SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૫૫ www ww ધાર પર ચાલવુ' એ વિકટ હોવા છતાં ‘ આણાએ ધમ્મા આણુાએ તવ્વા’ એ એમનુ જીવનસૂત્ર બની ગયું હતુ, પરમકૃપાળુ દેવશ્રીએ તેમની આવી ઉત્તમેાત્તમ ચાગ્યતાને કારણે પેાતાનુ અંતર તેમની પાસે ખેાલ્યું છે. મની—રહસ્યની અનેક પારમાર્થિ ક વાતા કરી છે અને લખી છે. પ્રભુએ તેમને હૃદયરૂપ ગણ્યા છે. આજે આપણે વચનામૃતમાં તેમનાં પર લખાયેલાં વચનામૃતાનેા માટા સ’ગ્રહ જોઈ શકીશું. પરમકૃપાળુ દેવની અદ્ભુત આત્માનુભૂતિ, અગાધ જ્ઞાન વગેરે જે વિશાળ સાહિત્યરૂપે આપણને પ્રાપ્ત થયું છે તે પૂ. શ્રી સૌભાગ્યભાઈની સમુચિત જિજ્ઞાસા, પરમ દૈન્ય, સરળતા, આશ્રયભક્તિ અને તપશ્ચર્યાનું ફળ છે. તેમણે શાસ્ત્રીય, વ્યાવહારિક અને સામાજિક અનેક પ્રશ્નો પૂછી પ્રભુનું હૃદય ખાલાવ્યું છે. પેાતાની અવસ્થાને લીધે પ્રભુએ ગદ્યરૂપે લખેલા છ પદના પત્ર મુખપાઠે થઈ શકતા નહાતા જેથી પ્રભુને વિનંતી કરી કે “છ પદની પદ્યરૂપે રચના કરો તેા મને મુખપાઠ કરવામાં અને ચિંતન કરવામાં સુગમતા થાય.” તેમની માગણીને ધ્યાનમાં લઈ પરમકૃપાળુ દેવે ‘શ્રી આત્મસિદ્ધિજી' જેવા અજોડ અને મહાન સિદ્ધાંતગ્રંથની રચના કરી. પ્રથમ તે ગ્રંથ ચાર મહાપુરુષોને આપવામાં આવ્યા. તે મહાપુરુષા છેઃ (૧) પૂ. સૌભાગ્યભાઈ (ર) પૂ. મુનિશ્રી (૩) અંબાલાલભાઈ અને (૪) પૂ. માણેકલાલભાઈ. જે ગ્રંથ વાંચવાવિચારવાથી અનેક કાયડા ઊકલી જાય અને મુમુક્ષુ જીવ સુગમણે માર્ગની આરાધના કરી શકે એવા આ ગ્રન્થ છે. તેનાથી સૌ મુમુક્ષુ જીવા ઉપર ઉપકાર થયા છે. પ્રભુએ પણ તેમને સૌને મુમુક્ષુજનના પરમખ ધવ' કહીને સંએધ્યા છે. 4 પૂ. શ્રી સૌભાગ્યભાઈ એ છેલ્લા શ્વાસેાશ્ર્વાસ પ ́ત એ જ સહેજાત્મસ્વરૂપનું ધ્યાન, રટણ રાખ્યું છે. ભક્તાત્મા મીરાખાઈ કહે છે તેમ ‘મારી લાગી લટક ગુરુ ચરનનકી’ જેવી એમની મનઃ સ્થિતિ હતી. તેમને માયા સ્વપ્ના જેવી લાગતી. કેાઈ વ્યક્તિ કે પદાર્થ એમને કદી આકષી શકતા નહી'. એમને મન એમના ભગવાન જ સર્વસ્વ હતા. એ જ જાણે એમનુ જીવન ખની ગયુ હતું. એમની નસેનસ અને રગેરગમાં ‘રાજ’ નામના જ રણકાર
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy