છે કે તત્ત્વજ્ઞાનાદિની નાશ્યતાવચ્છેદક જાતિ અનેક છે તેમાં વિનિગમક દુર્લભ છે. એ જ પ્રમાણે વેદ દ્વારા જણાતી વૈકલ્પિક હેતુના સ્થળે સમુચ્ચિત કારણો દ્વારા ફળસિદ્ધિ થાય છે, તેવું સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે વ્રીહિ અને યવને સંવલિત કરીને એક યાગનું અનુષ્ઠાન થતું નથી. જ્ઞાન અને કર્મને તૃણારણિમણિની જેમ કારણ માનવામાં તેમના સંવલનમાં મોક્ષના અભાવનો પ્રસંગ થશે. જ્ઞાન અને કર્મનો સમુચ્ચય મોક્ષનું કારણ માનવાથી પણ સંગતિ થતી નથી. કારણ કે તત્ત્વજ્ઞાનના ઉપાય યોગાભ્યાસમાં અસાધ્યતા બુદ્ધિ થતા મોક્ષના કારણ તે તે સમ્યજ્ઞાન અને બ્રહ્મચર્યથી પ્રાપ્ત થાય છે. उभाभ्यामेव पक्षाभ्यां यथा स्यात् पक्षिणो गतिः । तथैव ज्ञानकर्मभ्यां प्राप्यते ब्रह्म शाश्वतम् ॥ જેમ પક્ષીની ગતિ બે પાંખ હોય તો જ થાય છે. તેમ જ્ઞાન અને કર્મ વડે શાશ્વત બ્રહ્મ પ્રાપ્ત થાય છે.' આમ, જ્ઞાન ઉપરાંત કર્મ પણ મુક્તિનું કારણ છે. તે જ રીતે કાશી વગેરે તીર્થોમાં મરણ, પુરુષોત્તમ વગેરેનું મુખદર્શન પણ મોક્ષના કરણ છે. તેથી નાચ: પન્થા દ્વારા જ્ઞાન સિવાયના કારણોનો નિષેધ થયો છે તે કેવી રીતે સંગત થશે ? આ શંકાકાર દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ પ્રથમ આક્ષેપ છે. બીજો આક્ષેપ એ છે કે-જ્ઞાનત્વેન જ્ઞાન કે કર્મર્તન કર્મ મોક્ષનું કારણ નથી. જ્ઞાનવિશેષ કે કર્મવિશેષ મોક્ષનું કારણ છે. જ્ઞાન અને કર્મ કારણ તરીકે સર્વત્ર સમાન નથી પણ અનનુગત છે. તે અનુગત એવા મોક્ષનું કારણ કેવી રીતે માની શકાય? અનનુગત કારણની કારણતામાં વ્યભિચાર દર્શાવી શકાય છે. પ્રશ્ન :-તૃણ-અરણિ-મણિ વગેરેની વહ્નિ પ્રત્યેની કારણતા અનનુગત છે છતાં તેમાં તુણારણિમણિન્યાયન એટલે કે સ્વતંત્ર કારણતા માનવામાં આવે છે તેમ મોક્ષ પ્રત્યે જ્ઞાન વિશેષ અને કર્મવિશેષની હેતુતાનો નિર્વાહ થઈ જશે. જવાબ:–તૃણારણિમણિની હેતુતાનો નિર્વાહ કરવા એટલે કે પરસ્પરના અભાવથી જન્ય વહ્નિરૂપ
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy