________________
૫૪ : : શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwwww
કહી નીચે ગયા. રસ્તામાં પૂ. અંબાલાલભાઈને જણાવ્યું કે ‘મુનિ પૂર્વના સંસ્કારી છે.'
જિજ્ઞાસુ – પ્રભુએ કહ્યું તે બરાબર લાગે છે. પિતે ત્યાગી હોવા છતાં ગૃહસ્થ વ્યવહારોપાધિ-વ્યાપારાદિમાં વર્તતા એવા પુરુષને યથાર્થ જ્ઞાની–ભગવાન–તરીકે ઓળખી લીધા એ કોઈ સામાન્ય મનુષ્યનું ગજું છે ? અરે! એટલું જ નહીં પણ પ્રભુની આજ્ઞામાં સરળપણે નિશદિન વતતા એ હકીકત તેઓની (મુનિશ્રીની) ઉચ્ચ સંસ્કારિતા, પુણ્યશીલતા અને પૂર્વની આરાધના સૂચવે છે. અન્ય લેકે ઉપર એમની અસર કેવી હતી ?
પૂ. બા – પરમકૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિને કારણે સંપ્રદાય તરફથી તેમને ઘણું કષ્ટ સહેવું પડયું. તે બધું તેમણે નિષ્કષાયભાવે શાંતિથી સહી લીધું હતું. તેમના ભક્તિ–પ્રભાવથી ગુજરાતનાં અનેક ગામોમાં વસતા પાટીદાર સગ્રુહસ્થા આજે પરમકૃપાળુ દેવ પ્રત્યે પ્રેમભક્તિ અને શ્રદ્ધાવાળા થયા છે. પૂ. મુનિશ્રીના સત્સમાગમનો લાભ મળે તે માટે અગાસમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ”ની સ્થાપના કરવામાં આવી છે.
જિજ્ઞાસુ - બા, તમે સારો અનુભવ વર્ણ વ્યા, અને અમારો ઉલાસ વધાર્યો. ત્યારે હવે બા, એ પ્રભુના પ્રત્યક્ષ સત્સમાગમમાં આવેલા મુમુક્ષુભાઈ એનો અમને પરિચય કરાવાને? તેથી અમને સોનામાં સુગંધ ભળ્યા જેવું લાગશે. - પૂ. ખી-તમારી બધાની જિજ્ઞાસા છે તો તેને અ૫ પરિચય આપું : જુઓ, આ છબી શ્રી સૌભાગ્યભાઈની છે. પ્રભુ પ્રત્યે તેમની અનન્ય ભક્તિ અને અટલ શ્રદ્ધા હતી. પોતે ઉંમરમાં વયેવૃદ્ધ છતાં તેમનામાં જરા પણ અભિમાન નહોતું. પરમકૃપાળુ દેવ પ્રત્યે અત્યંત નમ્રતાથી, વિનયસહિત આજ્ઞાધીનપણે જ વર્તતા. નાનામાં નાની વાત હોય તો પણ તેઓ પ્રભુને જણાવ્યા સિવાય ન રહેતા. કોઈ પણ કાર્ય પ્રભુને પૂછયા વિના ન કરતા–પછી તે કાય વ્યાવહારિક હોય કે પારમાર્થિક. શ્રીમાન આનંદઘનજી મહારાજે ચૌદમા જિનના સ્તવનમાં ગાયું છે: “ ધાર તરવારની સોહલી; દેહલી ચૌદમા જિનતણી ચરણસેવા.” જ્ઞાનીની આજ્ઞાની