________________
w
૫૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwwww હતા. તેમના દેહવિલય વખતે પૂ. શ્રી અંબાલાલભાઈ સેવામાં હાજર હતા. તેઓ પરમકૃપાળુ દેવ પ્રત્યે પત્ર લખતાં પૂ. શ્રી સૌભાગ્યભાઈની અંતિમ વખતની દશા સંબંધી જણાવે છે:
“ હે પ્રભુ ! બેહદ દિલગીર છું કે પ. પૂજ્ય પરમ સ્તુતિ કરવા યોગ્ય મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબે પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેદનાની સમસ્થિતિ, આત્માનુભવ અને છેવટ સુધીના ‘શ્રી સહજામસ્વરૂપ’ એ એક જ ઉપચાગ જોઈને મને બહુ આનંદ થાય છે. તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. જેઠ વદી ૧૦ ને ગુરુવારે સવારના દસ વાગ્યાથી શ્વાસ થયા. પિતે છેવટના વખતની અત્યંત પીડા ભેગવવા માંડી. દસ અને અડતાલીસ મિનિટે મારા મનમાં એમ થયુ’ કે ‘વધારે દુઃખની સ્થિતિમાં રખેને આપાગ ભૂલી ગયા હોય અથવા દુ:ખના લક્ષમાં ચડી ગયા હોય, તેથી સ્મરણ આપ્યું હોય તો ઠીક,’ એમ ધારી ધારસીભાઈની સલાહ લઈ મેં ‘ સહજાન્મસ્વરૂપ સ્વામી’ એવું એક બે વાર નામ લીધું એટલે પોતે બોલ્યા કે “ હા, મારુ એ જ લક્ષ છે.” એ રીતે પોતાના જીવનવૃત્તાંત દ્વારા મુમુક્ષતા, આજ્ઞાંકિતપણુ, પરમ લઘુત્વ આદિ ગુણાનું દર્શન કરાવી બોધપાઠ શીખવ્યા છે. તેવી જ દશ” મુમુક્ષતામાં આપણી પણ રુચિ અને પ્રયત્ન હા.” પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય પછી તેમના પુત્ર શ્રી ત્રંબકલાલભાઈને આશ્વાસન આપતાં પરમકૃપાળુ દેવ વૈરાગ્યબાધક પત્ર લખે છે. તેમાં દર્શાવે છે :| “ શ્રી સૌભાગે તેવા દેહને ત્યાગતા મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચય અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે એમાં સંશય નથી.....આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સૌભાગ જેવા વિરલ પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.
શ્રી સૌભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારિતાદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” (વ. ૭૮૨. )
એ પદાર્થ સબંધી નિશ્ચય આપણને પ્રાપ્ત થાઓ !