________________
७२
मुक्तिवादः
इत्यादिश्रुत्या स्वात्मनः श्रवणादेरेव मोक्षहेतुता प्रत्याय्यते, न तु परमात्मनः । न च मिथ्याज्ञानवासनाधर्माधर्मोच्छेदद्वारा आत्यन्तिकदुःखनिवृत्तावुपयोगित्वं स्वात्मतत्त्वज्ञानस्य तादृशश्रुतितात्पर्यविषयोऽस्तु तावतापीश्वरसाक्षात्कारस्य 'तमेव विदित्वा' इत्यादिश्रुतिसिद्धमपरहेतुत्वं निराबाधमेवेति वाच्यम् । धर्माधर्मोच्छेदेनैवात्यन्तिकदुःखादिविगमरूपमुक्तिनिर्वाहे तत्र परमात्मसाक्षात्कारस्य हेतुतायां युक्तिविरहे 'तमेव विदित्वा' इत्यादिश्रुतेर्जीवब्रह्माभेदचिन्तारूपयोगाभ्यासस्य स्वात्मसाक्षात्कारसम्पादनद्वारा मुक्त्युपयोगितायामेव योगाभ्यासविध्येकवाक्यतानुरोधेन तात्पर्य
પ્રશ્ન :–મિથ્યાજ્ઞાનવાસના-ધર્મ-અધર્મ વગેરેના ઉચ્છેદ દ્વારા આત્યંતિક દુઃખનિવૃત્તિમાં પોતાના આત્મતત્ત્વનું જ્ઞાન ઉપયોગી છે, આ જ તેવા પ્રકારની કૃતિઓનું તાત્પર્ય છે. છતાં ઈશ્વર સાક્ષાત્કાર તમેવ વિદ્વત્વા ઇત્યાદિ શ્રુતિ દ્વારા મોક્ષનું બીજું કારણ છે તેમાં કોઈ બાધ નથી.
જવાબ :–ધર્મ-અધર્મનો ઉચ્છેદ થવાથી જ આત્યંતિક દુઃખનિવૃત્તિ રૂપ મુક્તિનો નિર્વાહ થઈ જાય છે તેથી મુક્તિમાં પરમાત્મસાક્ષાત્કારને હેતુ માનવામાં યુક્તિ નથી. તમેવ વિવિત્વી આ શ્રુતિ યોગાભ્યાસનું વિધાન કરતા વાક્ય સાથે એકવાક્યતા ધરાવે છે તે કારણે જીવબ્રહ્મના અભેદ ચિંતન રૂપ યોગાભ્યાસ સ્વાત્મતત્ત્વસાક્ષાત્કારનું સંપાદન કરવા દ્વારા મુક્તિમાં ઉપયોગી છે, આ
ઉચ્છેદ થાય છે. તેનાથી આત્યંતિક દુઃખનિવૃત્તિ થાય છે તેથી તે મોક્ષમાં ઉપયોગી છે. તમેવ વિલ્વિી ઇત્યાદિ શ્રુતિ ઈશ્વર સાક્ષાત્કારને કારણ જણાવે છે. તો તેને પણ મોક્ષના અન્ય હેતુ તરીકે સ્વીકાર કરી લેવો જોઈએ.
જવાબ :–ધર્મ અને અધર્મના ઉચ્છેદ વિના મુક્તિ થતી નથી. આત્મસાક્ષાત્કાર વિના ધર્મ, અધર્મનો ઉચ્છેદ થતો નથી. માટે આત્મસાક્ષાત્કાર મુક્તિનું કારણ સાબિત થાય છે. તેની કારણતા પ્રસ્થાપિત થઈ ગયા પછી ઈશ્વરના સાક્ષાત્કારને પણ કારણ માનવા માટે કોઈ યુક્તિ દેખાતી નથી.
પ્રશ્ન :–તમેવ વિવિત્ની આ શ્રુતિના તાત્પર્યની અનુપપત્તિ જ ઈશ્વર સાક્ષાત્કારની કારણતા સાબિત કરવા સક્ષમ છે.
જવાબ :-તમેવ વિવિત્વી ઇત્યાદિ શ્રુતિનું તાત્પર્ય આ છે–ત્રાત્મા વારે આ શ્રુતિને આધારે શ્લોક રચાયો છે.
‘આમેનાનુમાનેન ધ્યાનાભ્યાસરસેન ૨ |’ અહીં નિદિધ્યાસનનો અર્થ યોગાભ્યાસ કર્યો છે. યોગાભ્યાસથી આત્માનું જ્ઞાન થાય છે. આત્મિી વારે શ્રુતિમાં આત્મસાક્ષાત્કારના કારણો જણાવ્યા છે તમેવ શ્રુતિમાં આત્માના સાક્ષાત્કારને મોક્ષનું કારણ જણાવ્યો છે. આ બંને વચ્ચે એકવાક્યતા છે. તેથી તમેવ વિવિત્ની અહીં “જીવબ્રહ્મના અભેદની ચિંતા રૂપ યોગાભ્યાસ સ્વાત્માનો સાક્ષાત્કાર કરાવનાર મોક્ષનું કારણ છે” આ અર્થમાં જ તાત્પર્ય કલ્પવું ઉચિત છે.
આ રીતે તમેવ વિત્વિનું તાત્પર્ય કલ્પવાથી વિકારનો વ્યત્યાસ કરો તો પણ બાધ આવતો નથી કારણ કે આ અર્થમાં ભેદજ્ઞાનાદિનો વ્યવચ્છેદ થતો નથી. વિકારનો વ્યત્યાસ કરવાથી નાન્યઃ ઇત્યાદિ