________________
૭૦
मुक्तिवादः
भ्रमस्तथापि तादृशस्यैव तस्य मोक्षहेतुत्वं श्रुतिसिद्धं न विरुद्धयते इति चेन्न जीवब्रह्माभेदचिन्तनरूपस्य योगस्याभ्यासेन मोक्षकारणमीश्वरसाक्षात्कारः सम्पद्यत इत्यत्रैव तत्त्वमसीति वाक्यतात्पर्येण यथाश्रुतस्य तमेव विदित्वेत्यस्य सामञ्जस्यादिति વન્તિા
ઉત્તર પક્ષ –આ વાત યોગ્ય નથી. ‘તત્ત્વમસિ' આ વાક્યનું તાત્પર્ય–જીવબ્રહ્માભેદ ચિંતન રૂપ યોગના અભ્યાસ દ્વારા મોક્ષનું કારણ ઈશ્વરસાક્ષાત્કાર થાય છે' આ અર્થમાં છે. તેથી તમેવ વિવિત્રી વાક્ય યથાશ્રુત સંગત છે. (એવું કેટલાક કહે છે.)
નથી. કારણ કે તેમના મતે તત્ પદ દ્વારા જીવાત્મા અભિપ્રેત છે. આત્મસાક્ષાત્કારમાં દેહાદિભેદ વિષય બને છે. આત્માથી અન્ય દેહાદિભેદ આત્મસાક્ષાત્કારનો વિષય છે અને પ્રયોજક પણ છે. ઉપર પ્રમાણે અન્વય કરીને તદન્ય દેહાદિભેદજ્ઞાનના મુક્તિપ્રયોજકત્વનો વ્યવચ્છેદ થઈ શકતો નથી. કારણ કે દેહાદિભેદનું જ્ઞાન મુક્તિપ્રયોજક છે. આથી આ મતે વિકારનો વ્યત્યાસ કર્યા વિના કોઈ ગતિ નથી.
તેન ઇત્યાદિ દ્વારા આપવામાં આવેલી આપત્તિનો જીવાત્મસાક્ષાત્કારવાદી પૂર્વપક્ષ આ રીતે જવાબ આપે છે. કે–આત્મસાક્ષાત્કાર દેહાદિભેદવિષયકત્વેન જ થાય છે તેવું માનીએ તો ઉપરની આપત્તિને અવકાશ રહે છે. આત્મસાક્ષાત્કાર અન્ય રીતે થાય છે તેવું બતાવી શકાય તો ઉપરોક્ત આપત્તિને અવકાશ રહેતો નથી. તમેવ વિદ્વિ–ી આ શ્રુતિમાં વિટુ ધાતુનો અર્થ જ્ઞાન અભિપ્રેત છે. આ જ્ઞાન કયું ? “તત્ત્વમસિ' આ વાક્યથી બ્રહ્મ અને જીવના અભેદનો બોધ થાય છે. આ અભેદ ભાવનાથી ઉત્પન્ન થયેલું ‘અહં બ્રહ્માસ્મિ ન સંસારી’ આ જ્ઞાન વિદ્ દ્વારા અભિપ્રેત છે. આ પ્રકારનો સાક્ષાત્કાર મુક્તિનું કારણ છે. એટલે જીવાત્મસાક્ષાત્કાર જીવબ્રહ્માભેદવિષયત્વેન કારણ છે. તેથી ઉપરોક્ત રીતે પ્રયોજ્યત્વ અર્થ કરીને અન્વય કરવામાં તેમને બાધ નથી. તત્ત્વમસિ અને મર્દ બ્રહ્માસ્મિ આ બન્ને વચ્ચે એકવાક્યતા છે.
પ્રશ્ન :-આવું અર્થઘટન ન્યાયમતે શક્ય નથી કારણ કે ન્યાયમત જીવાત્મા અને પરમાત્માને ભિન્ન ભિન્ન માને છે. તેથી અહં બ્રહ્માસ્મિ એ જ્ઞાન ન્યાયમતે ભ્રમરૂપ છે.
જવાબ :–બીજી કોઈ રીતે સંગતિ થઈ શકતી નથી તેથી ન છૂટકે તત્ત્વજ્ઞાનનો અર્થ આવું અભેદજ્ઞાન કરવો પડે છે.
જીવાત્મસાક્ષાત્કારવાદીએ ઉપસ્થિત કરેલો વિસ્તૃત પૂર્વપક્ષ અહીં પૂર્ણ થાય છે. પરમાત્મસાક્ષાત્કારવાદી તેની સામે ઉત્તરપક્ષ રજૂ કરે છે. તત્ત્વમસિ આ વાક્યનું તાત્પર્ય ઈશ્વરસાક્ષાત્કારમાં જ છે. આ વાક્ય આત્માને પ્રધાનતા નથી આપતું. જીવ અને બ્રહ્મના અભેદ ચિંતન કરવું એ યોગ છે. તેનું વારંવાર આવર્તન અભ્યાસ છે. યોગાભ્યાસને જ નિદિધ્યાસન કહેવાય છે. તે મુક્તિનું કારણ છે. તેનાથી ઈશ્વરસાક્ષાત્કાર થાય છે. આમ તત્ત્વમસિનું તાત્પર્ય પણ ઈશ્વરસાક્ષાત્કાર છે તેથી તમેવ વિવિત્વ નો અર્થ ઈશ્વરસાક્ષાત્કાર ઇત્યાદિ કર્યો છે. તે જ યોગ્ય છે.
વન્તિ કહીને ગદાધરે આ પક્ષમાં અરુચિ જણાવી છે. માત્મા વારે શ્રોતવ્ય ઇત્યાદિ શ્રુતિમાં શ્રવણ, મનન, નિદિધ્યાસન દ્વારા આત્માનો સાક્ષાત્કાર જ અભિપ્રેત છે તે સ્પષ્ટ છે. આ શ્રુતિનો અયુક્ત અર્થ કરવો પડે છે તે પરમાત્મસાક્ષાત્કારવાદી પક્ષમાં અસ્વરસ છે.