________________
પ કા લા લ મા તી
y
(asos
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૩૩
wwwwwwwwwwwww - પૂ. ભાઈશ્રીને થયું કે વવાણિયામાં આ જે મકાના મોરબી દરબાર પાસે છે, તેને કબજે આપણે પાછો ન લઈ એ. તે માટે તેઓશ્રીએ પૂ. શ્રી. ભગવાનલાલભાઈને કરાંચી પત્ર લખી શ્રી વડવા બોલાવ્યા. આ વાત મારા જાણવામાં આવી. મેં તેમને કહ્યું, “ આપણે જ આ મકાને લઈ એ ” ત્યારે તેઓ કંઈ બાલ્યા નહીં. પણ સીધા શ્રી વડવા જઈ પૂ. ભાઈશ્રીને મળ્યા. મકાન પિોતે જ લેવાનું નક્કી કરીને મોરબી ગયા. ત્યાં દરબારને મળી મકાને લઈ લીધાં. પૂ. ભાઈશ્રીને મારા પૂ. સસરાજીની હયાતીમાં ત્યાં મંદિર બાંધવાનો વિચાર થયા, પણ મારા ભાઈ સુદર્શનની સંમતિ મેળવવી જોઈએ એમ તેમને લાગ્યું કારણ કે મૂળ તે તેના બાપદાદાનાં મકાન ગણાય, તેથી તેના મનને કોઈ પ્રકારે પણુ દુઃખ થવું ન જોઈ એ એ જેવાની ફરજ છે એવી તેમની મનવૃત્તિ હતી. એટલે મકાન લેવાયાં પછી પણ લાંબા વખત એમ ને એમ જ રહેવા દીધેલાં હતાં.
તે દરમિયાન મારા અંતરમાં એક ઊંડી અભિલાષા વારંવાર જાગ્રત થતી. શ્રી વડવા, અગાસની તીર્થભૂમિએ જોઈને અંતરમાં
ર્યા કરતું કે પરમકૃપાળુ દેવની જન્મભૂમિમાં પણ તીર્થધામ થવું જ જોઈ એ. અને તે જ વિચારો રાતદિવસ પ્રબળ રીતે મારા મનમાં ઘળાયા કરતા. મને મનમાં થતું કે, “ આ હાથે જે આ કામ ન થાય તો આપણાં બાળકોથી તો તે કેમ થશે ? ” ઘણી વાર તો ઊંઘ પણ ન આવતી. આમ કેટલીક વખત ગયા. શારીરિક અસ્વસ્થતાને કારણે મારે મીરજ પાસે માધવનગર રહેવાનું થયું હતું. ત્યાં ભાઈ સુદર્શન મને મળવા આવેલ તેની સાથે પરસ્પર બહુ પ્રેમથી વાતચીત થઈ. મેં મારા અભિપ્રાય જણાવ્યા કે વવાણિયાના મકાનને સ્થાને ભવ્ય ગુરુમંદિર બાંધવાને મારો વિચાર છે. તે સાંભળી તેણે રાજીખુશીથી સંમતિ આપી કે તમને ઠીક લાગે તેમ કરો. આમ મારી અભિલાષા પૂરી થાય તે માટે માર્ગ મેકળા થયા.
માધવનગરથી મારે રાજકોટ થઈ કરાંચી આવવાનું બન્યું. પ્રસંગે વાત નીકળતાં મેં તેમને (પૂ. શ્રી ભગવાનલાલભાઈને)